દેશના જાણીતા ગઝલકાર અને સિંગર ભૂપિન્દર સિંહનું નિધન થતા કલાજગતમાં શોકની લાગણી પ્રસરી છે.
સંગીતનો વધુ એક સૂર આથમ્યો છે. ગઝલ ગાયક ભૂપિંદર સિંહનું મુંબઈની ક્રિટી કેર હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમણે 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની પત્ની મિતાલી સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. ક્રિટી કેર હોસ્પિટલના ડો.દીપક નામજોશીએ જણાવ્યું હતું કે ભૂપિંદર સિંહને 10 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- Advertisement -
મોટા આંતરડામાં કેન્સર હતું
ડોક્ટરે જણાવ્યું કે તપાસ દરમિયાન તેમને કોલોન કેન્સર (મોટા આંતરડામાં કેન્સર) હોવાની શંકા હતી. સ્કેનીંગમાં કેન્સરની સંભાવના સ્પષ્ટ દેખાઈ રહી હતી અને હજુ વધુ તપાસ કરવાની બાકી હતી. તેમને કોરોના પણ થયો હતો. તેથી કેન્સર સંબંધિત ટેસ્ટ કરાયા નહોતા. ભૂપિંદર સિંહ કોવિડ સંક્રમણથી ઠીક થયા ન હતા અને આજે સાંજે લગભગ 7.30 વાગ્યે તેમનું મોત થયું હતું. ડોક્ટરનું કહેવું છે કે કો-મોર્બિડિટીઝની સમસ્યાના કારણે તેનું મોત થયું છે.
Veteran singer Bhupinder Singh passes away at 82
Read @ANI Story | https://t.co/uIb0Y8HSbW#BhupinderSingh #Singer pic.twitter.com/exKa7ElR5Z
- Advertisement -
— ANI Digital (@ani_digital) July 18, 2022
કોણ હતા ભૂપિંદર સિંહ
ભૂપિંદર સિંહ એક પ્રખ્યાત ભારતીય સંગીતકાર હતા અને મુખ્યત્વે ગઝલ ગાયક હતા. તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ કર્યું છે. તેમણે કિશોર કુમાર અને મોહમ્મદ રફી સાથે કેટલાક લોકપ્રિય ગીતો ગાયા છે. ભૂપિંદર સિંહને ‘મૌસમ’, ‘સત્તે પે સત્તા’, ‘આહિસ્તા અહિસ્તા’, ‘દુરિયાં’, ‘હકીકત’ જેવી ફિલ્મોમાં યાદગાર ગીતો માટે યાદ કરવામાં આવે છે. તેમના કેટલાક પ્રખ્યાત ગીતોમાં ‘હોકે મજબૂર મેં, હી વિલ બી કોલ્ડ’ ( મોહમ્મદ રફી, તલત મહમૂદ અને મન્ના ડે સાથે), ‘દિલ ખોજતા હૈ’ , ‘દુકી પે દુકી હો યા સત્તે પે સત્તા’ , (ઘણા ગાયકો) અને બીજા ઘણા બધા ગીતો છે.
ભૂપિંદરને નાનપણથી જ હતો સંગીતનો શૌખ
ભૂપિંદરને બાળપણથી જ સંગીતનો શોખ હતો, ભૂપિંદરે પિતા પાસેથી ગિટાર વગાડવાનું શીખી લીધું હતું. તેમને બાળપણથી જ સંગીતનો શોખ હતો. તેમણે ઘરે પિતા પાસેથી સંગીતની શરૂઆતની યુક્તિઓ શીખી હતી, પરંતુ જેમ જેમ તેમની કુશળતા સારી થતી ગઈ તેમ તેમ તેમણે આ ક્ષેત્રમાં આગળ વધવાનું શરૂ કર્યું અને પછી દિલ્હી ચાલ્યા ગયા. ત્યાં તેમણે ઓલ ઇન્ડિયા રેડિયો માટે ગિટારવાદક અને ગાયક તરીકે કામ કર્યું હતું.