5 કોર્પોરેટરે રાજીનામા ધરી દેતા નેતાઓ થયા દોડતા!
આપ હાઈકમાન્ડથી નારાજ થયેલાં કોર્પોરેટરો-કાર્યકરો ભાજપમાં જોડાશે
ખાસ-ખબર સંવાદદાતા
આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું. સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી પાંચ નગરસેવકોએ રાજીનામા ધરી દીધા હોવાની સૂત્રોએ માહિતી આપી છે. જેને પગલે આપ પાર્ટીનાં નેતાઓ દોડતા થઇ ગયા છે. અઅઙ માં નારાજ નેતાઓ ભાજપમાં જોડાય તેવી પણ સૂત્રોની માહિતી છે. આજે સાંજે 5 વાગ્યે કમલમમાં ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની હાજરીમાં ભાજપમાં જોડાશે તેવી સૂત્રો તરફથી માહિતી પણ મળી રહી છે. ભાજપ દ્વારા આપ પાર્ટીનાં નગરસેવકોને મોટા પ્રલોભનો આપી ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.
વિપક્ષના નેતા ધર્મેશ ભંડારીએ કહ્યું કે, પાર્ટી અને પ્રજા સાથે દગો કરનારા નગરસેવકોને બિલકુલ પણ સાંખી લેવામાં નહીં આવે. ધર્મેશ ભંડારીએ કહ્યું કે, વિરોધ પક્ષની તાકાત વધી રહી છે. જેને લઇ ક્યાંકને ક્યાંક ભાજપ દ્વારા અવાજને દબાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.. પાંચ નગર સેવકો રાજીનામા આપે તેવું સાંભળ્યું છે પણ હજી સ્પષ્ટતા નથી થઈ અને તેઓ ભાજપના સંપર્કમાં હોવાની પણ માહિતી મળી છે.
- Advertisement -
છેલ્લાં એક વર્ષથી આપ પાર્ટીના કોર્પોરેટરો ખુબ જ સરસ કામગીરી કરી રહ્યાં હતાં જેને લઇને ભાજપનાં પેટમાં તેલ રેડાયું છે. દબાણમાં આવી અને હાર દેખાતા ભાજપ દ્વારા સત્તા અને પૈસાના જોરે આપના કોર્પોરેટરોને તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભાજપ દ્વારા આપના કોર્પોરેટરોને લોભ, લાલચ આપી કોલ કરી પાર્ટીમાં બોલાવવામાં આવી રહ્યાં છે.