દેશભરમાં વિજ્ઞાન જાથાનો 10062મો કાર્યક્રમ, શાળાના નવા સત્રના પ્રારંભે નવતર પ્રયોગ હાથ ધરાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની વિરાણી સ્કૂલમાં વિદ્યાર્થીઓમાં અંધશ્રદ્ધા નિવારાણાર્થે ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાયો હતો. જાથાના 10062મા કાર્યક્રમને સફળતા મળી હતી. તેમજ ’એ’ ડિવીઝન પોલીસ સ્ટેશને પુરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. ભારતમાં શાળા, લેબોરેટરી, વૈદ્યશાળા, પુસ્તકાલય, યુનિવર્સિટી, રમતગમતની તાતી જરૂરીયાત છે તેની ઉપર વિશેષ માહિતી આપવામાં આવી હતી. ઉદ્દઘાટનમાં શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, પ્રભારી શાળાના ટ્રસ્ટી પરેશભાઈ ઠાકર, કેમ્પસ ડાયરેકટર સુનિલભાઈ સોલંકી, હાઈસ્કૂલના આચાર્યા હરેન્દ્રસિંહ ડોડીયા, સામતભાઈ કાગળીયા, મીતલબેન રાવલની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
શાસક પક્ષના નેતા લીલુબેન જાદવે જણાવ્યું કે અંધશ્રદ્ધાને દેશવટો આપવાની તાતી જરૂરીયાત છે. વિજ્ઞાન અભિગમથી રાષ્ટ્ર મજબુત બને છે. તેમજ દંડક મનિષભાઈ રાડીયાએ શ્રદ્ધા અંધશ્રદ્ધાનો ભેદ પારખવાની જરૂર છે. અંધશ્રદ્ધાથી માનવીને બરબાદી મળી છે. ભાવિ પેઢીને ધ્યાનમાં રાખી જુના-રદ્દી વિચારોને તિલાંજલિ આપવા હાકલ કરી હતી. શાળાના ટ્રસ્ટી, પરેશભાઈ ઠાકરે ઉદ્દઘાટન કરતાં જણાવ્યું કે વિજ્ઞાન જાથા વર્ષોથી પાખંડ સામે કામ કરે છે. લોકોની ફરજ બને છે કે અંધશ્રદ્ધાને તિલાંજલિ આપવી, સામુહિક પ્રયાસથી અંધશ્રદ્ધા નાબુદ થશે. કેમ્પસ ડાયરેકટર સુનિલભાઈ સોલંકીએ વ્હેમ, અંધશ્રદ્ધા, કુરિવાજો, વ્યસનો, જુની માન્યતા, પરંપરાને ત્યાગી નવાંગતુક વિચારોને પ્રાધાન્ય આપવાની તાતી જરૂરીયાત છે. શાળાના આચાર્યા મિતલબેન રાવલે શાળા સત્રના પ્રારંભે નવો અભિગમ મુકવાની નેમને સફળતા મળી છે. જ્ઞાન-વિજ્ઞાન દેશનો પાયો છે. જાથાના રાજય ચેરમેન જયંત પંડયાએ જણાવ્યું હતુ કે વિજ્ઞાનની શોધ માનવ કલ્યાણ માટે હોય છે. વિજ્ઞાને અનેક રહસ્યો ખોલી નાખ્યા છે. લોકોને વિજ્ઞાનથી ફાયદો થયો છે તે નજરે જોઈએ છીએ. ભારતમાં મહિલાઓ તાંત્રિકો, લેભાગુ, ભુવાઓ, મુંજાવરોનો વારંવાર ભોગ બને છે. જાગવાની જરૂર છે. પરિવારને સુખી સમૃધ્ધ કરવું હોય તો શિક્ષણની આવશ્યકતા અતિ જરૂરી છે. માનવીને મુશ્કેલીના સમયે વિજ્ઞાન દ્રષ્ટિકોણ લાભપ્રદ છે. ભારતમાં શાળા, લેબોરેટરી, વૈદ્યશાળા, પુસ્તકાલય, યુનિવર્સિટી, ઉદ્યોગ-રોજગારી કેન્દ્રની માનવ સમાજ માટે ઉપયોગી છે. અતિશ્રદ્ધા અંધશ્રદ્ધામાં સરી પડે નહિ તેની અતિ કાળજી રાખવી જોઈએ. અંધશ્રદ્ધાથી માનવીને પાયમાલી મળી છે. અંધશ્રદ્ધાને દેશવટો આપવો જોઈએ. વિજ્ઞાન યુગમાં લોકોએ જાગવાની જરૂર છે. ભૂત-પ્રેત, જીન્નાત, ખવીસ, ચુડેલ, ડાકણ, મામો, અદ્રશ્ય શક્તિ, દિવ્ય શક્તિ, આસુરી શક્તિ જેનું અસ્તિત્વ જ નથી તેનો ભય, ડર કાઢી નાખવાની તાતી જરૂરીયાત છે. સદીઓ પુરાણા વિચારોને તિલાંજલિ આપી વિજ્ઞાન-ટેકનોલોજી, નેનો, એ.આઈ. ની સિધ્ધીઓને અનુસરીને આપણા બાળકોને સિધ્ધી હાંસલ કરવાના પ્રયત્નો કરવા જોઈએ. પ્રયોગ નિદર્શનમાં મીમીકી આર્ટીસ્ટ ઉમેશ રાવ, તુષાર રાવ, સંજયભાઈ, જાથાના અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, ભાવનાબેન વાઘેલા એડવોકેટ, ભાનુબેન ગોહિલે ભાગ લીધો હતો.