હવે ટ્રાન્ઝીટ શિબિરમાં 2500 નહીં, 6000 શ્રદ્ધાળું રોકાઈ શકશે : 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે તેવો અંદાજ
ખાસ-ખબર સંવાદદાતા
અમરનાથની પવિત્ર ગુફાની વાર્ષિક તીર્થયાત્રા-2022 માટે રાજ્ય સરકારે તૈયારી શરૂ કરી દીધી છે. શ્રીનગરના પ્રવેશદ્વાર પંથાચૌકમાં આવેલી તીર્થયાત્રિઓ માટેની ટ્રાન્ઝીટ શિબિરની ક્ષમતાને પણ વધારી દેવામાં આવી છે અને હવે તેમાં એક સાથે છ હજાર શ્રદ્ધાળુઓ રોકાઈ શકશે. અત્યાર સુધી આ શિબિરમાં માત્ર 2500 શ્રદ્ધાળુઓ જ રોકાઈ શકતા હતા.કોરોનાને કારણે વર્ષ 2020 અને 2021માં શ્રી અમરનાથની પવિત્ર ગૂફાની વાર્ષિક તીર્થયાત્રા સામાન્ય શ્રદ્ધાળુઓ પાટે સંપૂર્ણ રીતે બંધ રહી હતી. માત્ર ધાર્મિક અનુષ્ઠાન જ કરાયું હતું. સ્થિતિમાં સુધારો જણાતાં રાજ્ય સરકાર અને અમરનાથ શ્રાઈન બોર્ડને આશા છે કે આ વર્ષે લગભગ 10 લાખ શ્રદ્ધાળુ દરિયાકાંઠાથી નજીક 3888 મીટરની ઉંચાઈ પર આવેલા ભગવાન અમરેશ્ર્વરની પવિત્ર ગુફામાં ભગવાન શંકરના દર્શનાર્થે આવશે.એટલા માટે સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ યાત્રા જૂન-જૂલાઈ માસથી શરૂ થઈને ઑગસ્ટમાં રક્ષાબંધન સુધી ચાલે છે. શ્રીનગરના જિલ્લા કલેક્ટર મોહમ્મદ એજાજ અસદ અને જિલ્લા એએસપી રાકેશ બલવાલે સંબંધિત અધિકારીઓ સાથે પંથાચૌક સ્થિત શ્રી અમરનાથ યાત્રા ટ્રાન્ઝીટ શિબિરની મુલાકાત કરી હતી. તેમણે શિબિરમાં શ્રદ્ધાળુઓ માટે ઉભી કરવામાં આવી રહેલી સુવિધાઓ અને શિબિરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.