જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા આરદેશણાએ અગાઉ પોતાની આસિસ્ટન્ટ લાઈબ્રેરિયનની ખાલી પડેલી જગ્યાએ સુનિલ દેત્રોજાને રોજમદારમાંથી ઉઠાવી ઘુસાડી દીધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મનપા રાજકોટની જનતાની સુખાકારી અને પુસ્તકો પ્રત્યે રૂચિ જળવાઈ રહે તે હેતુથી 10થી 12 જેટલી લાઈબ્રેરીઓ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે પરંતુ તેમાં કાર્યરત સ્ટાફ તેટલો જ નિમ્ન જ્ઞાન ધરાવતો મુકેલ છે.
અહીં જોવામાં આવે તો વાત મનપાની શ્રોફ રોડ ઉપર આવેલી દતોપંત ઠેગડી પુસ્તકાલયની જેમાં મુખ્ય અધિકારી મનપાની બધી લાઈબ્રેરી વચ્ચે છાપેલા એકમાત્ર ચીફ લાઈબ્રેરિયન આરદેશણા જેની પાસે પણ મનપાના 5થી વધુ બ્રાંચના હવાલા સોપવામાં આવ્યા છે તે ભાગ્યે જ લાઈબ્રેરી હાજર રહે છે એટલે આ લાઈબ્રેરીનું સંચાલન સુનીલ દેત્રોજા કરે છે જેને જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા આરદેશણાએ અગાઉ પોતાની આસીસ્ટન્ટ લાઈબ્રેરિયનની ખાલી પડેલી જગ્યાએ રોજમદાર માથી ઉઠાવી ઘુસાડી દીધા અને એટલાથી અટકેલું નથી ખાસ ડેપ્યુટી લાઈબ્રેરિયનની જગ્યા ઉભી કરી ગોઠવી દીધા. આ સુનીલ ને પુસ્તકો અને અંગ્રેજી વિષયમાં જરાપણ જ્ઞાન છે નહીં તો કઈ રીતે ડેપ્યુટી લાઈબ્રેરિયન?
આ લાઈબ્રેરીમાં સાહિત્યલક્ષી કોઈ જ કાર્યક્રમો કરવામાં આવતા નથી. જ્યારે બે મોટા વાંચકો અને પુસ્તક પ્રેમી ભાજપના રાજકીય વ્યક્તિ આ વોર્ડના કોર્પોરેટર છે જેમાનાં મનિષ રાડીયા પ્રખર વાંચક લોકો માથી એક છે તેવી રીતે ધારાસભ્ય ડો. દર્શિતા શાહ પણ નિયમિત લાઈબ્રેરીની મુલાકાત લેતા રહે છે તેમનું નિવાસસ્થાન પણ આ લાઈબ્રેરીથી માત્ર 200 મીટરના અંતરે આવેલું છે આ લોકો અવારનવાર સુનીલને સાહિત્યના કાર્યક્રમો કરવા માટે અનુરોધ કરેલ પણ સુનીલનું માનવું છે આપણે બે કાન આપ્યા છે એકથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખો. અને આ લોકો સૂચના આપી જાય એટલે તેમની હાસ્યાસ્પદ પટ્ટી ઉતારવામાં આવે છે. અંતે આ બધી વાતોથી કંટાળી ડો. દર્શિતા શાહ પોતાનો જન્મદિવસ ઉજવવાની ભાગરૂપે લાઈબ્રેરીમા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું જેથી લોકોના ધ્યાનમાં લાઈબ્રેરી આવે તેમાં પણ આ લોકોની નબળી માનસિકતા લીધે સાવ ઓછી બ્લડ બોટલો એકઠી થઈ અને ધારાસભ્ય હાસ્યનું પાત્ર બન્યા.
ત્યારબાદ જાગૃત કોર્પોરેટર દેવાંગ માંકડ આ લાઈબ્રેરી મુલાકાતે ગયા ત્યારે પણ તેઓએ ટકોર કરી કે લાઈબ્રેરીમાં બ્લડ ડોનેશન કેમ્પ કરતા સાહિત્યના કાર્યક્રમો કરો. પરંતુ સુનીલ પોતે જ કોઈ જ્ઞાન ધરાવતા ન હોય શું આયોજન કરે. આ બાબતે વાચકો દ્વારા આરદેશણાનો સંપર્ક કરી સુનીલ અંગે પૂછપરછ કરતાં તેમણે જણાવ્યુ કે સુનીલને ભલે પેલા અંગ્રેજી આવડતું ન હતું પણ તે માટે તેણે અંગ્રેજીના ક્લાસ ભર્યા છે પણ હકીકતમાં અંગ્રેજીના ક્લાસ ભર્યા છે કે ગ્લાસ ભર્યા છે તે તપાસનો વિષય છે.
લાઈબ્રેરી શરૂ કરવામાં આવી ત્યારે જ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણી આનુ સંચાલન રોટરી કલબને સોંપવા માંગતા હતા કેમકે તેમને આ લોકોની માનસિકતા અંગે ખ્યાલ હતો પરંતુ મનપા પોતે જ સંચાલન કરશે તેવી જાહેરાત કરવામાં આવી.
શ્રોફ રોડ લાઈબ્રેરીમાં કામ કરતા પટાવાળા દિલો અને સુનીલ આ લાઈબ્રેરીમાં અનેક કારનામા કર્યા છે જેમાં ડેપ્યુટી કલેકટરની પત્ની જોડે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવા બદલ બહુ મોટી સમસ્યા સર્જાઈ હતી અને બે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓએ નોકરી ગુમાવી હતી. સાચા અર્થમાં તો મનપા કમિશનર ઊંડો રસ લઈ તપાસ હાથ ધરવામાં આવે અને હવે જ્યારે લાઈબ્રેરી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવે ત્યારે ત્યાં કામ કરતા આવા બિન અનુભવી લોકોને પણ પરીક્ષા ફરજીયાત આપવા હુકમ કરે તો સચ્ચાઈ સામે આવે.
- Advertisement -
સુનીલ ને પુસ્તકો અને અંગ્રેજી વિષયમાં જરાપણ જ્ઞાન છે નહીં તો કઈ રીતે ડેપ્યુટી લાઈબ્રેરિયન?



