પાલિકાએ સફાઈનું નાટ્યતમક અભિયાન ચલાવ્યું પરંતુ નદીની સફાઈ થઈ નહીં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
ઝાલાવાડની ભોમકા અનેક ખમીરવંતા ઇતિહાસ છુપાયેલા છે અહીં દરેક દેવસ્થાન સાથે પૌરાણિક ઇતિહાસ છુપાયેલા છે ત્યારે એક સમયે ધ્રાંગધ્રા શહેરની ફલકુ નદીને ઝાલાવાડની કુંવારી અને પવિત્ર નદી માનવામાં આવતી હતી પરંતુ આજે આ નદીની દુર્દશા ખુબ જ દયનીય નજરે પડે છે ઇતિહાસમાં ધ્રાંગધ્રા શહેરની પવિત્ર નદીને કુંવારી માનવાની માન્યતા એટલા માટે હતી કે અહીંની નદી અન્ય કોઈ જવાયો કે તળાવ સાથેનું મિલન હતું નહીં જેથી આ સાથે વર્ષો પૂર્વે ફલકુ નદીના કાઠે આવેલા ભગવાન શિવ એટલે કે જડેશ્વર મહાદેવના મંદિર પાસે અવસાન થયેલ મૃતકોના પરિવારજનો હિન્દુ શાસ્ત્ર મુજબ પિતૃ તર્પણ વિધિ માટે આવતા હતા પરંતુ સમય ગયો અને રાજ્યમાં વિકાસશીલ સરકાર આવતાની સાથે દરેક ગ્રામ્ય અને શેરી વિસ્તારોને વિકાસની હરણફાળ પ્રગતિના આવરી લેવાયા હતા તેની સાથે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પણ ભૂગર્ભ ગટરો નાખવાની કામગીરી કરાઈ હતી જોકે પાલિકાની આ કામગીરી કેટલાક અંશે લોકો માટે આશીર્વાદ સમાન હતી પરંતુ અહીં જે ભૂગર્ભ ગટરોની લાઈનો નાખવામાં આવી તે ગટરનું પાણી પવિત્ર ગણાતી ફલકુ નદીમાં ઠાલવવામાં આવતું હતું.
- Advertisement -
જેના લીધે ગટરનું પાણી પવિત્ર નદીમાં જતા નદી અપવિત્ર થઈ ગઈ હતી. ત્યારે હાલમાં જ વિશ્વ પર્યાવરણ દિન પખવાડિયા અંતર્ગત કાર્યક્રમોમાં ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ફલકુ નદીને સાફ કરવા માટેના તાયફા કર્યા હતા જેમાં નદીના કિનારે થોડા અંગે સફાઈ કરી ફોટો સેશન કરી નદીને સફાઈ કરી હોવાની જાહેરાત કરી હતી પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે ખરેખર વિશ્વ પર્યાવરણ દિન પખવાડી અંતર્ગત સરકારી કાર્યક્રમોમાં નાટ્યતમક નદી સફાઈ દર્શાવી હતી અને અપવિત્ર નદીની સ્થિતિ તો પહેલાની માફક જ રહી ગઈ છે. ત્યારે આ પવિત્ર નદીને સફાઈ કરવા માટે અનેક સિનિયર સિટીઝન અને જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકાને રજૂઆત કરીને થાક્યા છતાં આજદિન સુધી પાલિકાને માત્ર નાટ્યાત્મક સરકારી કાર્યક્રમોમાં રસ હોય તેમ નદીની હાલત અતિ દયનીય બની રહી છે.