જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, તાજેતરમાં મોડી રાત્રિના સમયે ઠંડા પવનની સાથે ઠંડીનું પ્રમાણ વધવાથી લોકો થરથર ધ્રુજતા હોય છે. એવામાં જુનાગઢ શહેરના બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, ભવનાથ, સાબલપુર સહિતના જુદા જુદા વિસ્તારમાં ફરી રસ્તા પર ઠંડીથી ઠુઠવાતા અને ઝૂંપડામાં રહેતા હોય તેવા લોકોને ઠંડીથી રક્ષણ મળી રહે તેવા શુભ આશયથી ગરમ ધાબળા ઓનું વિતરણ કરીને લોકોને ઠંડીથી બચાવવા માટેનો નાનકડો એવો પ્રયાસ કરવામાં આવેલ હતો. આ સેવા કાર્યમાં ગિરનારી ગ્રુપના સભ્યશ્રીઓ શ્રી સમીરભાઈ દવે, સમીરભાઈ ઉનડકટ, સુધીરભાઈ રાજા, અક્ષિતભાઈ કુબાવત, કશ્યપભાઈ દવે, પરાગભાઈ ભુપ્તા, નમનભાઈ નરસાણા, ગૌરવભાઈ પોપટ, હરેશભાઈ કોરિયા, સુરેશભાઈ વાઢીયા, શુભભાઈ વાઢીયા, વેદુભાઈ બારૈયા સહિતના લોકોએ પોતાની સેવાઓ આપેલ હતી. તેમ યાદીના અંતે જણાવેલ હતું.
કડકડતી ઠંડીમાં ગિરનારી ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ગરમ ધાબળાનું વિતરણ

Follow US
Find US on Social Medias