ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની તડામાર તૈયારીઓ: જૈન સમાજ મહાવીરમય બન્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
છેલ્લા નવ વર્ષથી જૈનમ્ના સથવારે રાજકોટના જૈન સમાજ જેની રંગેચંગે ઉજવણી કરે છે તે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ આગામી તા. 10-4 ગુરૂવારના રોજ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં કાર્યરત અને હંમેશા જૈનમના દરેક કાર્યમાં તન-મન-ધનથી સહકાર આપતા રાજકોટ તમામ સ્થાનકવાસી, મૂર્તિપૂજક સંઘો, દિગંબર સંઘો, શ્રીમદ્ રાજચંદ્ર પરિવાર ઉપરાંત સકલ સંઘો તેમજ સાથી-સંસ્થાઓ, યુવામંડળો, મહિલા મંડળો, પ્રતિક્રમણ મંડળો સહિતના તમામે તમામ જૈનો આ વર્ષે પણ આ મહોત્સવમાં ઉત્સાહભેર જોડાશે.
આગામી તા. 10 ને ગુરૂવારના રોજ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહોત્સવ પૂર્વે અનેકવિધ કાર્યક્રમોની હારમાળા સર્જીને જૈનમ પ્રાયોજિત સમસ્ત જૈન સમાજ- રાજકોટ આયોજિત આ મહોત્સવથી રાજકોટનો તમામ જૈન સમાજ મહાવીરમય બન્યો છે. વિવિધરંગી કાર્યક્રમો જેવા કે બાળકોની અતિપ્રિય વેશભુષા સ્પર્ધા, ઓપન રાજકોટ ચિત્ર અને રંગોળી સ્પર્ધા કે જેમાં માત્ર જૈનો જ નહીં પણ જૈનેતરો ભાગ લઈ શકે, ભગવાનના બાળ સ્વરૂપને પારણે ઝૂલાવવાનો અનેરો અવસર એટલે વીર પ્રભુનું પારણું, જન્મ કલ્યાણના દિવસે આયોજિત દર્શનીય ધર્મયાત્રા કે જેમાં વિવિધ ફ્લોટસ, શણગારેલા કાર, બાઈક, સ્કૂટર, સાઈકલ, મ્યુઝિકલ બેન્ડ પાર્ટી, વિન્ટેજ કાર, શ્ર્વેત વસ્ત્રોમાં સજ્જ યુવાધન અને ચાંદીના રથમાં બિરાજમાન પ્રભુ મહાવીરની ધર્મયાત્રામાં અંતે ધર્મસભા અને સમસ્ત સમાજ એક ભાણે બેસીને જેનો અનેરો લહાવો લેવાનો છે તેવો ગૌતમ પ્રસાદ સહિતના કાર્યક્રમોમાં જોડાવવા માટે રાજકોટ તમામ સ્થાનકવાસી જૈન મંડળો જેવા કે શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રોયલ પાર્ક સ્થા. જૈન સંઘ (સી.એમ. પૌષધશાળા) મનહર પ્લોટ સ્થા. જૈન સંઘ, મહાવીરનગર સ્થા. જૈન સંઘ, શેઠ ઉપાશ્રય સ્થા. જૈન સંઘ, ઉવ્વસગહરં સાધના ભવન જૈન સંઘ, રેસકોર્સ પાર્ક સ્થા. જૈન સંઘ, ગીતગુર્જરી સ્થા. જૈન સંઘ, ગોંડલ રોડ વેસ્ટ સ્થા. જૈન સંઘ, નાલંદા ઉપાશ્રય, શ્રમજીવી સ્થા. જૈન સંઘ, શાલીભદ્ર સરદારનગર સ્થા. જૈન સંઘ, વિમલનાથ સ્થા. જૈન સંઘ, સદર સ્થા. જૈન સંઘ, જંકશન પ્લોટ સ્થા. જૈન સંઘ, જૈન ચાલ સ્થા. જૈન સંઘ, ચંદ્રપ્રભુ સ્થા. જૈન સંઘ, ભક્તિનગર સ્થા. જૈન સંઘ, નેમિનાથ વિતરાગ સ્થા. જૈન સંઘ, ઈન્દ્રપ્રસ્થ સ્થા. જૈન સંઘ, રામકૃષ્ણનગર સ્થા. જૈન સંઘ, વૈશાલીનગર સ્થા. જૈન સંઘ, પ્રહલાદ પ્લોટ સ્થા. જૈન સંઘ, સરિતાવિહાર સ્થા. જૈન સંઘ, માલવીયાનગર ઉપાશ્રય, પ્રહલાદ પ્લોટ નં. 13 ઉપાશ્રય, જય જિનેન્દ્ર આરાધના ભવન, નવકાર મંડળ, રૂડાનગર સ્થા. જૈન સંઘ, બજરંગવાડી સ્થા. જૈન સંઘ, સંઘાણી સ્થા. જૈન, અજરામર ઉપાશ્રય, સમર્થ શ્રદ્ધા ઉપાશ્રય, વિમલ આરાધના ભવન, તપસમ્રાટ તિર્થધામ, વખારીયા ઉપાશ્રય, રાજગીરી સાધના ભવન, સન્મતી આરાધના ભવન, સૈનિક સોસાયટી ઉપાશ્રય, તપસમ્રાટ ભક્તિ ભવન, ધર્માલય, ઋષભાનંદ જૈન સંઘ, પાર્શ્ર્વનાથ સ્થા. જૈન સંઘ, મનોહરગુરુ વૈયાવચ્ચ ધામ, સુમતિનાથ સ્થા. જૈન સંઘ તેમના શ્રાવક-શ્રાવિકાઓ સાથે બહોળી સંખ્યામાં જોડાનાર છે.
રાજકોટમાં આવેલ અનેકવિધ મૂર્તિપૂજક જૈન સંઘો જેમ કે રાજકોટ તપગચ્છ જૈન સંઘ (માંડવી ચોક), ચિંતામણી પાર્શ્ર્વનાથ જિનાલય (મણીયાર દેરાસર), જાગનાથ પ્લોટ જિનાલય, યુનિ. રોડ દેરાસર, પ્રહલાદ પ્લોટ દેરાસર, જાગનાથ મૂર્તિપૂજક જૈન સંઘ, ગાંધીગ્રામ દેરાસર, આનંદનગર દેરાસર, આજીડેમ જિનાલય, રૈયા હીલ દેરાસર, કાલાવડ રોડ જૈન સંઘ (પારસધામ), વર્ધમાનનગર દેરાસર, વિમલનાથ દેરાસર, પંચવટી મૂર્તિપૂજક જૈન સંઘ, શાંતિનાથ શ્ર્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, વાસુપૂજ્ય જિનાલય, શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ જિનાલય, સિદ્ધચક્ર તપગચ્છ મૂર્તિપૂજક જૈન સંઘ, નાગેશ્ર્વર પાર્શ્ર્વનાથ જિનાલય, રણછોડનગર મૂર્તિપૂજક જૈન સંઘ, પટણી દેરાસર, આનંદનગર મૂર્તિપૂજક જૈન સંઘ, બાવન જિનાલય, જીરાવાલા પાર્શ્ર્વનાથ દેરાસર, રૈયા રોડ મૂર્તિપૂજક જૈન સંઘ વિગેરેના પ્રમુખો, હોદ્દેદારો, શ્રાવક-શ્રાવિકાઓ, યુવા કાર્યકરો, પાઠશાળાના બાળકો, પ્રતિક્રમણ મંડળ, મહિલા મંડળ, પૂજા-સ્નાત્ર મંડળો ખૂબ મોટી સંખ્યામાં સમસ્ત જૈન સમાજ રાજકોટ આયોજિત વીર પ્રભુના અવતરણ દિવસે જૈનમ પ્રાયોજિત તથા સમસ્ત જૈન સમાજ રાજકોટ આયોજિત ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે સકલ સંઘ સહિત ધર્મભીના વાતાવરણમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાવાનનો છે.
દર વર્ષે સાથે સંસ્થાના સભ્યો હોંશભેર જોડાઈને સમસ્ત જૈન સમાજ આયોજિત આ મહોત્સવને ચાર ચાંદ લગાડે છે, ધર્મયાત્રા બાદ આયોજિત ધર્મસભામાં જોડાઈને તમામ સભ્યો સાધુ-સાધ્વીજી ભગવંતો દ્વારા વ્યાખ્યાનવાણીનો સુંદર લાભ મેળવે છે તેમજ કાર્યક્રમના અંતે આયોજિત ગૌતમ પ્રસાદમાં મોટા પ્રમાણમાં જોડાઈને સુંદર લ્હાવો મેળવે છે. જૈનમ પ્રાયોજિત આ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ રાજકોટ તમામ સાથી સંસ્થાઓ જોડાવવાની છે તે અંગેની માહિતી આપવા આજરોજ વિવિધ સાથી સંસ્થા, સ્થાનકવાસી સંઘો, મૂર્તિપૂજક સંઘોના આગેવાનો સર્વે અશોક વોરા, કેતનભાઈ ગોસલીયા, જીતુભાઈ લાખાણી, ભાવીનભાઈ ઉદાણી, નિલેશભાઈ કામદાર, વિરલ બાખડા, તરૂણભાઈ કોઠારી, જીગર પારેખ, જયંતભાઈ મહેતા, અનીષભાઈ વાધર, ભરતભાઈ દોશી, કીરીટભાઈ સંઘવી, માનવ મારવાડી, બીપીનભાઈ પારેખ, ચેતન વખારીયા, નીતીનભાઈ ગોડા, પ્રવીણભાઈ મહેતા, પંકજભાઈ શેઠ, સુકેતુભાઈ ભોડીયા, ચિરાગભાઈ દોશી વગેરે ‘ખાસ-ખબર’ની મુલાકાતે આવ્યા હતા.



