સનાતન પરંપરામાં હનુમાનજીને બળ, બુદ્ધિ અને વિદ્યાનો સાગર માનવામાં આવે છે. આવા મહાવીર બજરંગીની જયંતી પર તેમની પૂજા અને વ્રત કરવા માટે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
કળયુગમાં હનુમાનજીની સાધના-આરાધના ખૂબ જ વધારે ફળદાયી માનવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર ચિરંજીવી માનવામાં આવતા હનુમાનજીની જયંતી ચૈત્ર માસના શુક્લપક્ષની પૂર્ણિમાએ આવે છે. પંચાંગ અનુસાર આ દિવસે વખતે હનુમાન જયંતી 6 એપ્રિલ 2023એ ઉજવવામાં આવશે.
- Advertisement -
બધા સંકટોને દૂર કરનાર મહાવીર હનુમાનની પૂજા, જપ અને વ્રત સૌથી ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આવો જાણીએ તમારા જીવન સાથે જોડાયેલા કષ્ટોને દૂર કરવા અને મનોકામનાઓ પૂરી કરવા માટે હનુમાન જયંતી પર તેમના માટે કઈ રીતે વ્રત કરશો.
ક્યારે છે હનુમાન જયંતી: 6 એપ્રિલ 2023, ગુરૂવાર
ચૈત્રી પૂનમની શરૂઆતઃ 5 ઓક્ટોબર 2023એ સાંજે 9.19 વાગ્યે
- Advertisement -
ચૈત્રી પુનમની સમાપ્તિઃ 6 એપ્રિલ 2023એ સાંજે 10:04 વાગ્યે
હનુમાન જયંતી વ્રતની વિધિ
દરેક સંકટોથી બચવનાર અને સુખ-સૌભાગ્યની વર્ષા કરનાર હનુમાનજીની કૃપા મેળવવા માટે હનુમાન જયંતી પર સંપૂર્ણ વિધિ-વિધાનથી વ્રત અને પૂજન કરવું જોઈએ. બજરંગીના નામનું વ્રત કરવા માટે સાધકને આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન-ધ્યાન કર્યા બાદ ઉગતા સૂર્યને અર્ધ્ય આપવું. ત્યાર બાદ હાથમાં થોડુ જળ લઈને હનુમાનજીના વ્રતને વિધિ-વિધાનથી કરવાનો સંકલ્પ લો.
આ દિવસે કોઈ હનુમાન મંદિરમાં જઈને અથવા તો પોતાના ઘરમાં હનુમાનજીની પ્રતિમા આગળ લાલ રંગના આસન પર બેસીને તેમની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ. હનુમાન જયંતીના દિવસે બજરંગબલીની પૂજામાં લાલ રંગનું પુષ્પ અને ફળ ચડાવો. હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવ્યા બાદ મીઠુ પાન ચડાવો અને ત્યાર બાદ સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની સાથે સંદુરકાંડનો પાઠ કરો. હનુમાનજીના વ્રતમાં દિવસમાં એક વખત પ્રસાદ ગ્રહણ કરો અને બ્રહ્મચાર્યનું સંપૂર્ણ રીતે પાલન કરો.
હનુમાન જયંતી વ્રતનું ફળ
હિંદુ ધર્મમાં પવનપુત્ર હનુમાનજીને એક એવા દેવતા માનવામાં આવે છે જે શ્રદ્ધા અને વિશ્વાસની સાથે વ્રત, પૂજન અને સુમિરન કરવા પર જલ્દી પ્રસન્ન થાય છે. મહાવીર હનુમાન પોતાના ભક્તોની મુશ્કેલીઓ દૂર કરવા માટે એક અવાજમાં દોડી આવે છે.
હિંદુ માન્યતાઓ અનુસાર બજરંગબલી ભક્તોની પાસે ખરાબ શક્તિઓ ભટકવા નથી દેતા અને તે પોતાના દરેક જ્ઞાન-અજ્ઞાન શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે. હનુમાન જયંતીનું વિધિ-વિધાનથી વ્રત કરનાર ભક્તના ઘરમાં આખુ વર્ષ સુખ અને સૌભાગ્ય બની રહે છે.