નાણા મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મીઓને દિવાળીના તહેવારમાં વર્ષ 2021-22 માટે નોન પ્રોડકટીવીટી લિંકડ બોનસ (એડહોક બોનસ) આપવાની જાહેરાત કરી છે, જે અંતર્ગત બધા લાયક કર્મચારીઓને 30 દિવસના વેતન જેટલી રકમ મળશે.કેન્દ્ર સરકારના ગ્રુપ બી અને ગ્રુપ સી અંતર્ગત આવનારાએ બિનગેઝેટેડ કર્મચારી કે જેઓ કોઈ પ્રોડકટીવીટી લિંકડ બોનસ સ્કીમ અંતર્ગત નથી આવતા, તેમને પણ આ બોનસ આપવામાં આવશે.
એડહોક બોનસનો ફાયદો કેન્દ્રીય અર્ધ સૈનિક દળોના બધા યોગ્ય કર્મચારીઓને પણ મળશે.કેન્દ્ર સરકારમાં અસ્થાયી (કામચલાઉ) કર્મચારીઓને પણ થશે ફાયદો. આ પ્રકારના બોનસનો ફાયદો કેન્દ્ર સરકારના એ કર્મચારીઓ જ મળશે, જે 31 માર્ચ 2022માં સેવામાં રહ્યા છે. તેમણે વર્ષ 2020-22 દરમિયાન ઓછામાં ઓછા 6 મહિના સુધી સતત નોકરી કરી છે. આ ઉપરાંત એડહોક બોનસ માટે પાર્ટટાઈમ કર્મચારી પાત્ર નથી.
- Advertisement -
આ ઉપરાંત મોદી સરકાર કેન્દ્રના કર્મચારીઓના બાકી ડીએ એરિયર્સની ભેટ પણ આપી શકે છે. દિવાળી બાદ કેન્દ્રીય કર્મચારીઓના બાકી એરિયસને લઈને પણ ફેસલો લઈ શકે છે. મોદી સરકારે 28 સપ્ટેમ્બરે 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થુ વધારવાની જાહેરાત કરી છે. 18 મહિનાનું બાકી ડીએ એરિયસ મળી શકે છે. નવરાત્રીમાં સરકારે મોંઘવારી ભથ્થુ-ડીએમાં 4 ટકાનો વધારો કરી 38 ટકા કર્યુ છે.