ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વોર્ડ નં.11ને લગતી ગંભીર બાબત સામે આવી છે છેલ્લા 15 દિવસથી તળાવના બ્યુટીફિકેશનની કામગીરી સબબ, નર્મદેશ્વર મહાદેવ ની બાજુમાં આવેલ વોંકળાનું પાણી બ્લોક કરી દેવામાં આવ્યું છે જેના લીધે વોંકળા આખો ભરાઈ ગયેલ છે અને હવે ધીમે ધીમે એનું પાણી ભૂગભે જળની સાથે મિશ્રિત થવા માંડ્યું છે જેને લીધે બોરકુવાના પાણીમાં પણ વાસ આવવા માંડી છે, બીજું પાણી સ્થિર થઈ જવા ને લીધે તેમાં મચ્છર નો અસહ્ય ઉપદ્રવ શરૂ થઈ ગયો છે, ઘરના બારી દરવાજા એક સેક્ધડ માટે પણ ખુલ્લા રખાતા નથી, ફળિયામાં કે પેસેજમાં બેસી શકાય એવી પરિસ્થિતિ નથી, જો આમ થોડા દિવસ વધારે થયું તો આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતી છે, આપણા કોર્પોરેટર, સીટી એન્જિનિયર ચાવડા તેમજ બ્યુટીફિકેશનની કામગીરી માટે નિમવામાં આવેલ દીપભાઈ થાબલીયા ને પણ આ વાત માટે ધ્યાન દોરવામાં આવેલ છે છતાં હજુ અમને લાગે છે કે આ વસ્તુને ગંભીરતાથી લેતા નથી, આ પાણી વધારે પડતું બોરકુવાની સાથે ભળી જશે તો પાણીનો નહાવા માટે ઉપયોગ કરવો પણ અશક્ય થઈ જશે, એટલે મારી તમને વિનંતી છે કે આ કાર્યની ગંભીરતા સમજીને યુદ્ધના ધોરણે વોકળાનું પાણી ડાયવર્ટ કરવામાં આવે, અન્યથા ના છુટકે અમારે આંદોલનનો માર્ગ લેવો પડશે તેવી સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી છે.
જૂનાગઢ તળાવની કામગીરીના લીધે ગટરનું પાણી ભરાતા વોર્ડ 11માં મુશ્કેલી
