સોપારીએ એક ફળ છે જે અરેકાનામના ઝાડ પર લાગે છે. તેની તાસિર ઠંડી છે, જેના કારણે તેનો ઉપયોગ અનેક રોગોમાં ફાયદાકારક છે.
સોપારીનું નામ સાંભળતા જ મોટાભાગના લોકો ગુટખા, તમાકુ પાન યાદ આવે છે કારણ કે સોપારી એક ફળ છે. આ ફળમાં ફ્લેવોનોઈડ્સ, આલ્કલોઈડ્સ, ગ્લુકોસાઈડ્સ, આઈસોપ્રેનોઈડ્સ, એમિનો એસિડ્સ અને યુજેનોલ જેવા વિશેષ તત્વો રહેલા છે. આ શરીર માટે કેટલાક જરુરી એન્ટીઑકિસડન્ટ રુપે કામ કરે છે અને ઘણી બીમારીઓને રોકવામાં મદદ કરે છે. પરંતુ ઉનાળામાં, સોપારી ખાવાના ખાસ ફાયદા છે કારણ કે આ સિઝનમાં થતી અનેક બીમારીઓથી સોપારી બચાવી શકે છે. તો, આવો જાણીએ કે સોપારીના સેવનથી ક્યા લાભ થઇ શકે છે?
- Advertisement -
પેશાબમાં થતા બળતરામાં આપે છે રાહત
સોપારીની તાસિર ઠંડી માનવામાં આવે છે. બીજું કે તે ડાયયૂરેટિક રીતે કામ કરે છે. આવી સ્થિતિમાં, પહેલા તે બળતરાને શાંત કરે છે અને પેશાબની માત્રામાં વધારો કરે છે. આનાથી પેશાબમાં બળતરા થવાની સમસ્યા ઓછી થાય છે અને તમે UTIની સમસ્યામાં પણ રાહત અનુભશો.
મોંઢામાં ચાંદા કરે છે દૂર
મોંમાં ચાંદા પર પર જો સોપારીનું સેવન કરવાના એનક ફાયદા છે. હકીકતમાં સોપારીનું પાણી પીવાથી પેટમાં વધેલુ એસિડિક પીએચ ઓછુ થાય છે. તે સાથે જ આ પાણી વધેલા પિત્તની સમસ્યાને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જેનાથી મોંમાં પડેલા ચાંદા ઓછા થાય છે.
- Advertisement -
સંધિવામાં રાહત
સંધિવાની બીમારીમાં પણ સોપારીનું સેવન કરવાથી અનેક ફાયદા થાય છે. આ દર્દ નિવારકની જેમ કામ કરે છે. સંધિવાના દુખાવો ઓછો કરવામાં કારગર છે. તે સાથે શરીરમાં ટોક્સિન ઓછુ કરે છે અને હાડકાઓ સાથે જોડાયેલી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે.
પાઇલ્સમાં ફાયદાકારક
સોપારીનું પાણી પીવાથી પાઇલ્સમાં ફાયદો થઇ શકે છે. આ બોવેલ મૂવમેન્ટ અને મેટાબોલિઝ્મને ઝડપી બનાવામાં મદદ કરે છે. તે સાથે કબજિયાતની સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે. આ રીતે પાઇલ્સની સમસ્યામાં મળ ત્યાગ અને મળ માર્ગમાં આવેલા સોજાને ઓછો કરવામાં મદદ કરે છે.