સતત ચાર પરાજયથી હતાશ થયેલી ચેન્નઇ સુપર કિંગ્સે પોતાનો ગુમાવેલા આત્મવિશ્ર્વાસ ફરીથી હાંસલ કરવા માટે આઇપીએલમાં મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં રમતના તમામ પાસામાં ક્ષમતા કરતાં પણ વધારે સારો દેખાવ કરીને વિજય હાંસલ કરવો પડશે. ચેન્નઇના મુખ્ય કોચ સ્ટિફન ફ્લેમિંગે પણ કબૂલાત કરી હતી કે સતત પરાજયના કારણે ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમનો આત્મવિશ્ર્વાસ ડગમગી ગયો છે. ચાર વખતની ચેમ્પિયન ટીમ રવીન્દ્ર જાડેજાના નેતૃત્વમાં હજુ રિધમ મેળવી શકી નથી. જાડેજા પણ પ્રેરણાદાયી પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો છે.
ધોની, ઉથપ્પા, અંબાતી રાયડુ અને ડ્વેન બ્રાવો જેવા સિનિયર ખેલાડીઓએ કપરી સ્થિતિમાં વધારે જવાબદારી અદા કરવી પડશે. ચેન્નઇ માટે ફોર્મમાં રહેલી બેંગ્લોરની ટીમ સામે વિજય મેળવવો આસાન રહેશે નહીં. ઓપનર ઋતુરાજ ગાયકવાડનું ફોર્મ સીએસકે માટે ચિંતાજનક બન્યું છે અને તેણે તાત્કાલિક મોટી ઇનિંગ રમવાની જરૃર છે. ઓલરાઉન્ડર મોઇન અલી અને શિવમ દૂબેએ વધારે જવાબદારી અદા કરવી પડશે. પેસ બોલર દીપક ચહરની ગેરહાજરીના કારણે ચેન્નઇની ટીમ બોલિંગ અને બેટિંગ બન્નેમાં નબળી પડી છે. બીજી તરફ બેંગ્લોરની ટીમે રમતના તમામ વિભાગમાં શાનદાર દેખાવ કર્યો છે. સુકાની ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી તથા અનુજ રાવત બેટથી ઉપયોગી રન બનાવી રહ્યા છે.
- Advertisement -
આ પણ વાંચો : 2024નાં T-20 વર્લ્ડ કપ માટે અમેરિકા-વિન્ડીઝ સીધું ક્વોલિફાય
https://khaskhabarrajkot.com/2022/04/12/america-windies-directly-qualifies-for-the-2024-t-20-world-cup/