મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં બનેલી નવી મહાગઠબંધન સરકાર આજે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરશે. મુખ્યમંત્રી નીતિશ કુમારએ આ બાબતે વિધાનસભાના અધ્યક્ષ વિજય કુમારની મુલાકાત લીધી છે. ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ સ્પીકર સાથે મુલાકાત કરી. વિજય સિન્હાએ અધ્યક્ષીય સંબોધન પર સહમતિ દર્શાવી છે. RJD વિધાયક દળના નેતા તેજસ્વી યાદવએ પાર્ટી વિધાયકો માટે વ્હિપ જાહેર કર્યું છે.
વિધાનસભાના વિશેષ સત્રની બેઠક દરમ્યાન બધા વિધાયકોને હાજર રહેવા આદેશ અપાયા છે. મહાગઠબંધન સરકાર પોતાની બહુમતી સાબિત કરવા માટે વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ વિશેષ સત્ર દરમ્યાન આજે સદનમાં જેડીયૂ- આરજેડી ગઠબંધનને લઇને ફ્લોર ટેસ્ટ દરમ્યાન બહુમતી સાબિત કરવી પડશે.
- Advertisement -
જયારે બીજી તરફ, વિધાનસભાના સ્પીકર વિજય કુમાર સિનંહાએ પદ છોડવાની મનાઇ કરી દીધી છે. બિહાર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર મહેશ્વર હજારીએ વિજય કુમાર સિનંહાના આ નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા છે. જેથી હવે બિહાર વિધાનસભાનું આ વિશેષ સત્રમાં ખૂબ હંગામો થશે. જો કે બિહાર વિધાનસભા અધ્યક્ષની સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવી ગયો છે.
મહાગઠબંધનને 165 વિધાયકોનું સમર્થન
243 સભ્યો વિધાનસભામાં સરકારનું સમર્થન કરનાર વિધાયકોની સંખ્યા વધીને 165 થઇ ગઇ છે. જયારે મંગળવારના એઆઇએમઆઇએમના એક ઉમેદવારે મહાગઠબંધનની સરકારને પોતાનું સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા, 7 પાર્ટીઓએ કુલ 163 વિધાયકો અને એક નિર્દળીય વિધાયક સુમિત કુમાર સિંહને નીતિશને પોતાનું સમર્થન આપ્યું છે.
આ 8 પાર્ટીઓએ આપ્યું સમર્થન
નવી સરકારનું સમર્થન કરનાર આ 8 રાજનૈતિક દળો રાજદ(79), કોંગ્રેસ(19), જેડી-યૂ(45), ભાજપા-માલે(12), એચએએમએસ(04), ભાકપા(02), સીપીએમ(02), અને એઆઇએમઆઇએમ(01) છે. આ સિવાય નિર્દળીય વિધાયક અને મંત્રી સુમિત કુમાર સિંહએ પણ નીતિશ કુમારને સમર્થન આપ્યું છે.
- Advertisement -