ખાસ-ખબર સંવાદદાતા
કોરાનાની પ્રથમ લહેરમાં અચાનક લોકડાઉન પછી કામ-ધંધા ઠપ થયા પછીથી મોટા શહેરોમાંથી ઘરે પરત ફરનારા પ્રવાસીઓની તસ્વીરો આપણે બધાએ જોઈ છે. મહામારીની ત્રીજી લહેરમાં એક વખત ફરી આવો નજારો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં લોકડાઉનના ડરથી પ્રવાસી મજૂર રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં ભેગા થયા છે. બધાની કોશિશ એવી છે કે કઈ રીતે લોકડાઉન જાહેર થતા પહેલા ઘરે પહોંચી જવાય.
- Advertisement -
મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 20 હજારથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. એવામાં સંપૂર્ણ લોકડાઉનની ચર્ચાથી પ્રવાસીઓ અને ખાસ કરીને મજૂરોમાં ખૂબ જ ડર છે. ગુરુવાર રાતથી જ મુંબઈના લોકમાન્ય તિલક સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ ઉમટવા લાગી હતી.
મુંબઈના કુર્લાના લોકમાન્ય તિલક ટર્મિનલથી જ ઉત્તરપ્રદેશ અને બિહાર જતી મોટાભાગની ટ્રેન ઉપડે છે. મુંબઈના પ્રવાસીઓમાં મોટી સંખ્યા આ જ વિસ્તારના લોકોની છે. એવામાં લોકમાન્ય ટર્મિનલ પર ગુરુવારના રાતના 8 વાગ્યાથી જ ભીડ વધવા લાગી હતી. તેમાં મોટાભાગના મજૂર વર્ગના લોકો હતા, જે શુક્રવાર સવારની ટ્રેન માટે લોકડાઉનના ડરથી મોડીરાતે જ સ્ટેશન પહોંચ્યા હતા. તેમનું કહેવું હતું કે જો તે રોકાયા તો ભૂખમરાનો સામનો કરવો પડશે. એવામાં અમે અહીં રોકાઈને શું કરશું?
- Advertisement -
મુંબઈમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 20 હજારથી વધુ કેસ આવતાં પરપ્રાંતિયોમાં ફરી સંપૂર્ણ લૉકડાઉનનો ડર
સ્ટેશને પહોંચ્યા તો પોલીસે અંદર જતા અટકાવ્યા, આખી રાત સ્ટેશનની બહાર વિતાવી.
સંપૂર્ણ લૉકડાઉન થવાની બીકે ગુરુવારે રાત્રે જ માથા પર બેગ, એટેચી, ડોલ લઈને મજૂર લોકો લોકોમાન્ય તિલક ટર્મિનલ પર પહોંચવા લાગ્યા. મોટાભાગની ટ્રેન સવારે 5.25 વાગ્યા કે તે પછીની હતી. રેલવે સ્ટેશને પહોંચતા મજૂરોને પોલીસે અંદર ન જવા દીધા. પોલીસે તેમને ડંડા બતાવ્યા અને કહ્યું જો જવું જ હતું તો શાં માટે બિહાર-ઞઙથી આવી જાવ છો. બિચારા લાચાર મજૂર સ્ટેશનની સામે બેસી ગયા. ટ્રેન સવારની હતી. રાતે પહોંચ્યા તો ચિંતા ટિકિટની હતી. કોઈની પાસે ટિકિટ ન હતી. બધાએ પ્લાન બનાવ્યો કે જનરલ ડબ્બામાં ચઢી જઈએ. ઝઈ આવશે તો ચલણ ફડાવી લઈશું. આ વાત નક્કી કરીને મજૂર પ્લેટફોર્મ તરફ વધ્યા હતા, પરંતુ પોલીસે તેમને પ્લેટફોર્મ તરફ જવા ન દીધા એટલે હજારો મજૂરોએ આખી રાત સ્ટેશનની બહાર વિતાવી હતી.