તુલસીના ૧૮,૩૫૯ રોપાઓનું નિઃશુલ્ક વિતરણ
સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પ્રતિ વર્ષ રોપાઓનો ઉછેર તેમજ વિતરણ હાથ ધરવામાં આવે છે. નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદ રાધેક્રિશ્નનએ માહિતી આપતા કહ્યું હતું કે, ૭૨ માં વન મહોત્સવ હેઠળ રાજકોટ જિલ્લાની આશરે ૬૫ નર્સરીમાં ૨૪ લાખ ૧૯ હજાર જેટલા રોપા ઉછેર કરવામાં આવ્યા છે. જે પૈકી ૫,૦૦,૫૬૬ રોપાનું વેચાણ તેમજ વિતરણ થઈ ચૂક્યું છે.
- Advertisement -
તા.૧૫ જૂન સુધીમાં રાજકોટ જિલ્લામાં વિવિધ રેન્જ હેઠળ રાજકોટ ઉત્તરમાં ૯૮,૫૦૭, રાજકોટ દક્ષિણમાં ૨૬,૯૩૨, પડધરીમાં ૨૭,૩૧૭, જામકંડોરણામાં ૨,૬૫૬, વીંછીયામાં ૬,૭૩૮, કોટડા સાંગાણીમાં ૧૮,૨૨૩, જેતુપરમાં ૯,૪૯૭, ધોરાજીમાં ૧૯,૦૭૯ તેમજ ઉપલેટા રેન્જ ખાતે ૧૯,૪૮૦ રોપાઓનું વેચાણ થયું છે.
આયુર્વેદિક રોપામાં ખાસ કરીને તુલસીના ૧.૮૦ લાખ રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. જે પૈકી ૧૮,૩૫૯ રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હોવાનું નાયબ વન સંરક્ષક એ જણાવ્યું છે.