જૂનાગઢ વીજ કચેરીને તાળા બંધીની ચીમકી : ઉગ્ર રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં PGVCL દ્વારા ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યાં છે. જિલ્લામાં વીજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન થઇ ગયા છે.આજે જૂનાગઢ વીજ કચેરી સામે ધરણા કરી ઉગ્ર રજુઆત કરી હતી. જૂનાગઢ જિલ્લામાં વીજ ધાંધિયા વધી ગયા છે. ખેડૂતોને પુરતો વીજ પુરવઠો મળતો નથી. પરિણામે ઉનાળુ વાવતરમાં ફટકો પડી રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતોને દિવસે લાઇટ આપવામાં આવતી નથી. રાત્રીનાં પાવર આપવામાં આવતો હોય ખેડૂતમાં નારાજી જોવા મળી રહી છે. સરકારનો પરિપત્ર હોવા છતા જંગલ બોર્ડનાં ગામડામાં રાત્રે વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે.
અંતે કંટાળેલા ખેડૂતો જૂનાગઢ PGVCL કચેરીએ એકઠા થયા હતાં અને ધરણા પર બેસી ગયા હતાં. ભારતીય કિશાન સંઘની આગેવાનીમાં ખેડૂતો ધરણા પર બેસી ગયા હતાં. તેમજ શર્ટનાં બટલ ખોલી વીજ કચેરીએ સુત્રોચ્ચા કર્યાં હતાં. તેમજ વીજ ધાંધિયાને લઇ ઉગ્ર રજુઆત કરી હતી અને ચાર દિવસમાં વીજ પુરવઠો યોગ્ય કરવામાં નહી આવે તો પીજીવીસીએલ કચેરીને તાળા બંધી કરવામાં આવશે. આ તકે કિશાન સંઘનાં મનસુખભાઇ પટોડીયા સહિતનાં હાજર રહ્યાં હતાં.