રોડ પર થીગડાં સાથે ડિવાઇડર કલર સહિત સફાઈ અભિયાન
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આગામી તા.28 સપ્ટેમ્બરના રોજ ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાને ખુલ્લો મુકવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સંભવિત પધારતા હોય જેને લઈને મહાનગર પાલિકા તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે અને આબરૂ બચાવા માટે અતિ બિસ્માર થયેલા રસ્તા પર થીગડાં મારી રીપેર કરવાનું શરુ થયું છે તેની સાથે શહેરના ડિવાઈડર પર કલર કામ સાથે સ્વછતા અભિયાન હાથ ઉપાડયું છે જે જગ્યાએથી મુખ્યમંત્રી પસાર થવાના છે તે જગ્યાના રોડ રીપેરીંગ ઝુંબેશ શરુ કરી છે અને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવની કામગીરી શરુ કરી દેવામાં આવીછે જયારે આમ પ્રજા વર્ષોથી તૂટેલા ફૂટેલા રોડ થી પરેશાન છે ત્યારે મુખ્યમંત્રી પધારતા હોય તેવા સમયે આબરૂ જાળવી રાખવા શહેરના માર્ગો સહીતની સઘન કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.