તંત્ર એ માત્ર નોટિસ આપી: લીલાશાહ શોપીંગ સેન્ટરના ટ્રસ્ટીઓ ઘોર નિંદ્રામાં
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
વેરાવળ એસ.ટી રોડ ધમધમતો રોડ છે. અહીં 24 કલાક ટ્રાફિક રહે છે. એસ.ટીની બાજુમાં આવેલ લીલાશાહ નગરનો બે માળનો શોપીંગ સેન્ટર અતિ જર્જરિત થઈ ગયો છે.શોપીંગ સેન્ટરનાં ટ્રસ્ટીઓએ દ્વારા અડધા શોપીંગ સેન્ટરની મરામત કરી દીધી હતી પરંતુ અડધુ શોપીંગ સેન્ટર હજુ પણ બિસમાર હાલતમાં છે.તેવામાં ગઈ કાલે બુધવારે સાંજે 5 કલાકે માધવરાય પરોઠા હાઉસ નજીકનો ઉપરનો બીજો માળનો રવેશ જોરદાર રીતે કડડભૂસ થઈ જતા રોડ પર પથ્થરો પડ્યા હતા.સદનસીબે કોઈ રોડ પર હાજર ન હોય જાનહાનિ ટળી હતી. નગરપાલિકા તંત્ર દ્વારા નોટિસ આપી ને કેટલાક દિવસ પહેલા સંતોષ માની લીધો છે. આજે રવેશ પડતા ચીફ ઓફિસરને ટેલિફોનીક જાણ કરી હતી જેથી નગરપાલિકામાંથી કર્મચારીને મોકલેલ જે ફોટો પાડી ગયા હતા અને અમારી પાસે ટેકનિકલ અને ક્વોલિફાઇડ સ્ટાફ નથી એટલે તમારે સ્વખર્ચે એક કે બે દિવસમાં બિસમાર માળ હટાવી લેશો તેમ તાકીદ કરી હતી. ત્યારે આજે તો જાનહાનિ થઈ નથી પરંતુ હજુ વરસાદી માહોલ હોય અને અત્યંત બિસમાર હાલતમાં બીજો ને પહેલો માળ હોય તે કોઈની માથે પડે અને જાનહાનિ થાય તેને રાહ ન જુએ અને તાત્કાલિક ધોરણે બિસમાર રવેશ અને બાંધકામ દૂર કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.