વિદેશ મંત્રી એસ જયશંકર વિભિન્ન દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદા પર ચર્ચા કરવાના ઉદેશ્યથી 29 ડિસેમ્બરના રશિયાની પાંચ દિવસના પ્રવાસે જશે. વિદેશ મંત્રાલયએ ગઇકાલે આ પ્રવાસના કાર્યક્રમની જાહેરાત કરતાં કહ્યું કે, જયશંકર મોસ્કોની સાથે સેંટ પીટર્સબર્ગ પણ જશે. આ દરમ્યાન બંન્ને પક્ષોની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના વિભન્ન પહેલુઓ, વેપાર, ઉર્જા, રક્ષા અને ક્નેક્ટિવિટીના ક્ષેત્રો પર ચર્ચા થવાની આશા છે.
ભારત-રશિયાની ભાગીદારી સ્થિર
નિવેદનમાં તેમણે કહ્યું કે, સમયની પરિક્ષા પર સાચા ઉતરીને ભારત- રશિયાની ભાગીદારી સ્થિર અને મજબૂત બની ગઇ છે. એવામાં, વિદેશ મંત્રી આર્થિક સંબંધોથી સંબંધિક મુદાઓ પર ચર્ચા કરવા માટે રશિયાના ઉપ વડાપ્રધાન અને વેપાર મંત્રી ડેનિસ મંતુરોવ સાથે મુલાકાત કરશે. આ સિવાય, તેઓ પોતાના રશિયાના સમકક્ષ સર્ગઇ લાવરોવની સાથે દ્વિપક્ષીય, બહુપક્ષીય અને આતંરરાષ્ટ્રીય મુદા પર ચર્ચા કરશે.
- Advertisement -
મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગમાં કાર્યક્રમ
મંત્રાલયની તરફથી જણાવવામાં આવ્યું કે, બંન્ને દેશોના લોકોની વચ્ચે મજબૂત સંબંધો અને સાંસ્કૃતિક સંબંધોને ધ્યાનમાં રાખતા વિદેશ મંત્રી જયશંકર મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગમાં કાર્યક્રમમાં સામેલ થશે. માનવામાં આવી રહ્યું છે કે, આ પ્રવાસ દરમ્યાન બંન્ને પક્ષ દ્વિપક્ષીય સંબંધોના વિભિન્ન પહેલુઓ ખાસ કરીને વેપાર, ઉર્જા, રક્ષા અને સંપર્કના ક્ષેત્રો પર ચર્ચા કરી શકે છે.
કાચા તેલની આયાત વધારે
જયશંકરના પ્રવાસ દરમ્યાન, બંન્ને પક્ષો દ્વારા રાષ્ટ્રીય મુદ્રાઓમાં દ્વિપક્ષીય વેપાર કરવાના લાંબા સમયથી રોકાયેલા પ્રવાસ પર ચર્ચાની આશા છે. કેટલાય પશ્ચિમી દેશોમાં આને લઇને વધારે બેચેનીના કારણે ભારતના રશિયા કાચા તેલના આયાતો વધી ગઇ છે. ભારતે અત્યાર સુધી યુક્રેન પર રશિયાના આક્રમણની નિદા કરી નથી અને તેઓ કહી રહ્યા છે કે, સંકટની કૂટનીતિ અને વાતચીતના માધ્યમથી નિવેડો લાવી શકાય છે.