વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખી ઉજવણીમાં જોડાયા
વિશાળ શોભાયાત્રા નીકળી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.31
તાલાલા ગીરમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલ સાહેબની 1075 મી જન્મજયંતિ તથા ચેટીચાંદ પર્વની ભવ્ય ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.સવારે દરીયાદેવ નું પુજન અર્ચન કરી ઝુલેલાલ સાહેબ ની મહા આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે જય ઝુલેલાલ નાં નાદ સાથે વિશાળ શોભાયાત્રા નીકળી હતી.આ શોભાયાત્રાએ નગરના મુખ્ય માર્ગો ઉપર પરીભ્રમણ કર્યું હતું જેમાં સિંધી સમાજના વેપારી ભાઈઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા.સિંધી સમાજ દ્વારા જ્ઞાતિ સમુહ ભોજન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સમાજના તમામ પરીવાર ના ભાઈ બહેનોએ ભાગ લીધો હતો.