ભારત અને માલદિવના રાજનૌતિક વિવાદ આ સમયે થયો જ્યારે માલદીવના ત્રણ નેતાઓએ વડાપ્રધાન મોદીની સામે અપમાનજનક ટિપ્પણી કરી હતી. ભારતે આ ઘટનાની નિંદા કરી, અને વિરોધ નોંધાવતા માલદીવના રાજદૂતને ભારત બોલાવ્યા હતા.
વિદેશ મંત્રી એસ જયશંકરે છેલ્લે માલદીવના વિવાદને લઇને નિવંદન આપ્યું છે કે, અમે કોઇની જવાબદારી લઇ શકતા નથી, દરેક દેશ દરેક સમયે ભારતનું સમર્થન કરશે.
- Advertisement -
માલદીવની સાથે હાલમાં નગપુરના ટાઉનહોલમાં થયેલા વિવાદ વિશે જયશંકરને પૂછતા તેમણે કહ્યું કે, રાજનીતિ જો રાજનીતિ છે. હું ગેરંટી આપી શકું નહીં કે દરેક દેશ દરેક સમયે આપણું સમર્થન કરશે અને આપણા નિર્ણયોથી સહમત હશે. અમે જે પ્રયત્ન કરી રહ્યા છીએ, તે દેશની સાથેના સંપર્કોને મજબૂત બનાવવાનો છે. જેમાં અમે ઘણી હદ સુધી સફળ રહ્યા છીએ. અમે છેલ્લા 10 વર્ષોમાં કેટલાય દેશો સાથે સારા સંબંધો બનાવ્યા છે.
Speaking at Manthan: Townhall meeting in Nagpur. https://t.co/fSlQqm0n7L
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 13, 2024
- Advertisement -
રાજનીતિમાં તો સતત ફેરફાર આવે છે
વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજનૈતિક સંબંધોમાં ઉતાર-ચઢાવના કારણે લોકોની વચ્ચે સકારાત્મક ભાવનાઓને મહત્વ આપતાં કહ્યું કે, વૈશ્વિક સ્તર પર મજબૂત સંબંધ બનાવવા માટે છેલ્લા એક દશકામાં ભારતના પ્રયત્નોને ધ્યાને રાખ્યા છે. રાજનીતિ ઉતાર-ચઢાવવાળી થઇ શકે છે, પરંતુ આ દેશના લોકોની ભારતના પ્રત્યેની સારી ભાવનાઓ છે કે, તેઓ સારા સંબંધ રાખવાના મહત્વને સમજે છે. આ સિવાય, તેમણે બીજા દેશોમાં બુનિયાદી ઢાંચાને વિકસિત કરવામાં ભારતની ભાગીદારીનો ઉલ્લેખ કર્યો. ક્યારેક-ક્યારેક કેટલીક વસ્તુઓ સાચા રસ્તા પર નથી હોતી, પરંતુ તમારે બધું સરખું કરવા માટે તર્ક આપવા પડે છે.