By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    1 day ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    1 day ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    2 days ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    2 days ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી
    1 day ago
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    1 day ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    1 day ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    1 day ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    1 day ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    2 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    4 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    6 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    1 day ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    1 day ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    1 day ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    2 days ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સાત આરોપીએ કરેલી ડિસ્ચાર્જ અરજી રદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સાત આરોપીએ કરેલી ડિસ્ચાર્જ અરજી રદ
રાજકોટ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સાત આરોપીએ કરેલી ડિસ્ચાર્જ અરજી રદ

Khaskhabar Editor
Last updated: 2025/07/08 at 6:06 PM
Khaskhabar Editor 4 months ago
Share
5 Min Read
SHARE

ચાર્જશીટ થયા બાદ આરોપીએ બિનતહોમત છોડી મુકવા કોર્ટમાં અરજી દાખલ કરી હતી

આરોપી સામે કેસ ચલાવવા કોર્ટેનો ચુકાદો, 13 માસ બાદ હવે આગામી સમયમાં ટ્રાયલ શરૂ થશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનામાં પકડાયેલા મુખ્ય સૂત્રધાર મનસુખ સાગઠિયા સહિતના સાતેય આરોપીએ કેસમાંથી બિનતહોમત છોડી મૂકવા કરેલી ડિસ્ચાર્જની અરજી અદાલતે ફગાવી દીધી હતી અને તમામ સામે કેસ ચલાવવા ચુકાદો આપ્યો છે.
રાજકોટના નાનામવા રોડ પર બનેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનામાં કુલ 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ પૈકીના રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ મનસુખ ધનજી સાગઠિયા, ધવલ ભરત ઠક્કર, નીતિન મહાવીરપ્રસાદ લોઢા, ગૌતમ દેવશંકર જોશી, જયદીપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરસિંહ મકવાણા અને ભીખાભાઈ જીવાભાઈ ઠેબાએ પોતાને ડિસ્ચાર્જ કરી કેસમાં બિનતહોમત છોડી મૂકવા અદાલતમાં અરજી કરી હતી. આ કેસનું હિયરિંગ થતાં બચાવ પક્ષના વકીલોએ એવી દલીલો કરી હતી કે, આરોપીઓ નિર્દોષ છે અને તેઓની સામે પુરાવો ન હોવા છતાં પોલીસે ચાર્જશીટ કરી છે. સાક્ષીઓના નિવેદનમાં સત્યતા જણાતી નથી અને અમુક સાક્ષીઓએ પોતાની જાતને બચાવવા પાછળથી ઉભી કરેલી સ્ટોરીને સમર્થન કરતાં ખોટા નિવેદન લખાવ્યા છે. ત્યારે સામાપક્ષે સ્પેશિયલ પી.પી.તુષાર ગોકાણીએ એવી દલીલો કરી હતી કે, ડિસ્ચાર્જ અરજી નિર્ણિત કરતી વખતે અદાલત માત્ર મર્યાદિત રીતે પુરાવાનું મૂલ્યાંકન કરી શકે. આરોપીઓ તરફે શાહેદોની ઊલટતપાસ કર્યા વિના કે શાહેદ જણાવે છે તેના વિરુદ્ધની હકીકત પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી આરોપીઓ તરફે માત્ર દલીલમાં જણાવવાથી પ્રોસિક્યુશનની પુરાવાની વિશ્વસનીયતા પડકારી શકાય નહીં. ડિસ્ચાર્જ અરજીનો નિર્ણય કરતાં સમયે અથવા ચાર્જફ્રેમ કરતાં સમયે પ્રોસિક્યુશન તરફે રજૂ કરવામાં આવેલા નિવેદનો તેમજ દસ્તાવેજો વગેરે ધ્યાને લેતા ચાર્જફ્રેમ કરતો પૂરતો પુરાવો છે કે કેમ તેટલું જ જોવાનું રહે છે. આ કેસમાં ચાર્જ ફ્રેમ થઈ શકે તેટલો મજબૂત પુરાવો તપાસનીશ અમલદાર દ્વારા એકઠો કરી અદાલત સમક્ષ મૂકવામાં આવ્યો છે. આરોપીઓ તરફે કોઇપણ જાતનો પુરાવો રજૂ કર્યા વિના હાલના તબક્કે મૌખિક રીતે પુરાવાનું માત્ર પોતાની સગવડ અને સમજણ મુજબ અર્થઘટન કરી તેનું વિશ્લેષણ કરવા મિનિ ટ્રાયલને કાયદો સમર્થન આપતું નથી. પ્રોસિક્યુશન દ્વારા દરેક આરોપી વિરુદ્ધ દરેક કલમો હેઠળ ચાર્જફ્રેમ કરવો જોઈએ તેવી માગણી કરી નથી, પરંતુ જે આરોપીનો ગુનામાં જે રીતેનો સહભાગ છે તે મુજબ જ તેવી કલમો હેઠળ તેમની વિરુદ્ધ ચાર્જફ્રેમ કરવાની રજૂઆતો કરવામાં આવી છે. જે પ્રોસિક્યુશનની તટસ્થતાનો પુરાવો છે. પ્રોસિક્યુશનની દલીલો રજૂ થયેલા પુરાવા ધ્યાનમાં લઇ સેશન્સ કોર્ટે સોમવારે બપોરે સાતેય આરોપીઓની બિનતહોમત છોડી મૂકવાની અરજી ફગાવી દીધી હતી. હવે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીઓ વિરુદ્ધ કેસનું ટ્રાયલ ચલાવવાનો માર્ગ સાફ થઇ ગયો છે. આ કેસમાં ભોગ બનનારના પરિવાર વતી વકીલ તરીકે સુરેશ ફળદુ અને એન.આર.જાડેજા રોકાયા છે.

16 આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો
તા.25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ પર આવેલ ઝછઙ ગેમઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત થયા હતા અને 3 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. જે અંગે પોલીસે ફરિયાદી બની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં કુલ 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે. જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલીન ઝઙઘ મનસુખ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ જોષી, મુકેશ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીત વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી, રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો છે.

- Advertisement -

પૂર્વ ચીફ ફાયર ઓફિસરે
સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી
રાજકોટ ઝછઙ ગેમઝોન અગ્નિકાંડ કેસમાં રાજકોટ મનપાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી છે. આ પહેલા કાલાવડ રોડ ફાયર સ્ટેશનના પૂર્વ એસટીઓ રોહિત વિગોરાએ પણ સુપ્રીમમાં જામીન અરજી દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે આ આરોપીઓ છેલ્લા એક વર્ષથી રાજકોટ સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે બંદીવાન છે. આગઉ રાજકોટ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટે પણ આ બંનેની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી હતી જે બાદ હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા હવે આ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી સમયમાં સુનવણી હાથ ધરવામાં આવશે જેમાં કેસની વધુ સુનાવણી તા.17મી જુલાઈ રોજ રાખવામાં આવી છે.

કેસની ટ્રાયલ ચલાવવાનો રસ્તો સાફ થયો
આ સાથે જ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસનું ટ્રાયલ ચાલવાનું રસ્તો ચોખ્ખો થઈ ગયો છે. માટે આગામી સમયમાં કેસની અંદર ટ્રાયલ શરૂ કરવામાં આવશે. આ કેસમાં સરકાર તરફથી સ્પેશિયલ પી.પી. તુષાર ગોકાણી, આસિસ્ટન્ટ પીપી નિતેશ કથીરિયા તથા ભોગબનનાર પરિવાર વતી સુરેશ ફળદુ અને એન. આર. જાડેજા રોકાયા છે.

You Might Also Like

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો

રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા

રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે

TAGGED: Rajkot, Rajkot TRP Game Zone
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વાડિનારની જેટીમાં ચાલું વરસાદે ઊંટ તણાઇ આવ્યા
Next Article નુરાનીપરાની બેલડીએ ખડકેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેતી પોલીસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ
રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા
રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?