1 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા ખરાબ હવામાનના કારણે હાલ રોકી દેવામાં આવી છે. વાતાવરણ સારૂ થયા બાદ જ શ્રદ્ધાળુઓને આગળ જવાની પરવાનગી આપવામાં આવશે. વાતાવરણ ખરાબ હોવાના કારણે આજે બાલટાલ અને નુનવાનમાં શ્રી અમરેશ્વર ધામની તીર્થ યાત્રાને રોકી દેવામાં આવી છે.
ખરાબ હવામાનના કારણે કોઈ પણ તીર્થ યાત્રીને પવિત્ર ગુફાની તરફ જવાની પરવાનદી નથી આપવામાં આવી. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના અધિકારીઓ જણાવ્યા અનુસાર સ્થિતિ સુધરશે ત્યાર બાજ જ શ્રદ્ધાળુઓને આગળની તીર્થ યાત્રાની પરવાનગી આપવામાં આવશે.
- Advertisement -
17202 શ્રદ્ધાળુઓએ ગુરૂવારે કર્યા દર્શન
ગુરૂવારે 17202 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા. ત્યાં જ યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધી કુલ 84768 શ્રદ્ધાળુ દર્શન કરી ચુક્યા છે. 1 જુલાઈએ 3400થી વધારે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો રવાના થયો હતો. જણાવી દઈએ કે આ યાત્રા 62 દિવસ ચાલશે.
અમરનાથ યાત્રાને લઈને સેનાના જવાબ સુરક્ષા વ્યવસ્થા ચોક્કસ રાખવા માટે ડ્રોન, ડોગ સ્કવોર્ડ અને ચપ્પા-ચપ્પા પર તલાશી દ્વારા કોઈ કસર નથી છોડવામાં આવી રહી. જણાવી દઈએ કે ગઈ વખત 3.60 લાખ શ્રદ્ધાળુ દર્શન માટે આવ્યા હતા. આ વખતે આશા છે તે આ આંકડો 6 લાખ પાર કરી જશે.
અમરનાથ ભગવાન શિવના સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંથી એક
અમરનાથ યાત્રા અનંતનાગ જિલ્લામાં પારંપરિક 48 કિમી લાંબા નુનવાન પહલગામ માર્ગ અને ગાંદરબલ જિલ્લામાં 14 કિમી નાના પરંતુ ખડી બાલટાગ માર્ગને જોડતા માર્ગો પર એક તીર્થયાત્રા છે.
- Advertisement -
હિંદૂ ધર્મમાં પવિત્ર માનવામાં આવતી વાર્ષિક તીર્થયાત્રા, હિમાલયની વચ્ચે દક્ષિણ કશ્મીરમાં 3,880 મીટર ઉંચા પવિત્ર અમરનાથ ગુફા મંદિરમાં સ્થિત છે. અમરનાથને ભગવાન શિવના સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંથી એક માનવામાં આવે છે.