ડરપોક અને નિષ્ક્રિય જિલ્લા શિક્ષણ અધિકારી રાજીનામું આપે :કૉંગ્રેસની માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
- Advertisement -
રાજકોટમા દિવસેને દિવસે ખાનગી શાળાઓની દાદાગીરી એટલી હદે વધતી જાય છે ત્યારે બીજી તરફ જીલ્લા શિક્ષણ અધિકારીને પણ હવે અમુક સંચાલકો ગાઠતા નથી તેવુ ચિત્ર ઉપજી આવ્યુ છે. ગઈકાલે જાહેર રજામા અનેક ખાનગી શાળાઓ શરૂ હતી ત્યારે વાલીઓએ અને વિદ્યાર્થીઓએ અનેક ફોન જિલ્લા શિક્ષણ અધિકારીને કર્યા છતા એક ફોન કોઈનો ઉપાડ્યો ના હતો બીજી તરફ ગઈકાલે વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે ધોળકીયા સ્કૂલે રજૂઆત કરવા પહોચેલા કોંગ્રેસના યુવા કાર્યકરોને સંચાલકે ચોખ્ખુ કહ્યુ હતુ કે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવી હોય તો કરી દેજો..! ગઈકાલે ધોળકીયા સ્કૂલમા કોંગ્રેસે હલ્લાબોલ કર્યા બાદ જીલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા હતા પરંતુ વાસ્તવમા તમામ શાળાઓ બપોર પછીની પારીમા ચાલુ જ હતી ! જેનો સીધો મતલબ થયો કે જિલ્લા શિક્ષણ અધિકારીને સ્કૂલ સંચાલકો 1% પણ ગાંઠતા નથી.. રાજ્યસરકારના નિયમોનો ઉલાળિયો કરનાર સામે કડકાઈ દર્શાવવાના બદલે જવાબદાર અધિકારી નોટિસ આપવામા પણ ડરતો હોય તો તેઓએ આ પદ પરથી રાજીનામુ આપી દેવુ જોઈએ તેવા વિદ્યાર્થીનેતાઓએ પ્રહારો કર્યા હતા.
વધુમા જણાવ્યુ હતુ કે જિલ્લાની શૈક્ષણિક બાબતોમા રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે જેમની જવાબદારી હોય તે જ વહેચાય જાય તો શિક્ષણની સ્થિતિ શુ ઉદ્દભવે ? બસ આવી જ પરિસ્થિતિ કઈક રાજકોટમા હાલના સમયે ઉદ્ભવી છે કારણ કે જ્યારે જ્યારે સ્કુલોની ખોટી રીતે દાદાગીરી સામે આવે છે ત્યારે ડી.ઈ.ઓ. જાણે સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોશિયનના મહામંત્રી પદ પર હોય તેવુ અરજદારો સાથે વલણ દાખવે છે તે શરમજનક છે. થોડા સમય પહેલા ખાનગી સ્કુલોમા પ્લાસ્ટિકના ગેરકાયદેસર ડોમ અંગેની પુરાવા સહિત અમો રજૂઆત કરવા ગયેલ ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે ગંભીરતા દાખવવાના બદલે બીજા વિભાગો ઉપર ખો આપી ડી.ઈ.ઓ.જવાબદારીમાથી છટકી ગયા હતા અને જણાવ્યુ કે હુ જો આ અંગે કાર્યવાહી કરુ તો કાલ સવારે સરકારમાથી ઇન્કવાઇરી ઉભી થશે તો ! કહેવાનો મતલબ કે જો આવો જ ડર લાગતો હોય તો જવાબદારીઓમાથી સ્વેચ્છિક રાજીનામુ આપી દેવુ જોઈએ અન્યથા જો ઊંચો સરકારી પગાર લેવો જ હોય તો નીડરતાથી સત્યની સાથે ચાલી કડકાઈથી કામગીરી કરવી પડશે. એક તરફ સ્કૂલ સંચાલકો સામે ડર પણ લાગતો હોય અને બીજી તરફ પ્રજાના ટેક્સના પૈસે એ.સી. ચેમ્બરમા બેસવુ હોય તો એવુ રાજકોટની જનતા અને કોંગ્રેસ જરા પણ શાંખી લ્યે.નાનપણથી બાળકોને ધર્મનિરપેક્ષતા,સર્વધર્મ સમભાવના પાઠ શીખવવામાં આવે પરંતુ શાળા સંચાલકો ધર્મના નામે રજાઓમાં પણ ભેદભાવ કરીને તેઓની કુમળી માનસીકતા પર ઝેર ઓકનાર શાળાઓને શિક્ષણ અધિકારીનુ સમર્થન મળતુ હોય ત્યા બોલવુ જ શુ એ 100 વાર વિચારવુ પડે.
રાજકોટમા જ્યારથી આ નવા શિક્ષણ અધિકારી આવ્યા બાદ એક પણ ખાનગી શાળા પર કોઇ દંડાત્મક કાર્યવાહી કરી હોય તેવુ એક દાખલો આપે ! વેકેશનના રજાના દિવસોમા મોટાભાગની શાળાઓ શરૂ હતી ત્યારે વિદ્યાર્થીઓના વાલીઓ ફરિયાદો કરી કરીને થાકી ગયા પણ એક સ્કૂલે ડી.ઈ.ઓ.ને ગાંઠ્યા ના હતા અને હવે તમામ સરકારી જાહેરરજાઓમા ખાનગી શાળાઓ શરૂ હોય છે. હાલના જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યશૈલી મારા મોઢે મારા અને તમારા મોઢે તમારાજેવી છે પણ રાજકોટની જનતા આવી ચતુરાઈ કદાપિ નહી ચલાવી લ્યે. જે અધિકારીને સામાન્ય બાબતો કાર્યવાહી ના કરતા હોય તે ગંભીર બાબતોમા કાર્યવાહી શુ કરવાના ! આવા બેદરકાર અધિકારીઓને લીધે જ ટીઆરપી ગેમઝોન જેવા અગ્નિકાંડમાં 30 લોકોનો જીવ હોમાયો છે. ડી.ઈ.ઓ.ની નિષ્ક્રિય અને શંકાસ્પદ કાર્યશૈલીની શિક્ષણમંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે.વધુમા કોંગ્રેસના યુવા કાર્યકરો અને આગેવાનોએ જણાવ્યુ હતુ કે ગઈકાલની જાહેરરજામા રાજકોટની જેટલી જેટલી શાળાઓ શરૂ હતી તેઓ વિરુદ્ધ દંડનાત્મક કડક કાર્યવાહી કરવામા અન્યથા અમોએ આપેલ ઢાંકણીમ ભરેલ પાણીમા ડૂબી જાઓ ! બંગડીયુ પહેરી લો..! વધુમા કાર્યકરોએ માંગ કરી હતી કે જાહેરજાઓમા શૈક્ષણિક કાર્ય શરૂ ના રાખવા અંગેનો સ્પષ્ટતાપૂર્વક પરિપત્ર જાહેર કરો જેમા દંડની જોગવાઈથી માંડી માન્યતા રદ સુધીનાં પગલાઓનો ઉલ્લેખ કરતો પરિપત્ર જાહેર કરવા માંગણી કરી હતી અન્યથા રાજીનામુ આપવા માંગ કરી હતી.
- Advertisement -
આજે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા પ્રવક્તા રોહિતસિંહ રાજપુત,કોંગ્રેસ અગ્રણી રણજીત મુંધવા,ઓબીસી સેલ પ્રમુખ હાર્દિકસિંહ રાજપૂત,યુવા આગેવાન જીત સોની,યશ ભીંડોરા,રોનક રવૈયા,રાજ પટેલ,પારસ પટેલ,ડેનિસ રામાણિ,દીક્ષિત પટેલ,વિશાલ નાડોલા સહિતની પોલિસે અટકાયત કરી હતી.