By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    1 day ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    2 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    2 days ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    2 days ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    2 days ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    2 days ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    2 days ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    3 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    2 days ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    4 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    4 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    4 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    2 days ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    4 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    5 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    1 week ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 days ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 days ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    3 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    3 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    6 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    1 week ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    1 week ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    1 week ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉમિયાધામ સિદસરમાં તા. 25થી 29 ડીસે. શ્રી 1। શતાબ્દી મહોત્સવની ઉજવણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ઉમિયાધામ સિદસરમાં તા. 25થી 29 ડીસે. શ્રી 1। શતાબ્દી મહોત્સવની ઉજવણી
રાજકોટ

ઉમિયાધામ સિદસરમાં તા. 25થી 29 ડીસે. શ્રી 1। શતાબ્દી મહોત્સવની ઉજવણી

Khaskhabar Editor
Last updated: 2024/12/17 at 5:05 PM
Khaskhabar Editor 10 months ago
Share
8 Min Read
SHARE

મહોત્સવના પ્રારંભે મા ઉમિયાના 125માં પ્રાગટ્ય વર્ષ નિમિત્તે 1250 બાળાઓ-કુંવારિકાઓનું પૂજન થશે

સિદસર ખાતે યોજાનાર શ્રી 1। શતાબ્દી મહોત્સવ અંગે ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, ટ્રસ્ટી કૌશીકભાઈ રાબડીયા, રમેશભાઈ રાણીપા તથા શ્રી 1। શતાબ્દી મહોત્સવ પ્રેસ મીડિયા સમિતિના મંત્રી રજનીભાઈ ગોલે આજે સાંધ્ય દૈનિક ‘ખાસ-ખબર’ની મુલાકાત લઈ વિવિધ માહિતીઓ આપી હતી

- Advertisement -

રાજકોટ-અમદાવાદ જેવા મહાનગરોમાં અદ્યતન શૈક્ષણિક સંકુલોના નિર્માણ કરવાની નેમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સિદ્ધ તપોભૂમિ આલચ પર્વતમાળાની ગોદમાં પવિત્ર વેણુ નદીના તટે, પાટીદારોની આસ્થા-શ્રદ્ધાનું કેન્દ્રસ્થાન એટલે ઉમિયાધામ સિદસર આગામી તા. 25થી 29 ડીસેમ્બર 2024 દરમિયાન જગત જનની મા ઉમિયાના પ્રાગટ્યના 125 વર્ષ નિમિત્તે 5 દિવસીય પ્રાગટ્ય ઉત્સવ શ્રી 1। શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. પાંચ દિવસના મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મહોત્સવમાં કૃષિ, યુવા, મહિલા, કર્મયોગી, સામાજિક સમરસતા, ઉદ્યોગ-વેપાર, શૈક્ષણિક, ડોક્ટર્સ-પ્રોફેશનલ્સ સંમેલનો યોજાશે.‘મા ઉમિયાની આરાધના થકી સરસ્વતીની સાધના’ અંતર્ગત અદ્યતન શૈક્ષણિક સંકુલોના નિર્માણનો સંકલ્પ

21મી સદી જ્ઞાનની સદી મનાય છે. આજથી લગભગ 90 વર્ષ પહેલાં પાટીદાર સમાજના દીર્ઘદૃષ્ટા વડીલોએ વિદ્યાર્થી આશ્રમો, બોર્ડીંગો, છાત્રાલયો બનાવી પાટીદાર સમાજની પ્રગતિ, સમૃદ્ધિ અને સમાજ વ્યવસ્થાને વેગ આપ્યો હતો. જ્યારે આવનારી ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજકોટ-અમદાવાદ જેવા મહાનગરોમાં શૈક્ષણિક સંકુલોનું નિર્માણ કરવાની નેમ ઉમિયાધામ સિદસર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં રૂા. એકસો પચીસ કરોડ તથા બીજા તબક્કામાં એકસો પચીસ કરોડ થકી કુલ બસો પચાસ કરોડના ખર્ચે બે શૈક્ષણિક પ્રોજેક્ટો હાથ ધરાયા છે ત્યારે સમાજના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ડોકટર, એન્જિનીયર, પ્રોફેસર સહિતના તમામ વર્ગને નૈતિક ફરજના ભાગરૂપે આ યોજનામાં આર્થિક અનુદાન આપવા માટે ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, સમૃદ્ધિ યોજનાના ચેરમેન બી. એચ. ઘોડાસરા, મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ગોવિંદભાઈ વરમોરા, જગદીશભાઈ કોટડીયા, ચિમનભાઈ શાપરીયા સહિતના હોદ્દેદારો દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -

‘માનું તેડું’ આમંત્રણ પત્રિકા સાથે માતાજીની હુંડીને વધાવતા પાટીદાર પરિવારો
પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે આગામી 25થી 29 ડીસેમ્બર યોજાનારા 5 દિવસના શ્રી 1। શતાબ્દી મહોત્સવમાં સહર્ષ સામેલ થવા સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશ-વિદેશમાં રહેતા અઢી લાખ પરિવારનો ‘માનું તેડું’ કંકોત્રીરૂપે આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના જિલ્લા-તાલુકા-ગ્રામ્ય લેવલે ઉમિયા પરિવાર સંગઠન સમિતિના કાર્યકરો દ્વારા માની કંકોત્રી કડવા પાટીદાર પરિવારના ઘેર-ઘેર જઈ વિતરણ કરવામાં આવી રહી છે. આ સાથે પરિવારની સમૃદ્ધિ અને સુખાકારીના આશિષ પાઠવતી માતાજીની હુંડી પણ સ્વૈચ્છિક રીતે વિતરિત થશે. ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર દ્વારા સમૃદ્ધિ યોજના-3 હેઠળ નિર્માણાધીન શૈક્ષણિક સંકુલોના નિર્માણમાં સહભાગી થવા આર્થિક યોગદાન માટે હુંડી બનાવવામાં આવી છે. શ્રી 1। શતાબ્દી મહોત્સવના નિમંત્રણ ‘માનું તેડું’ સાથે હુંડીને વધાવી લેવા પાટીદાર પરિવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ સહિતના સૌરાષ્ટ્રભરના કડવા પાટીદાર પરિવારમાં જે તે જિલ્લા- તાલુકા- ગ્રામ્ય લેવલે સંગઠન સમિતિના સભ્યો દ્વારા માનું તેડું કંકોત્રી સ્વરૂપે આમંત્રણ પત્રિકાની સાથોસાથ સમાજના દરેક વર્ગના લોકોને સાંકળવાના આશય સાથે જગત જનની મા ઉમિયાના 125માં પ્રાગટ્ય મહોત્સવ અવસરે યથાશક્તિ હુંડી યોગદાનની અપીલ સાથે રૂપિયા પચીસ સોની બ્રોન્ઝ હુંડી, પાંચ હજારની સિલ્વર હુંડી, અગીયાર હજારની ગોલ્ડ હુંડી, પચીસ હજારની ડાયમંડ હુંડી, પચાસ હજારની પ્લેટીનમ હુંડીનું સ્વેચ્છાએ વિતરણ કરવામાં આવશે. સમાજના તમામ પરિવારો, વ્યાપારી તથા નોકરિયાત મિત્રોને આ હુંડી સ્વીકારી માના ચરણોમાં યથાશક્તિ યોગદાન નોંધાવવા મહોત્સવના હોદ્દેદારો આયોજકો દ્વારા આહવાન કરાયું છે.
શ્રી 1। શતાબ્દી મહોત્સવમાં જગદંબા શક્તિ સ્વરૂપે 1250 બાળાઓનું પૂજન કરાશે

ઉમિયાધામ સિદસરના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, ટ્રસ્ટી કૌશીકભાઈ રાબડીયા, રમેશભાઈ રાણીપા, ચંદુભાઈ ખાનપરાએ જણાવ્યું હતું કે સિદસર ખાતે મા ઉમિયાના 125માં પ્રાગટ્ય નિમિત્તે યોજાનાર 1। શતાબ્દી મહોત્સવમાં સાક્ષાત આદ્યશક્તિ મા જગદંબા સ્વરૂપ 5થી 12 વર્ષ સુધીની 1250 જેટલી નાની બાળાઓ- કુમારિકાઓનું વિધિવત કંકુ-ચોખાથી પૂજન તથા આરતી કરવામાં આવશે. આ મહોત્સવમાં ભવ્ય યજ્ઞશાળામાં દરરોજ 25 કુંડી યજ્ઞનું આયોજન કરાયું છે.પાંચ દિવસીય મહોત્સવ દરમિયાન તા. 25ના સવારે મહોત્સવના ઉદ્ઘાટક તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. બપોરે 3-30 કલાકે યુવા સંમેલનમાં અધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા તેમજ મુખ્ય વક્તા તરીકે લેખક જય વસાવડા ઉપસ્થિત રહેશે. તા. 26ના રોજ સવારે 9 કલાકે કૃષિ સંમેલનમાં અધ્યક્ષ તરીકે સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, ઉદ્ઘાટક તરીકે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્ય મહેમાન તરીકે મંત્રી રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત રહેશે.

બપોર બાદ સામાજિક સંમેલનમાં અધ્યક્ષ તરીકે ઉંઝાના પ્રમુખ બાબુભાઈ પટેલ, મુખ્ય વક્તા તરીકે સાંસદ પરસોતમભાઈ રૂપાલા, મુખ્ય મહેમાન મહાપ્રદ્મ દાતા જીવનભાઈ ગોવાણી ઉપસ્થિત રહેશે. તા. 27ના રોજ સવારે 9 કલાકે મહિલા સંમેલનમાં આણંદબાવા આશ્રમના મહંત દેવપ્રસાદજી તથા ગાયત્રી આશ્રમના લાલબાપુ આશીર્વચન પાઠવશે. બપોર બાદ સમરસતા સંમેલનમાં અધ્યક્ષ તરીકે મહાપ્રદ્મ દાતા ધનજીભાઈ પટેલ, મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સેવક સંઘના રવિન્દ્ર કિરકોડેજી, મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ગોંડલ સ્ટેટના જયોર્તિમયસિંહજી જાડેજા, ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મહેશભાઈ જીવાણી, ડો. જયંતિભાઈ ભાડેસિયા ઉપસ્થિત રહેશે. તા. 28 ને સવારે કર્મયોગી સંમેલનમાં અધ્યક્ષ તરીકે પૂર્વ કલેકટર બી. એચ. ઘોડાસરા તથા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા આશીર્વચન પાઠવશે. બપોર બાદ ઉદ્યોગપતિ સંમેલનમાં સમારોહના અધ્યક્ષ તરીકે જગદીશભાઈ કોટડીયા, મહાપ્રદ્મ દાતા જયસુખભાઈ પટેલ, ઉદ્ઘાટક તરીકે કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહેશે. તા. 29ના રોજ શૈક્ષણિક સંમેલનમાં અખિલ ભારતીય સંઘના ડો. પરમાત્માનંદ સરસ્વતીજી આશીર્વચન પાઠવશે. મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ જગતના ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, આર. જી. ધમસાણીયા, કિરણભાઈ પટેલ, ડો. વી. બી. ભેંસદડીયા ઉપસ્થિત રહેશે. બપોર બાદ ડોક્ટર્સ પ્રોફેશનલ સંમેલનમાં અધ્યક્ષ તરીકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, વક્તા તરીકે અનિશ ચંદારાણા, મુખ્ય મહેમાન તરીકે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, કિરણ હોસ્પિ. સુરતના મથુરભાઈ સવાણી, કેપીએસએનએના ડો. ભાણજીભાઈ કુંડારીયા ઉપસ્થિત રહેશે. આશરે 600 વિઘા જમીનમાં આયોજિત શ્રી 1। શતાબ્દી મહોત્સવની વિવિધ તૈયારીઓને સુચારૂ ઢબે જોરશોરથી ચાલી રહી છે.

મહોત્સવના હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ આશરે 108થી વધુ વિવિધ સમિતિઓ જહેમત ઉઠાવી રહી છે.ઉમિયાધામ સિદસર ખાતે ત્રણ યાદગાર અને અવિસ્મરણીય મહોત્સવ થકી કુળદેવી મા ઉમિયાના સાનિધ્યમાં ભક્તિની શક્તિ સાથે સમાજના ઉત્કર્ષ અને ઉત્થાન માટે આગામી તા. 25થી 29 ડીસેમ્બર 2024 આશરે 600 વિઘા જમીનમાં મા ઉમિયા માતાજીનો 125મો પ્રાગટ્ય મહોત્સવ રંગેચંગે ઉજવાશે.ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે આગામી તા. 25થી 29 ડીસેમ્બર 2024માં મા ઉમિયા પ્રાગટ્યની 125માં વર્ષની ઉજવણી નિમિત્તે સવા શતાબ્દી મહોત્સવના પ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણીની વરણી કરવામાં આવી છે. રૂા. 1.51 કરોડ જેવી માતબર રકમનું દાન આપી સિદસરના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા તથા ઉદ્યોગપતિ પુનીતભાઈ ચોવટીયા શ્રી સવા શતાબ્દી મહોત્સવના મુખ્ય યજમાન બન્યા છે. આ ઉપરાંત સહયજમાન તરીકે રૂા. 51 લાખનું દાન આપનાર જીવનભાઈ ગોવાણી તથા બીજા સહયજમાન તરીકે ધનજીભાઈ માકાસણાએ 51 લાખનો સહયોગ નોંધાવ્યો છે. ત્રીજા સહયજમાન તરીકે વસંત બિલ્ડર્સના મુળજીભાઈ ભીમાણી, મનસુખભાઈ ભીમાણી, વસંતભાઈ ભીમાણી, ચોથા સહયજમાન તરીકે એન્જલ ગ્રુપના શિવલાલભાઈ આદ્રોજા, અશ્ર્વિનભાઈ આદ્રોજા, કિરીટભાઈ આદ્રોજા, જીજ્ઞેશભાઈ આદ્રોજા તરફથી 51 લાખનો સહયોગ પ્રાપ્ત થયો હતો. મહોત્સવના અન્નપૂર્ણા દાતા તરીકે રૂા. 25 લાખનું દાન આપી નંદલાલભાઈ માંડવીયા, રાજેન્દ્રભાલ પરસાણીયા, મયુરભાઈ પરસાણીયા, મહોત્સવના ભોજનાલય દાતા તરીકે મગનભાઈ જાવીયા, મનસુખભાઈ પાણ, ગોવિંદભાઈ વરમોરા સનહાર્ટ ગ્રુપ, દુર્લભજીભાઈ રંગપરીયા, સ્વ. રવિલાલ રંગાણી (મુંબઈ), ત્રિભોવનભાઈ વાંસજાળીયા, રાજેશભાઈ કાલરીયા, હરેશભાઈ પરવાડીયા, શૈલેષભાઈ વૈષ્નાણી, એમ. એમ. પટેલ, વિનોદભાઈ રબારા, જીવરાજભાઈ વરમોરા પરિવાર તેમજ મહોત્સવના ભોજનાલય સહદાતા તરીકે રૂા. 5 લાખનું દાન આપી રેડ સ્ટોન ગ્રેનાઈટ, અરવિંદભાઈ જીવાણી, ચંદુભાઈ ખાનપરા, વિનુભાઈ મણવર, કાંતીભાઈ માકડીયા, પ્રભુદાસભાઈ કણસાગરા, સવિતાબેન ફળદુ, શિલ્પન બિલ્ડર્સ, ચિમનભાઈ શાપરીયા, ચંદ્રેશભાઈ માકાસણા, પ્રવિણભાઈ પાડલીયા, સંજયભાઈ કોરડીયા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, પ્રભુદાસભાઈ ભેંસદડીયા, અંકુરભાઈ ભાલોડીયા, નરોત્તમભાઈ કણસાગરા, જયેશભાઈ જાવીયા, દિલીપભાઈ ધરસંડીયા, ધીરુભાઈ ડઢાણીયા, શ્યામલ બિલ્ડર્સ, એન. ડી. પટેલ, બી. એચ. ઘોડાસરા, અરવિંદભાઈ ફળદુનો સહયોગ પ્રાપ્ત થયો છે.

 

You Might Also Like

દિવાળીની પૂજામાં કયા કપડાં ન પહેરવા જોઈએ? માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના નિયમો જાણો

ST વિભાગના તમામ કર્મચારીઓને ‘તહેવાર પેશગી એડવાન્સ’ તરીકે રૂ. 10,000 અપાશે

દિવાળી મિની વેકેશનમાં રાજકોટ અને તેની આસપાસ ફરવાલાયક સ્થળો…

રાજકોટનાં યુવાન કર્મ ભટ્ટએ ચિંધ્યો નવો રાહ સગા-સંબંધી, મિત્રોનાં નામે ગરીબ બાળકોને દિવાળી સેલિબ્રેશનની કીટ આપી!

રાજકોટમાં 5 હંગામી ફાયર સ્ટેશન ઊભા કરાયા, 445 કર્મચારી નવા વર્ષની સવાર સુધી ખડેપગે રહેશે

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાત છેલ્લાં 2 વર્ષથી ભારતનું શ્રેષ્ઠ કપાસ ઉત્પાદક રાજ્ય
Next Article મનપાના ફૂડ વિભાગે ખાદ્યચીજના 20 નમૂનાની સ્થળ પર તપાસ કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

દિવાળીની પૂજામાં કયા કપડાં ન પહેરવા જોઈએ? માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના નિયમો જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

ST વિભાગના તમામ કર્મચારીઓને ‘તહેવાર પેશગી એડવાન્સ’ તરીકે રૂ. 10,000 અપાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

દિવાળી મિની વેકેશનમાં રાજકોટ અને તેની આસપાસ ફરવાલાયક સ્થળો…

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?