ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
પશુ વિજ્ઞાન કેન્દ્ર, ભુતવડ અને પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સીટી, જૂનાગઢ દ્વારા મોટા ગુંદાળા ગામ ખાતે પશુ આરોગ્ય અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટા ગુંદાળા ગામ અને કામધેનુ ગૌશાળા, મોટા ગુંદાળાના કુલ 266 પશુઓને સારવાર આપવામાં આવી હતી. જેમાં 251 પશુઓને કૃમિનાશક દવા આપવામાં આવી હતી. આ ઉપરાંત પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સીટી, જૂનાગઢના નિષ્ણાંત અને મદદનીશ પ્રાધ્યાપક ડો.સુરેશ કુમાર માવદીયા (મેડીસીન), ડો.જીગ્નેશ વડાલીયા (સર્જરી) અને ડો.દેવાશીભાઈ બોરખતરિયા (ગાયનેકોલોજી) દ્વારા 15 પશુઓની તપાસ કરીને તેમની સારવાર કરવામાં આવી હતી.ઉક્ત સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન અને સંચાલન બદલ મોટા ગુંદાળા ગામના સરપંચ ગોપાલભાઈ હીરપરા, પશુ વિજ્ઞાન કેન્દ્ર, ભુતવડના નોડલ અધિકારી ડો.સુરેન્દ્ર સાવરકર, પશુચિકિત્સા મહાવિદ્યાલય, જૂનાગઢના આચાર્ય ડો.પી.એચ.ટાંક, સહ પ્રાધ્યાપક ડો.દીનદયાલ અને પશુધન નિરીક્ષક અંકુર દેસાઈ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમ આચાર્ય, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જૂનાગઢમાં મોટા ગુંદાળા ગામે પશુ આરોગ્ય અને સારવાર શિબિર



