ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજ્યભરના 70 જેટલા આઇપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ રેંજ આઇજી તરીકે ફરજ બજાવતા મયંકસિંહ ચાવડાની બદલી ગુજરાત એસટીના એઝયુકેટીવ ડાયરેકટર (વિજીલન્સ) તરીકે અમદાવાદ મુકયા છે. તેની જગ્યાએ અમદાવાદથી કોસ્ટલ સિકયોરીડીના ડીઆઇજી તરીકે ફરજ બજાવતા નિલેશ બી.જાજડીયાને જૂનાગઢ રેંજ આઇજી તરીકે મુકાયા છે.
તેમજ જૂનાગઢ એસ.પી.રવિ તેજા વાસમ શેટ્ટી જૂનાગઢમાં એક પોલીસ પ્રજાની મિત્ર છે તેવા ભાવથી જૂનાગઢ જિલ્લામાં કાયદો વ્યવસ્થા તેમજ લોકો સાથે ખૂબ સુંદર કામગીરી કરનાર એસપીને ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. જૂનાગઢ એસપી તરીકે સુરત શહેરના ઝોન/5માં ડીસીપી હર્ષદ બી. મહેતાને જૂનાગઢ એસપી તરીકે નિમણુંક કરવામાં આવી છે.