બઘાભાઈ મકવાણાએ કોર્ટમાં એવો દાવો કર્યો કે, સરધારની સરવે નં.13ની જમીન પર મારો હક છે તે ટ્રસ્ટને ન આપો
બઘાભાઈની જમીન વર્ષ 1998માં જ શરતભંગ થવાથી ખાલસા થઈ હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સરધારના સર્વે નં-13ની 4 એકર જમીન પર બઘાભાઈ નારણભાઈ મકવાણાએ પોતાના હક્કની જમીન છે તેવો દાવો સિવિલ કોર્ટમાં કર્યો હતો. જે દાવો કોર્ટે નામંજૂર કર્યો છે.
મળતી માહિતી મુજબ સરધાર ગામની સરવે નં-13ની જમીન બઘાભાઈના દાદા જીવાભાઈ મકવાણાને સાંથણીની જમીન ખેડી ખાવા માટે મળી હતી. પરંતુ જમીનની શરતોનું ભંગ થતા કલેક્ટરે આ જમીન વર્ષ 1998માં ખાલસા કરી હતી. જેની અપીલ બઘાભાઈ સોલંકીએ વારંવાર કલેક્ટરમાં કરી હતી. જો કે, ત્યારબાદ આ અપીલ વર્ષ 2012માં નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ સરવે નં-13ની જમીન સરધાર સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટે સરકાર પાસે આ જમીન માંગી હતી. પરંતુ તેની રકમ વધુ થતા ટ્રસ્ટે પણ રાજ્ય સરકાર વિરુદ્ધ અપીલ કરી હતી. જે અપીલ હાલ પેન્ડિંગ છે.
આ દરમિયાન બઘાભાઈ સોલંકીએ સરધાર સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ વિરુદ્ધ દાવો કર્યો કે, આ જમીન મારા દાદાને મળી હતી. પરંતુ બઘાભાઈ મકવાણાની અપીલ 2012માં જ દાવો ફગાવી દેવામાં આવ્યો હતો. અને 1998માં ખાલસા થઈ હતી. જે હવે ફરીથી બઘાભાઈ મકવાણાને મળે નહીં. પરંતુ બઘાભાઈએ મંદિર ટ્રસ્ટ વિરુદ્ધ વળતર અંગેનો દાવો કર્યો હતો. જે રાજકોટની અદાલતે રદ કર્યો છે. આ કેસમાં સરધાર મંદિર ટ્રસ્ટ તરફથી ધારાશાસ્ત્રી આનંગ જોશી, જતીન ઠક્કર, ધર્મેશ મહેતા, વિપુલ પંડ્યા, દેવાંગ ભટ્ટ અને સંદિપ પાનસુરીયા રોકાયા હતા.