ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં કેદારનાથ યાત્રા માર્ગ પર ભૂસ્ખલનના કારણે 5 તીર્થયાત્રીઓના મૃત્યુ થયા છે. પહાડ પરથી થયેલા ભૂસ્ખલનમાં દટાયેલી સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યા છે. આ તમામ મૃતકો અમદાવાદના મણિનગર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે.
Uttarakhand | Today, while opening the road, a vehicle was found in a very badly damaged condition inside the debris and the bodies of 5 people, travelling in it, have also been recovered: Rudraprayag Police
- Advertisement -
(Pic Source: Twitter handle of Rudraprayag Police) pic.twitter.com/5neEUt022g
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 12, 2023
- Advertisement -
ભૂસ્ખલન થયું અને કાર દટાઈ
પોલીસે આ દુર્ઘટનાને લઈને જણાવ્યું કે, ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભૂસ્ખલન થતાં એક કારા દટાઈ હતી, આ કારમાં સવાર પાંચ તીર્થયાત્રીઓના મૃત્યુ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ગાડીમાં સવાર શ્રદ્ધાળુઓ હરિદ્વારથી કેદારનાથ જઈ રહ્યા હતા, ત્યારે ભૂસ્ખલન થયું અને પથ્થરો વાહન પર પડ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ મૃતકો ગુજરાતના અમદાવાદના રહેવાસી હતા. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
વાહનવ્યવહાર ખોરવાયો
અધિકારીઓએ એ પણ માહિતી આપી કે આ ઘટનાને કારણે કેદારનાથ ધામ તરફ જતો ગુપ્તકાશી-ગૌરીકુંડ હાઈવે પરનો વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. તેમણે કહ્યું કે લગભગ 60 મીટર રોડ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે અને ધોવાઈ ગયો છે.
ઉત્તરાખંડના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદને લઈને ‘રેડ’ એલર્ટ
રુદ્રપ્રયાગ પોલીસે જણાવ્યું કે, રુદ્રપ્રયાગ સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના મોટાભાગના જિલ્લાઓમાં 11 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી ‘રેડ’ એલર્ટ અને ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર કર્યું છે.



