8માં પગાર પંચ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓની લોટરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે વર્ષ 2026ની શરૂઆત સારા સમાચાર સાથે થઈ છે. ઔદ્યોગિક શ્રમિકો માટેના ગ્રાહક ભાવ સૂચકાંક (અઈંઈઙઈં-ઈંઠ) ના ડિસેમ્બરના આંકડા જાહેર થયા બાદ હવે મોંઘવારી ભથ્થા (ઉઅ) માં વધારો થવો નિશ્ર્ચિત જણાઈ રહ્યો છે.
શ્રમ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા નવેમ્બર 2025 ના અઈંઈઙઈં-ઈંઠ ના આંકડા 148.2 પર પહોંચી ગયા હતા. છેલ્લા 12 મહિનાના સરેરાશ ઇન્ડેક્સના આધારે ગણતરી કરતા મોંઘવારી ભથ્થું 59.93% ની આસપાસ પહોંચ્યું હતું. ડિસેમ્બરના આંકડાઓ પણ સામાન્ય રહેતા હવે તે 60% ની સપાટી વટાવી ચૂક્યું છે. સરકાર હંમેશા પૂર્ણાંકમાં ઉઅ જાહેર કરતી હોવાથી, કર્મચારીઓને જાન્યુઆરી 2026થી 60% ના દરે મોંઘવારી ભથ્થું મળવું લગભગ નક્કી છે.
સામાન્ય રીતે દર દસ વર્ષે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે. 7માં પગાર પંચનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોવા છતાં, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (ઉઅ) અને મોંઘવારી રાહત (ઉછ) માં વધારો અટકશે નહીં. સરકાર નવી ભલામણો લાગુ ન થાય ત્યાં સુધી અગાઉની વ્યવસ્થા મુજબ જ દર છ મહિને (જાન્યુઆરી અને જુલાઈ) આ વધારો કરવાનું ચાલુ રાખશે.



