રજવાડી લગ્નની કંકોતરી પણ રજવાડી: સવા ચાર કિલો વજન, કિંમત 7000
જોધપુરની વૈભવી હોટેલમાં ઉદ્યોગપતિ મૌલેશ પટેલનાં પુત્ર જયનાં લગ્ન મોરબીનાં ઉદ્યોગપતિ અરવિંદભાઈ જીવાણીની પુત્રી હેમાંશી સાથે યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનાં કોઈ પરિવારે ક્યારેય ન યોજ્યા હોય તેવાં શાહી-શાનદાર-રજવાડી લગ્ન શહેરનાં એક સુવિખ્યાત ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીનાં પુત્રરત્નનાં થવાનાં છે. આ લગ્ન સમારંભની ખાસ બાબત એ છે કે, એ એક ડેસ્ટિનેશન વેડિંગ છે અને તેનું આયોજન જોધપુરની સુવિખ્યાત હોટેલ ‘ઉમેદભવન પેલેસ’ ખાતે થવાનાં છે. હોટલ ઉમેદભવન પેલેસ હાલ ‘તાજ હોટેલ્સ’ દ્વારા સંચાલિત છે અને તેની ગણના ભારતની ત્રણ સર્વોત્તમ અને સૌથી મોંઘી હોટેલ્સમાં થાય છે.
- Advertisement -
લકઝરીથી લથબથ એવાં આ લગ્ન ઠેઠ રાજસ્થાનનાં જોધપુર ખાતે થઈ રહ્યું છે. તેથી આ લગ્ન માટે રાજકોટથી સીધી જોધપુર માટે ત્રણ ચાર્ટર ફ્લાઈટ જશે- લગ્નમાં ક્ધયા-વર પક્ષનાં મર્યાદિત લોકોને આમંત્રણ અપાયું છે. કારણ કે, રાજસ્થાનમાં કોવિડને કારણે હાલ લગ્ન વગેરે સમારંભો માટે સંખ્યા પર સરકારી નિયંત્રણો છે. લગ્ન સમારંભનાં ત્રણેય દિવસ દરમિયાન બાન લેબ્સની એક-એક મળી ને ત્રણ પ્રોડક્ટ્સનું લોન્ચિંગ થવાનું છે.
- Advertisement -
રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિ મૌલેશભાઈ પટેલ અને સોનલબેન પટેલના પુત્ર જયના જાજરમાન લગ્ન મોરબીની જાણીતી એવી આજવીટો ટાઈલ્સના માલિક અરવિંદભાઈ પટેલ અને શીતલબેન પટેલની પુત્રી હેમાંશી સાથે આગામી તા.14-15-16 નવેમ્બરના રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે યોજાવાના છે. ત્યારે આ શાહી લગ્નની કંકોત્રી પણ રજવાડી સ્ટાઈલથી બનાવવામાં આવી છે.
આ કંકોત્રીનું વજન 4 કિલો 280 ગ્રામ છે. આ એક કંકોત્રી બનાવવા પાછળ મૌલેશભાઇએ 7 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે, જેમાં 7 પાનાંમાં ત્રણ દિવસના લગ્નના કાર્યક્રમની ઝાંખી દર્શાવવામાં આવી છે.
કંકોત્રીની સાથોસાથ કાજુ, બદામ, કિસમિસ અને ચોકલેટ પણ રાખવામાં આવી છે. કંકોત્રી ખોલો એ પહેલાં રજવાડી પટારા પર શ્રીનાથજીનાં દર્શન થાય છે. બાદમાં એક બાદ એક લગ્નના કાર્યક્રમો સાથેનાં પાનાં રાખવામાં આવ્યાં છે. કંકોત્રીમાં કાપડ અને ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યા છે.
ઉકાણી પરિવારનાં આ શાનદાર લગ્ન પ્રસંગ દરમિયાન દરરોજ એક વિશિષ્ટ કોર્પોરેટ ઈવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બાન લેબ્સ દ્વારા ‘સિગ્નેચર’નાં નામથી ડિઓડરન્ટ અને પરફ્યુમ્સની આખી રેન્જ લોન્ચ થશે. ‘બોટ’ બ્રાન્ડ નેમથી સ્ટેશનરીની રેન્જ લોન્ચ કરવામાં આવશે અને તેમની ઈફયિ બ્રાન્ડની નવી વીસથી પચ્ચીસ પ્રકારની ગ્રીન-ટીનું પણ એ જ ઈવેન્ટમાં લોન્ચિંગ રાખવામાં આવ્યું છે. આમ, બાન પરિવાર માટે આ એક પારિવારિક ઉપરાંત બિઝનેસ ઈવેન્ટ પણ બની રહેશે.
13મીથી જ આખી હોટલનાં તમામ 70 રૂમ બૂક કરી દેવાયા
તારીખ 16 નવેમ્બરનાં દિવસે જોધપુર ખાતે યોજાનાર આ લગ્ન માટે તારીખ 13 નવેમ્બરથી જ આખી હોટલનાં તમામ 70 રૂમ બૂક કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીંની એવી જ રજવાડી ગણાતી અજીતભવન પેલેસનાં તમામ 67 રૂમ પણ ચાર દિવસ માટે બૂક કરી દેવામાં આવ્યા છે!
આવા શાહી લગ્ન જે ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણીનાં પુત્રનાં થવાનાં છે- તેઓ સૌરાષ્ટ્રમાં અને ભારતભરમાં નામના ધરાવે છે અને તેઓ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. પોઝિટિવ ઊર્જાથી ભરપૂર અને સદા સ્મીત વેરતા મૌલેશ પટેલ ભામાશા તરીકે પણ મશહૂર છે. રાજકોટનાં ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીનાં પુત્ર જયનાં આ લગ્નનાં ત્રણ દિવસનાં ફંકશન દરમિયાન અનેક કાર્યક્રમો યોજાવાનાં છે.
એક દિવસ ઐશ્ર્વર્યા મજમુદાર પરફોર્મ કરશે, એક રાત્રે સચિન-જીગરનો સંગીત જલ્સો છે તો બોલિવૂડ નાઈટ પણ છે આ મનોરંજક સમારંભ અહીંના વિખ્યાત કિલ્લા મહેરાનગઢ ફોર્ટમાં યોજાવાનો છે. જ્યારે મુખ્ય લગ્ન સમારંભ ઉમેદભવન પેલેસની “બારાદરી લોન” ખાતે રાખવામાં આવ્યો છે.
તારીખ 15, 16 અને 17 નવેમ્બર દરમિયાન જોધપુરની જગવિખ્યાત હોટેલ ઉમેદભવન પેલેસમાં યોજાશે વિવિધ સમારંભો
વિશ્ર્વનાં સૌથી મોટા નિવાસોમાંનું એક એટલે ઉમેદભવન પેલેસ
ઉમેદભવન પેલેસમાં લંચ કે ડિનર લેવું એ સ્વયં એક અનુભવ છે અને ત્યાંનું ફૂડ મોંઘુદાટ છે. આ લગ્નમાં મુખ્ય ભોજન સમારંભમાં મહેમાનોને જે થાળી પીરસવામાં આવશે તેનો ચાર્જ 18 હજાર રૂપિયા છે. જોધપુરની ઉમેદભવન પેલેસને ભારતની સૌથી મોંઘી માંહેની એક હોટેલ ગણવામાં આવે છે.
અહીં 50 હજાર રૂપિયા પ્રતિ રાતથી નીચે રૂમ મળવો મુશ્કેલ છે. કેટલીક કેટેગરીનાં રૂમનું ભાડું બે-ત્રણ લાખ છે. તો અહીંનાં હનીમૂન સ્યૂટનું ભાડું સાડા સાત લાખ પ્રતિ નાઈટ છે! ઉમેદભવન પેલેસ રાજસ્થાનનાં જોધપુર શહેરમાં આવેલ વિશ્ર્વનું એક સૌથી મોટા નીજી નિવાસોમાંનું એક છે.
આ મહેલનો અમુક ભાગ તાજ હોટેલ્સને સંચાલન માટે આપવામાં આવ્યો છે. આ મહેલનું નામ તેના અત્યારના માલિકના દાદા મહારાજા ઉમેદસિંહ પરથી રખાયું છે.
જય અને હેમાંશીનાં શાહી લગ્નની કંકોતરીની તસવીરી ઝલક