સૌરાષ્ટ્રમાં 288 કેસ : 1નું મોત
દ્વારકા, જામનગર, મોરબી જિલ્લામાં સંક્રમણની રફતાર તેજ
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રભરમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચુકી હોય તેમ કોરોના પોઝીટીવ કેસમાં ઉછાળો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓ મળી કુલ 288 પોઝીટીવ કેસ સામે 82 દર્દીઓ ડિસ્ચાર્જ અને 1 દર્દીનું મોત નોંધાયું છે.
છેલ્લા 24 કલાક દરમ્યાન સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેર 141 ગ્રામ્ય 18 કુલ 159, ભાવનગર શહેર 38, ગ્રામ્ય 2 કુલ 40 જામનગર શહેર 19 ગ્રામ્ય 1 કુલ 20, જુનાગઢ 8, મોરબી 25, દ્વારકા 17, અમરેલી 7, સુરેન્દ્રનગર 6, ગીર સોમનાથ 5, બોટાદ 1 કુલ 284 પોઝીટીવ કેસ નોંધાયો છે. જયારે રાજકોટ 66, જામનગર 3, જુનાગઢ 6, ગીર સોમનાથ 6, અમરેલી 1 સહિત 82 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમરેલી જિલ્લામાં 1 દર્દીનું મોત નોંધાયું છે. સૌરાષ્ટ્રભરના જુદા જુદા જિલ્લાઓમાં શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણમાં ફરી વધારો થતા સ્થિતિ ચિંતાજનક બને તેવી સંભાવના છે. કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે તે સાથે જ રાજકોટમાં કોરોના વિસ્ફોટ થયો છે. ગઈકાલે નવા 159 દર્દી નોંધાયા બાદ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 567 થઈ ગઈ છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં બુધવારે નવા 141 કેસ સામે આવ્યા. રાજકોટ શહેરની વાત કરીએ તો કોર્પોરેશન વિસ્તારમાં 11થી વધુ વિદ્યાર્થીઓ કોરોનાની ઝપટે ચડ્યા છે. 14 વર્ષીય, 17 વર્ષીય, 8 વર્ષીય, 6 વર્ષીય, 12 વર્ષીય અને 13 વર્ષીય વિદ્યાર્થીઓ તેમજ બે વર્ષના બે બાળકો અને એક 5 વર્ષનું બાળક કોરોના સંક્રમિત થયું છે.
- Advertisement -
રાજકોટ ગ્રામ્યમાં હાલ 155 એકટીવ કેસ છે, અત્યાર સુધીમાં કુલ 15125 પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં હાલ 412 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 43411 સંક્રમિતો નોંધાઈ ચુક્યા છે.