પોલીસે 9 સાગરીતોની ધરપકડ કરી રાજકોટની સ્પેશિયલ કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા
માસ્ટર માઈન્ડ દશરથ ધાંધલ્યા હજુ ફરાર; 134 ખાતામાં ₹21 કરોડના ટ્રાન્જેક્શન બાદ 10 સામે ‘ગુજસીટોક’
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભાવનગરમાં શખસોએ ટોળકી રચી જુદા જુદા 134 વ્યક્તિઓના બેંક ખાતા ભાડેથી કે કમિશનથી મેળવી તેમાં રૂા. 21.37 કરોડના ટ્રાન્જેક્શન કરી બેંક ખાતામાં ફ્રોડના નાણા જમા કરાવી ચેક કે એટીએમ મારફતે ઉપાડી સગેવગે કરી નાખ્યા હતાં.
જે મામલે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ઉક્ત કેસમાં ગુજસીકોટનો ઉમેરો કરી 10 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે 9 આરોપીને ઝડપી પાડી રાજકોટ ગુજસીકોટ કોર્ટમાં રજુ કરી 2 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતાં. જ્યારે હજુ માસ્ટર માઈન્ડ ફરાર હોવાનું જાણવા મળ્યું હતું.
ભાવનગર જીલ્લામાં દશરથ રામજીભાઈ ધાંધલ્યાએ અલગ અલગ સંગઠીત ગુના આચરતી ટોળકી (તુક્ષમશભફયિં) બનાવી જુદા-જુદા વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટ ભાડે અથવા કમિશનથી મેળવ્યા હતાં. જે બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણા હોવાનું જાણવા છતાં કુલ 134 બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરી રૂ. 21,37,22,197 કે તેથી વધુનું ટ્રાન્જેકશન કર્યા હતાં.
જેમાં ગઈછઙ પોર્ટલ પર કુલ કમ્પ્લેઈન 272ની થયેલ જેમાં કુલ રૂ. 8,11,81,246નું ફ્રોડ ટ્રાન્જેક્શન કરી બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવી જે નાણા ચેક તથા એટીએમ મારફતે ઉપાડી ફ્રોડ કરીને રકમ સગેવગે કરી નાખી હતી. બોરતળાવ પોલીસ મથકના પીઆઈ ચૌહાણે ફરીયાદ આપતા ગેંગ વિરુધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 317(2), 317(4), 61(2) તથા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ-2015ની કલમ કલમ.3(1), 3(2), 3(4), 3(5)હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.
ટોળકીના સભ્યો આર્યન ઉર્ફે લખન શોભરાજભાઈ જોસેતા, શૈલેષ ઉર્ફે ભુરો હિરાભાઈ ચૌધરી, રાહુલ ગોવિંદભાઈ ગોહેલ, શાફીન યુનુસભાઈ કુરેશી, માહીન યુનુસભાઈ કુરેશી, મીહિર ભગવાનભાઈ સરવૈયા, અમન ઈસુક્ભાઈ ઓફ્થાની, હર્ષદસિંહ અનકુભા સરવૈયા, દીપક વિઠ્ઠલભાઈ ગોહીલની ધરપકડ કરી લઈ રાજકોટ ગુજસીકોટ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરી બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતાં. જ્યારે ઉક્ત સાયબર ફ્રોડના ગુનાનો માસ્ટર માઈન્ડ દશરથ રામજીભાઈ ધાંધલ્યા હજુ ફરાર હોવાનું જાણવા મળ્યુ છે.
આરોપીઓએ ભેગા મળી સંગઠીત ગુના આચરતી ટોળકી ઓર્ગોનાઈઝ્ડ ક્રાઈમ સીંડીકેટ બનાવી સંગઠીત થઈ પોતાની ટોળકીનો ગુનાહિત હેતુ સિદ્ધ જુદા-જુદા વ્યક્તિઓના બેંક ખાતા સાયબર ક્રાઈમની ફ્રોડ એકટીવીટી માટે ભાડે અથવા કમિશનથી મેળવ્યા હતાં. તે ખાતાઓમાં સાયબર ક્રાઈમના ભોગબનનાર વ્યક્તિઓના નાણા મેળવી તે નાણા બેંક ખાતાની ઓનલાઈન નેટ બેંકીંગ સુવિધા મારફતે ખાતાઓમાં ટ્રાન્સફર કરી જુદી જુદી રીતથી રોકડમા રૂપાંતરીત કરી અથવા તે ક્રીપ્ટો કરન્સીમાં ક્ધવર્ટ કરી લીધાં. આ ટોળકી દ્વારા આવા ગંભીર પ્રકારના ગુના આશરે છેલ્લા ત્રણ વર્ષથી ભાવનગર શહેર તથા રાજકોટ શહેર તથા અમદાવાદ જિલ્લામાં આચરવામા
આવ્યા હતાં.
ભાવનગર ગ્રામ્ય અજઙ ઘનશ્યામ ગૌતમએ જણાવ્યું હતું કે, 24 તારીખે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સાઇબરફ્રોડનો એક ગુનો દાખલ થયો હતો, જે આરોપીઓનો અમે ગુનાહિત ઇતિહાસ તપાસ્યો અને તેના આધારે અમને જાણવા મળ્યું કે તે તમામ આરોપીઓ વિરુદ્ધ છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યના અલગ-અલગ શહેરો અને જિલ્લાઓમાં ગુનાઓ નોંધાયા છે. તે બાબતને ધ્યાનમાં રાખીને આમાં ‘ગુજસીટોક’ (ૠઞઉંઈઝઘઈ)ની કલમો ઉમેરવાનો રિપોર્ટ કર્યો, જેને અમને ઈંૠ અને જઙ તરફથી હકારાત્મક મંજૂરી મળી. જે આધારે આ ફરિયાદમાં કલમ ઉમેરો કરી ગુજસીટોક દાખલ કરવામાં આવી.
અજઙ ગૌતમએ જણાવ્યું કે, જે મુખ્ય આરોપી છે દશરથ જેને કેટલાક વર્ષોથી તેને ભાવનગરમાં સંગઠિત સ્તરે ‘મ્યુલ એકાઉન્ટ્સ’ (ખીહય અભભજ્ઞીક્ષતિં)નું ખેડાણ કર્યું હતું.
મ્યુલ એકાઉન્ટ્સના ખેડાણનો અર્થ એ છે કે, તેણે કેટલાક લોકોને ભેગા કર્યા અને તેમને પોતાની નીચે બેસાડ્યા તથા તેમને ચોક્કસ કાર્યો સોંપ્યા. જેમ કે, કેટલાકને કહ્યું કે તમે જઈને મારા માટે અલગ-અલગ લોકોના મ્યુલ એકાઉન્ટ્સ લઈ આવો. અને તે મ્યુલ એકાઉન્ટ્સને હેન્ડલ કરવા માટે એક મેનેજર પણ રાખ્યો હતો.



