ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.10
ગીર સોમનાથ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી વેરાવળ ખાતે થશે. જે અંગે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં તૈયારી અને આયોજન અંગે એક બેઠક યોજાઈ હતી. ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરી 2025 પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ વેરાવળમાં કે.સી.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ત્યારે જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી તૈયારી અને આયોજન અંગેની બેઠકમાં પ્રજાસત્તાક પર્વ ઉજવણી બાબતે વિવિધ અમલીકરણ સમિતિઓની રચના કરી કામગીરી ફાળવણી કરવામાં આવી હતી. સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટરએ મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, સ્ટેજ, ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમો, પાણીની વ્યવસ્થા, વીજ પુરવઠો તેમજ શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનપત્ર સહિતની વિવિધ કામગીરી વિશે ચર્ચા કરી હતી. પ્રજાસત્તાક પર્વનું સુનિયોજિત અને સુચારૂ રીતે આયોજન થાય તે માટે જિલ્લા કલેકટરએ ઉપસ્થિત સર્વે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.
વેરાવળમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે: કલેક્ટરની અધ્યક્ષતામાં તૈયારી-આયોજન અંગે બેઠક મળી
