UP યુપીના મદરેસા એક્ટને ગેરબંધારણીય જાહેર કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો
ઉત્તર પ્રદેશના મદરેસા એક્ટ કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થઈ છે. વાત જાણે એમ છે કે, UP યુપીના મદરેસા એક્ટને ગેરબંધારણીય જાહેર કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટે મદરેસા એક્ટની જોગવાઈઓને સમજવામાં ભૂલ કરી છે. આ કાયદો બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંત વિરુદ્ધ હોવાનું હાઈકોર્ટનું માનવું ખોટું છે. હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, UP સરકાર અને UP મદરેસા શિક્ષણ બોર્ડને નોટિસ ફટકારી છે. સુપ્રીમકોર્ટે ઉત્તરપ્રદેશના 25 હજાર મદરેસામાં ભણતાં 17 લાખ વિદ્યાર્થીઓને મોટી રાહત આપી હતી.
- Advertisement -
UP મદરેસા એક્ટ 2004 શા માટે ઘડવામાં આવ્યો?
UP બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ, 2004 રાજ્યમાં મદરેસાની શિક્ષણ પ્રણાલીને સુધારવા માટે બનાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત બોર્ડ તરફથી માન્યતા મેળવવા માટે મદરેસાઓએ ચોક્કસ લઘુત્તમ ધોરણો પૂરા કરવા જરૂરી હતા.
Supreme Court stays the Allahabad High Court's March 22 judgment striking down 'UP Board of Madarsa Education Act 2004' as unconstitutional.
Supreme Court says the finding of Allahabad High Court that the establishment of a Madarsa board breaches the principles of secularism… pic.twitter.com/bKDrPNvMKj
- Advertisement -
— ANI (@ANI) April 5, 2024
બોર્ડે મદરેસાઓને અભ્યાસક્રમ, શિક્ષણ સામગ્રી અને શિક્ષકોની તાલીમ માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી.પરંતુ તપાસમાં જાણવા મળ્યું છે કે મદરેસાઓમાં સરકારી પૈસાથી ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું હતું. જે બાદ હાઈકોર્ટે તેને ધર્મનિરપેક્ષતાના મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવ્યું અને તેને ગેરબંધારણીય જાહેર કર્યું. જેના કારણે સરકાર તરફથી મળતી સહાય બંધ થઈ જશે. આવી સ્થિતિમાં હવે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જ્યાં આજે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે.
Supreme Court says High Court judgement would affect the 17 lacks students, and it is of the view that direction of relocation of students to other school was not warranted.
— ANI (@ANI) April 5, 2024
શું હતી અરજદારની માંગ?
નોંધનીય છે કે, મદરેસાના મેનેજર અંજુમ કાદરી અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં હાઈકોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવીને મનસ્વી ગણાવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, આ નિર્ણયને કારણે મદરેસામાં ભણતા લાખો બાળકોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાયો છે. તેથી જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ મદરેસા એક્ટની બંધારણીય માન્યતા અંગે નિર્ણય ન લે ત્યાં સુધી હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મુકવો જોઈએ.
અલ્લાહાબાદ હાઈકોર્ટે શું ચુકાદો આપ્યો હતો?
ઉલ્લેખનીય છે કે અલ્લાહાબાદ હાઈકોર્ટે મદરેસા એક્ટને એમ કહેતા રદ કરી દીધો હતો કે તે ગેરબંધારણીય છે અને સેક્યુલારિઝમ વિરુદ્ધ છે. હવે આ મામલે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય.ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની ત્રણ જજોની બેન્ચે સ્ટે આપતાં કેન્દ્ર સરકાર તથા યુપી સરકારને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે. હવે આ મામલે 30 જૂન 2024 સુધીમાં જવાબ રજૂ કરવાનો રહેશે.
હાઈકોર્ટના ચુકાદાને ગણાવ્યો અયોગ્ય!
સુપ્રીમકોર્ટની ત્રણ જજોની બેન્ચે કહ્યું કે મદરેસા બોર્ડનો ઉદ્દેશ્ય નિયામક છે. અલ્લાહાબાદ હાઈકોર્ટનું એમ કહેવું પહેલી નજરે ઠીક નથી કે મદરેસા એજ્યુકેશન બોર્ડની રચના સેક્યુલારિઝમ વિરુદ્ધ છે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે જ અલ્લાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે યુપી સરકારને આદેશ આપ્યો હતો કે તે મદરેસાના વિદ્યાર્થીઓને સામાન્ય સ્કૂલોમાં ટ્રાન્સફર કરે અને તેમનું નોમિનેશન કરાવે. અલ્લાહાબાદ હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે સરકાર પાસે એ સત્તા નથી કે તે ધાર્મિક શિક્ષણ માટે બોર્ડની રચના કરે. આ ઉપરાંત સરકાર સ્કૂલના શિક્ષણ માટે કોઈ એવા બોર્ડની રચના ન કરી શકે જે હેઠળ કોઈ ખાસ ધર્મ અને તેના મૂલ્યોનું શિક્ષણ અપાતું હોય. હાઈકોર્ટના આ ચુકાદાને મદરેસા અજિજિયા ઈજાજતુલ ઉલૂમના મેનેજર અંજુમ કાદરીએ સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો.