રોકાણના નામે સાથી નિવૃત્ત આર્મીમેન પાસેથી ₹ 11.40 લાખ પડાવી લીધા
અન્ય ત્રણ અધિકારીઓ સાથે પણ 1.34 કરોડની છેતરપિંડી કર્યાનું ખુલતા ડિસમિસ કરી દીધા હતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના મવડીમાં ડ્રિમલેન્ડ એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત આર્મીમેન હિતેશકુમાર વ્રજલાલ મુંગરા ઉ.38એ 11.40 લાખની છેતરપિંડી અંગે ધનાજીરાવ પાટીલ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે હું 2003માં ભારતીય સેનામાં ભરતી થયેલ અને 2020માં ભારતીય સેનામાંથી નિવૃત થયેલ છુ મારૂ છેલ્લુ પોસ્ટીંગ નાસીક ખાતે હતુ અને ત્યાં અમારા કંપની કમાન્ડર લેફટનન્ટ કર્નલ મહારાષ્ટ્રના પુણેના ધનાજીરાવ સીવાજીરાવ પાટીલ હોવાથી હું તેમને ઓળખુ છું જુલાઇ-2020મા મને મારા લેફટેનન્ટ કર્નલ ધાનાજીરાવ શિવાજીરા વ પાટીલે ફોન કરી જણાવેલ કે તમારા રીટાયરર્મેન્ટ પછી જે પૈસા આવવાના છે તે પૈસા તુ મને આપ જે પૈસા હું સારી જગ્યાએ રોકાણ કરીશ અને દર મહીને 08 ટકા જેટલુ વળતર 30 મહિના સુધી આપીશ અને દર ત્રણ મહીને અમુક ટકા રકમ પણ તમને પરત આપતો જઇશ જેથી પ્રથમ અસહમતિ દર્શાવેલ ત્યાર બાદ અવાર-નવાર મને ફોન આવતા રહેતા અને હું આ ધનાજીરાવ ભારતીય સેનાના લેફ્ટનન્ટ કર્નલ હોય અને મેં આ ધનાજીરાવ સાથે નાસિક ખાતે બે વર્ષ જેટલી નોકરી કરેલા હોય અને મારા સાથી અધિકારી હોય જેથી મને આ ધનાજીરાવ પર વિશ્વાસ આવી જતા ગત તા.15/09/2020 નારોજ 7,50,000 જમા કરાવેલ અને ત્યાર બાદ અન્ય રકમ મારા સાઢુભાઈ અમિતભાઇ વિઠ્ઠલભાઇ દુધાત્રાના ખાતામાંથી 3 લાખ 300,000 ધનાજીરાવના બેંક ખાતામાં જમા કરાવેલ ત્યાર બાદ ફરીવાર ગત તા-13/10/2020 ના રોજ 9.50 લાખ ધનાજીરાવના બેંકના ખાતામા જમા કરાવેલ ત્યારબાદ ગત તા-14/10/2020 ના રોજ 5 લાખ જમા કરાવેલ ત્યારબાદ ગત તા.15/10/2020 ના રોજ ઘરેથી ઓનલાઇન 1 લાખ ધનાજીરાવના ખાતામાં જમા કરેલાા હતા અને ત્યારબાદ ગત તા.16/10/2020 ના રોજ મે મારા ઉપરોક્ત ઘરેથી ઓનલાઇન 1 લાખ ધનાજીરાવના ખાતામા જમા કરેલા હતા અને ગત તા-01/11/2020 ના રોજ આ ધનાજીરાવે મને બેંગ્લોર નજીક આવેલ તુમકુર ખાતે આવેલ તેમની M/S COL .PATILS CONSULTANCYમાં નોકરી કરવા માટેની મને ઓફર આપેલ હતી જેથી હું ત્યાં નોકરી કરવા માટે ગયેલ ત્યારે મને ત્યાં રૂપીયા 35,000ની પગારની ઓફર કરેલા હતી અને બાદમાં મે બેંગ્લોર નજીક આવેલ તુમકુર ખાતે તેમની કંપનીમાં એપ્રીલ-2022 સુધી નોકરી કરેલા તે દરમ્યાન ગત તા-01/12/2020 ના રોજ આ ધનાજીરાવ મને મળવા માટે તુમકુર ખાતે આવેલ ત્યારે મે મારા લેવાના નીકળતા પૈસા માંગતા તેણે મને તેમની પાસેથી બાકી લેવાના નીકળતા પૈસા પરત આપવાની બાંયધરી આપેલ હતી ત્યારબાદ તા.01/12/2 020 ના રોજ 3 લાખ ધનાજીરાવના ખાતામાં જમા કરેલા હતા અને ત્યારબાદ ગત તા-01/12/2020ના રોજ ઓનલાઇન 1 લાખ ધનાજીરાવના ખાતામાં જમા કરેલા હતા
ત્યારબાદ ગત તા.03/12/2020 ના રોજ 1 લાખ ત્યારબાદ ગત તા.04/12/2020 ના રોજ 1 લાખ, ત્યારબાદ ગત તા. 05/12/2020ના રોજ 4. 50 લાખ, ત્યારબાદ ગત તા. 13/12/2020ના રોજ 50,000 મળો કુલ 38 લાખ જમા કરાવેલ હતા અને ગત તા-13/01/2021 ના રોજ આ ધનાજીરાવની કંપનીM/S COL.PATILS CONSULTANCY નં-29 AQNPP8672N1Zથી થયેલ અને ત્યાર બાદ ગત એપ્રીલ-2021માં આ ધનાજીરાવ નો દીકરો નરેન પાટીલ મને મળવા માટે ત્યાં બેગ્લોર કંપની ખાતે આવેલ અને મારી સાથે રહેલ ત્યારે મે નરેન પાટીલને પણ મારા બાકી લેવાના નીકળતા પૈસા બાબતે વાત કરતા તેણે પણ મને પૈસા પરત આપી દેવાની બાંયધરી આપેલ પરંતુ મારે પૈસાની જરૂર પડતા મે તેઓ પાસે પૈસા પરત માંગતા આ ધનાજીરાવે મને જુન-2021માં તેઓએ 17 લાખ તેમના ઉપરોક્ત બેંકના ચેકથી પરત આપેલા હતા અને ત્યારબાદ ફરીવાર મે મારા બાકી નીકળતા રૂપીયા 21 લાખ પરત માંગતા આ ધનાજીરાવે મને કહેલ કે મારે મારી દીકરીને વિદેશ મોકલવાની છે અને હાલ મારી પાસે પૈસા નથી જેથી તમે મને રૂપીયા 3 લાખ આપો જે તમને હું થોડા સમયમાં પરત આપી દઈશ તેમજ અગાઉના બાકી નીકળતા રૂપીયા 21 લાખ પણ પરત આપી દઇશ જેથી મારે તમને કુલ 24 લાખ આપવાના થશે તેમ મને વાત કરેલા જેથી મે તેમના પર વીશ્વાસ મુકી ફરીવાર ઓનલાઇન 3 લાખ મોકલ્યા હતા આ ઉપરોક્ત આપેલ રૂપીયાનું ધનાજીરાવ સાથે કોઇ લેખીતમાં લખાણ કરાવેલ ન હોય જેથી મે તેમને લેખીત લખાણ કરવાનું કહેતા તે ઓએ મને બેંગ્લોર ખાતે નોટરી લખાણ કરવા માટે બોલાવેલ ત્યારે મારી તથા અન્ય આર્મીમેન પાસે કોઇ અંગ્રેજી ભાષામાં લખાણ કરાવેલ હતુ જેમા અમારી સહી કરાવેલ હતી પરંતુ કયા ડોક્યુમેંટમાં સહી કરાવી જે મને ખબર નથી બાદમાં અમોએ કહેલ કે તમોએ આ લખાણ તો કરી આપેલ છે જેથી સાથે અમને સીક્યુરીટી પેટે ચેક પણ આપો પણ તેઓએ અમોને ચેક આપો જેથી આ ધનાજીરાવે અમોને ચેક બાબતે ના પાડેલ જેથી અમોએ તેમને તેના વિરુધ્ધ અમો ફરીયાદ કરીશુ તેમ જણાવેલ જેથી તેઓએ અમોને ગામ-પોલકમપલ્લી તા-ઇબ્રાહીમપટ્ન મમંડલ જી-રંગારેડડી રાજ્ય-તેલંગણા ખાતે તેઓનો પ્લોટ જેની કિંમત રૂપીયા 12,60,000ની છે જે અમોના નામે કરી આપેલ હતી અને ત્યારબાદ હજુ અમોએ આ ધનાજીરાવ પાસેથી રૂપીયા 11,40,000/- લેવાના બાકી નીકળતા હોય પૈસા પરત માંગતા તેઓ ગલ્લા ત લ્લા કરતા હોય જેથી અમોને મારા મિત્રો મારફત જાણવા મળેલ કે આ ધનાજીરાવે બીજા ભારતીય સેનાના કર્મચારી/અધીકારી જેમાં હરીશચંદ જોશી સાથે 51 લાખની છેતરપીડી કરેલા છે તેમજ કર્નલ પ્રતાપ સાથે 37 લાખની છેતરપીડી કરેલા છે તેમજ કર્નલ સાથે રૂપીયા 47 લાખની છેતરપીડી કરેલા હોવાનું જાણવા મળતા અમોએ આ બાબતે અમારા આર્મી હેડ કવાટર દીલ્હી ખાતે ઓગસ્ટ-2022માં આ ધનાજીરાવ વીરુધ્ધ ફરીયાદ કરેલા હતી જે ફરીયાદ સાબીત થતા તેઓને તા-19/05/2023 ના ભારતીય સેનામાંથી ડીસમીસ કરવામા આવેલ હતા આ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



