વરસાદ વગર જાહેરનામું પ્રસિદ્ધ થતા લોકોમાંથી ઉઠતા સવાલો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
- Advertisement -
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આવેલ જળાશયો, નદી, તળાવ, નહેર, દરિયામાં ન્હાવા પડેલ વ્યક્તિઓના ડૂબી જવાથી મરણ થવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. આ બાબત અતી ગંભીર છે. લોકો જળાશયો, નદી, તળાવ, નહેર, દરિયામાં ન્હાવાના શોખીન હોય, આવી કોઈ પણ પ્રકારની આકસ્મિક તથા ગંભીર ઘટનાઓ બનતી અટકાવી જરૂરી છે. જેથી આવી ઘટનાઓ બનતી અટકાવવા માટે જૂનાગઢ જિલ્લામાં આવેલ 36 સ્થળોએ કોઈપણ વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું ભારતીય નાગરિક સુરક્ષા સહિતા 2023 ની કલમ 163 હેઠળ જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એસ.બારડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ જૂનાગઢ શહેરમાં વીલંગ્ડન ડેમ, વાઘેશ્વરી તળાવ ગણેશનગર, કાળવા નદી, સોનરખ નદી, નરસિંહ મહેતા તળાવ, નારાયણ ધરા, જટાશંકર જંગલ વિસ્તાર, જૂનાગઢ ગ્રામ્યમાં બાદલપુર ડેમ, ઉબેણ ડેમ, ઓજત નદી પર ગુજરીયા ડેમ, સોનરખ નદી પર પસવાળા ડેમ, હસ્નાપુર ડેમ, ઓઝત નદી બંધ (આંણદપુર), મધુવંતી નદી, આંબાજળ ડેમ સતાધાર,ધા્ફડ ડેમ સરસઈ,ઝાંઝેશ્રી ડેમ, મહુડા મહુડી ડેમ, ઓઝત નદી, ટીલોળી નદી, નોળી નદી, શાબરી/ મધુવતી નદી, વંથલીમાં શાપુર ઓઝત્, ખોરાસા ડેમ, બાંટવા ખારો ડેમ, ભાદર (વેકરી ગામ),ઓઝત (આંબલીયા ગામ), ભાદર નદી (સરાડીયા ગામ), ઓઝત નદી (કોયલાણાગામ, મટીયાણા ગામ), કામનાથ મંદિર પાસે આવેલ નોળી નદી, માળીયાહાટીનામાં ભાખરવડ ડેમ, કાળેશ્વર ડેમ, મેઘલપુલ, વડીયા ગામ કોઝવે, કાત્રાસા ગામ કોઝવે, મેઘલ નદી જેમાં સમઢીયાળા ગામ પાસે આવેલ ચેકડેમ પર કોઈપણ વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ પ્રતિબંધ રહેશે. આ જાહેરનામુંતા. 5/12/2025 થી તા. 2/2/2026 સુધી અમલમાં રહેશે.



