જૂનાગઢ મનપા ચૂંટણી ટાણે ચૂંટણી બહિષ્કાર સાથે સ્થાનિકો વિફર્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી જાહેર થઇ છે.ત્યારે શહેરની હજુ અનેક સોસાયટીના રસ્તા બિસમાર હાલતમાં જોવા મળે છે.અને અન્ય સુવિધાથી લોકો પરેશાન છે. ત્યારે કયાંકને ક્યાંક સ્થાનિક સોસાયટીમાં પક્ષના નેતાઓની સામે વિરોધ જોવા મળી રહ્યો છે. જેમાં ક્યાંક ચૂંટણી મતદાન બહિષ્કાર તો કયાંક મતની ભીખ માંગવા આવવું નહિ તેવા બેનરો લગતા રાજકીય પક્ષોમાં મુંજવણ ઉભી થઇ છે.
- Advertisement -
શહેરના દ્વારકાપુરી સોસાયટી પાસે એક બેનર લાગવાનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.જેમાં રાજકીય પક્ષો સામે વિરોધ જોવા મળી રહ્યો છે બેનરમાં લખ્યું છે કે, દ્વારકાપુરી સહયોગ કો.ઓ.સોસા.વહીવટી કમીટીના નામથી વોર્ડ – 5 શશીકુંજ પાછળ જૂનાગઢ, ચૂંટણીનો બહિષ્કાર, આગામી જૂનાગઢની કોર્પોરેશન ચૂંટણી દરમિયાન કોઈપણ રાજકીય પક્ષોએ મતની ભીખ માંગવા આવવું નહિ, પ્રમુખ શ્રી દ્વારકાપુરી સોસાયટી આવા બેનરો લાગતા હવે મહાનગર પાલિકાની ચૂંટણી સમયે સ્થાનિક લોકો વિફર્યા છે.અને રાજકીય પક્ષો સામે ખુલ્લેઆમ મોરચો માંડીને ચૂંટણી બહિષ્કારનું રણશિંગુ ફૂંકતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.