ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધો સુધારવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. BCCI પ્રમુખ રોજર બિન્ની અને રાજીવ શુક્લા પાકિસ્તાનની મુલાકાત લેશે.
પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર યોજાનાર એશિયા કપને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ રોજર બિન્ની અને ઉપપ્રમુખ રાજીવ શુક્લા પાકિસ્તાન જશે. રોજર બિન્ની અને રાજીવ શુક્લા એશિયા કપની ઓપનિંગ સેરેમનીમાં હાજર રહેશે. આ પહેલને ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધિત સંબંધો સુધારવાની પહેલ તરીકે પણ જોઈ શકાય છે. એશિયા કપ 30 ઓગસ્ટથી યોજાવા જઈ રહ્યો છે અને ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાનમાં રમાશે.
- Advertisement -
એશિયા કપની 5 મેચ પાકિસ્તાનમાં અને 9 શ્રીલંકામાં
આ વખતે એશિયા કપનું યજમાન પાકિસ્તાન હતું. પરંતુ ભારતે સુરક્ષાના કારણોસર પાકિસ્તાન ખાતે ટીમ મોકલવાનો ઇનકાર કર્યો હતો. ઘણા વિવાદ બાદ પાકિસ્તાનની સાથે શ્રીલંકામાં ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એશિયા કપની 5 મેચ પાકિસ્તાનમાં અને 9 શ્રીલંકામાં રમવાની છે. ભારતીય ટીમ તેની તમામ મેચ શ્રીલંકામાં જ રમશે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ પણ પાકિસ્તાનમાં જ રમાશે.
BCCI પ્રમુખની પાકિસ્તાનની મુલાકાત મોટો સંકેત
ભારત અને પાકિસ્તાન વચ્ચેના કડવા સંબંધોની અસર ક્રિકેટ પર પણ જોવા મળી રહી છે. 2006થી ભારતે પાકિસ્તાનના પ્રવાસે ટીમ મોકલી નથી. પાકિસ્તાનની ટીમ પણ 2012થી ભારત આવી નથી. 2012 થી બંને ટીમો ફક્ત ICC ટૂર્નામેન્ટ અને એશિયા કપમાં જ આમને-સામને હોય છે. પરંતુ હવે બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્નીની પાકિસ્તાનની મુલાકાતે જવું મોટો સંકેત છે.