અજમેરા એજન્સીએ PF, GST, CGSTમાં ગોટાળા કરી સરકારનાં કરોડો રૂપિયા ચાઉં કરી નાંખ્યા
2 વર્ષથી જી.ડી. અજમેરા મેનપાવર એજન્સી દ્વારા ચાલતું કૌભાંડ, RMCનાં મહેકમ શાખાનાં આસિ. મેનેજર વિપુલ ઘોણિયાનો પણ હાથ
ગૌરવ અજમેરા અને વિપુલ ઘોણિયાની ‘મિલ-બાંટ કે ખાયેંગે’ની નીતિ ભાગ-2
રાજકોટ મહાનગરપાલિકામાં મેન પાવર સપ્લાયરનો કોન્ટ્રાક્ટ ધરાવતી ‘જી. ડી. અજમેરા મેન પાવર સપ્લાય’ એજન્સી દ્વારા કોરોનાકાળમાં કોથળાભરી રૂપિયા બનાવવામાં આવ્યા છે. રાજકોટ મનપામાં જી.ડી. અજમેરા મેનપાવર એજન્સીનું ટેન્ડર 2019માં પાસ થયું છે ત્યારથી લઈ આજ સુધી અજમેરા એજન્સી મેનપાવરના PF, GST, CGSTના રૂપિયા સરકાર પાસેથી લઈ મેનપાવરને આપવાની જગ્યાએ પોતાના ખિસ્સા ભરે છે. આ સમગ્ર કૌભાંડ પાછળ અજમેરા એજન્સીના ગૌરવ અજમેરા અને મહેકમ શાખાના આસિ. મેનેજર વિપુલ ઘોણિયાનો હાથ છે.
છેલ્લાં 21 માસમાં અજમેરા એજન્સીએ 400 કર્મચારીઓની આશરે 15 કરોડથી વધુ રકમની ગોલમાલ કરી નાંખી!

કૌભાંડી ગૌરવ અજમેરા
- Advertisement -
આ છે અજમેરા એજન્સીનાં બેંક એકાઉન્ટ અને GST નંબર જેમાં સમગ્ર કૌભાંડ આચરાયું
A/c no. : 50200023116731
GST no. : 24AOZPA2251E1Z6
એક મહિલા કાર્યકરે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને કરેલી અરજી મુજબ અજમેરા એજન્સીએ જી.એસ.ટી. તેમજ સી.જી.એસ.ટી. અને પ્રોવિડન્ટ ફંડગૌરવ અજમેરા અને વિપુલ ઘોણિયા માટે કોરોનાકાળ બન્યો ક્રીમ પિરિયડપાપનો ઘડો વધુ ન ફૂટે એટલે જાગૃત મહિલા પર ધમકીભર્યા ફોન કરાવ્યા
ગૌરવ અજમેરા અને વિપુલ ઘોણિયાના પાપનો ઘડો ફોડવા એક મહિલા કાર્યકરે બાંયો ચઢાવી છે. ગૌરવ અને વિપુલના કરોડો રૂપિયાના કૌભાંડો ઉઘાડા પાડનાર એક જાગૃત મહિલા કાર્યકર પર ધમકીભર્યા ફોન કોલ કરાવવાના ગૌરવ અને વિપુલ શરૂ કરી દીધા છે. ગઈકાલે ‘ખાસ-ખબર’માં છપાયેલા સ્ફોટક અહેવાલ બાદ ગૌરવ અને વિપુલે પોતાના પાપનો ઘડો વધુ ન ફૂટે એટલે જાગૃત મહિલા પર ધમકીભર્યા ફોન કરાવી ડરાવવાની કોશિશ કરી હતી પરંતુ આલી-મવાલીથી દબાવવાની કે ડરવાની જગ્યાએ બાહોશ મહિલા કાર્યકરે ગૌરવ અને વિપુલના પાપનો ઘડો ફોડવાનું ધારી લીધું છે.
- Advertisement -
ગૌરવ અજમેરા અને વિપુલ ઘોણિયાએ કોરોનાકાળ દરમિયાન ડોક્ટર, મેડિકલ, નર્સિંગ સ્ટાફ, અટેન્ડસ, સેનેટરી ઈન્સ્પેક્ટર વગેરેની વિવિધ ભરતીઓ કરી કરોડો રૂપિયા બનાવ્યા છે. ભરતી કરવામાં આવેલા કર્મચારીઓના PF, GST, CGSTના પૈસા અજમેરા એજન્સીએ પોતાના ખિસ્સામાં નાખ્યા છે જેમાં વિપુલ ઘોણિયાની ભૂંડી ભૂમિકા છે. ફક્ત કોરોનાકાળના જ 21 મહિનામાં આશરે 400 કર્મચારીઓના 15 કરોડથી વધુ રૂપિયા સરકારી ખાતેથી પોતાના ખાતામાં અજમેરા એજન્સીએ જમા કરાવી લીધા છે અને એ કર્મચારીઓનાં હક્કના પૈસા અજમેરા એજન્સીએ કર્મચારીઓને ચૂકવ્યા નથી! આમ, મહેનતુ કર્મચારીઓના કરોડો રૂપિયા ઓળવી ગૌરવ અને વિપુલની બેલડીએ કોરોનાકાળનો ભરપૂર ફાયદો ઉઠાવી કરોડોનું કૌભાંડ આચર્યું છે.
કઈ રીતે આખું કૌભાંડ આચરવામાં આવ્યું ?
અજમેરા એજન્સીના ગૌરવ અજમેરા અને કોર્પોરેશનના મહેકમ વિભાગના આસિ. મેનેજર વિપુલ ઘોણિયાએ 400 જેટલા કામદારોની ભરતી કરી હર મહિને એક કામદાર દીઠ PF, GST, CGSTનાં રૂ. 1814 રૂપિયા પોતાના ખિસ્સામાં ભરી લીધા છે. પ્રતિ દિવસ માનદ વેતન સરકાર કેટલું ચૂકવે છે તેનાથી કામદારો અજાણ હોય છે. અજાણ કામદારોના ભોણપણનો ફાયદો ઉઠાવી આ રીતે અજમેરા એજન્સી અને મહેકમ શાખાના આસિ. મેનેજરે કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું છે અને જ્યારે કેટલાંક કામદારોને આ અંગેની જાણ થઈ ત્યારે તેમણે અજમેરા એજન્સી અને મહેકમ શાખા પાસેથી પોતાના હક્કના પૈસા માંગ્યા હતા ત્યારે તેમને ધમકાવવામાં આવ્યા હતા. અજમેરા એજન્સી સરકાર અને કામદારો વચ્ચે મીડિયેટરની ભૂમિકામાં છે એટલે સરકાર પાસેથી પૈસા લઈ અજમેરા એજન્સીએ કામદારોને પૈસા જ નથી ચૂકવ્યા. હવે અજમેરા એજન્સીના બેંક અને જીએસટી એકાઉન્ટની વધુ વિગતો મેળવી આ સમગ્ર કૌભાંડ વિશે આવનારા સમયમાં વધુ સ્ફોટક માહિતી રજૂ શકે તેમ છે.
અજમેરા એજન્સી દ્વારા આચરાયેલાં કૌભાંડો અંગે અધિકારીઓ કેમ અબોલ?

અજમેરા એજન્સીએ કોર્પોરેશનમાં કરેલા કરોડો રૂપિયાના કૌભાંડો અંગે છેલ્લા કેટલાંક સમયથી જવાબદાર અધિકારીઓને પૂરાવા સાથેની સવિસ્તાર ફરિયાદ કરવામાં આવી હોવા છતાં અજમેરા એજન્સી વિરુદ્ધ પગલાં ભરવાની વાત તો દૂર છે પરંતુ અજમેરા એજન્સીના કૌભાંડો અંગે ઉચ્ચ અધિકારીઓ એક શબ્દ ઉચ્ચારવા પણ તૈયાર નથી. અજમેરા એજન્સીના કૌભાંડો અંગે અધિકારીઓનું ભેદી મૌન જોતા લાગી રહ્યું છે કે દાળમાં કાંઈ કાળું નહીં પરંતુ આખી દાળ જ કાળી છે.ની સરકાર તરફથી કર્મચારીઓને ચૂકવાતી રકમ પોતાની તિજોરીમાં ભરી લીધી છે. અજમેરા એજન્સી કોરોનાકાળમાં વિવિધ ભરતીઓ કરી અનેક લોકોના આખેઆખા પગાર ખાય જાય ગઈ છે એટલું જ નહીં,
કર્મચારીઓના PF, GST, CGSTની રકમ પણ ચાઉં કરી જાય છે. જો છેલ્લા 21 મહિનાની વાત કરવામાં આવે તો અજમેરા એજન્સીએ 400થી વધુ કર્મચારીની આશરે 15 કરોડથી વધુ રકમની ગોલમાલ કરી છે.
અજમેરા એજન્સીના કૌભાંડ તેમજ ગૌરવ અજમેરા અને વિપુલ ઘોણિયા પાસે કર્મચારીઓએ સરકાર તરફથી ચૂકવાતા પોતાના હક્કના પૈસા માગ્યા હતા ત્યારે તેમને ધાક-ધમકીઓ આપી ચૂપ કરાવી દેવામાં આવ્યા હતા. રાજકોટ મનપામાં અજમેરા એજન્સીના નામે સરકારી પૈસા જમા થયા વિના બિલ પણ ચૂકવાય ગયા છે અને ખોટા ઞગ નંબર પણ જનરેટ કરવામાં આવ્યા છે. અગત્યની બાબત છે કે, આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ હજુ સુધી અજમેરા એજન્સી કે ગૌરવ અજમેરા અને વિપુક ઘોણિયા પર પગલાં ભરવામાં આવ્યા નથી.



