મંદિર પરિસરમાં પ્રતીકાત્મક પાલખી યાત્રા નીકળશે: મૂર્તિઓ વજનદાર હોવાથી યથાસ્થાને સ્થાપિત કરાઈ
રામ મંદિરમાં રામ દરબાર ઉપરાંત 6 મંદિરોમાં ભગવાનની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પાંચ જૂને થશે હાલ તેની તૈયારીઓ ચાલી રહી છે, બીજી બાજુ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મૂર્તિઓની શોભાયાત્રાની પરંપરાનું પાલન સુરક્ષાના કારણે નહીં કરવામાં આવે તેના માટે પ્રતીકાત્મક પાલકી યાત્રા મંદિર પરિસરમાંથી જ કાઢવામાં આવશે.
- Advertisement -
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના મહાસચીવ સંપત રાયે જણાવ્યું છે કે રામ દરબાર સહિત બધી મૂર્તિઓનું નિર્માણ મકરાના માર્બલથી કરવામાં આવ્યું છે. આ બધી મૂર્તિઓનું વજન ઘણુ છે જેના કારણે બધી મૂર્તિઓને યથા સ્થાને જ સ્થાપિત કરવામાં આવી છે.
પ્રતીકાત્મક રીતે અનુષ્ઠાનની બધી વિધી પૂરી કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાનમાં ચતુર્વેદના પારાયણની સાથે રામરક્ષા સ્તોત્ર અથર્વ શીર્ષના પણ પારાયણ થશે. આ ઉપરાંત અહીં દરરોજ હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ પણ કરાશે.