નગરપાલિકાના પ્રમુખની વરણી સમયે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ત્યાંથી જ વિવાદોનું ઘર રહી છે તેવામાં હવે ફરી એક વખત થાનગઢ નગરપાલિકાનના બે સદસ્યોને ભાજપ પક્ષ દ્વારા સસ્પેન્ડ કરતા ચકચાર મચી જવા પામ્યો છે. જાણવા મળતી વિગતો અનુસાર થાનગઢ નગરપાલિકાના કુલ સાત વોર્ડની ચુંટણીમાં ભાજપના 25 ઉમેદવારો વિજય થયા હતા જે નવેપાલિકા ખાતે ભાજપના શાસનમાં પ્રમુખની વરણી સમયે આંતરિક જૂથવાદ સામે આવ્યો હતો. થાનગઢ નગરપાલિકાના પ્રમુખની વરણી સમયે જ કેટલાક સભ્યો ગાયબ થયા હતા અથવા તો જોઈ જાણીને ગાયબ કરવામાં આવ્યા હતા. કહેવાય છે કે ભાજપના સભ્યોને ગાયબ કરવા પાછળ ચોક્કસ સમાજ દ્વારા પોતાના સમાજના જ સભ્યને પ્રમુખ બનવા માટેની ધમપછાડા કર્યા હતા પરંતુ અહીં સભ્યોની એક ચાલી ન હતી અને અંતે ભાજપ પક્ષ દ્વારા નિર્ધારિત કરેલા પ્રમુખની વરણી થઈ હતી બાદ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા થાનગઢ નગરપાલિકાના પ્રમુખની વરણી સમયે પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ કુલ પાંચ કાર્યકરોને નોટિસ આપી હારી જેમાં બે સદસ્યોના નામ પણ સામે આવ્યા હતા જે બાદ સૌ પ્રથમ થાનગઢ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને ત્યારબાદ હવે નોટિસ આપેલ બંને સદસ્ય કિરણબેન જાદવ અને હર્ષદભાઈ પાટડિયાને ભાજપ પક્ષ દ્વારા છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા આ બંને વર્તમાન સદસ્યોને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરતા સુરેન્દ્રનગર જીલ્લાના રાજકારણમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.