બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને ચર્ચાઓમાં છે. કરિયર ઉપરાંત, આલિયા પ્રેગ્નન્ટ છે, તો આ કારણે પણ સતત સમાચારોમા બનેલી રહે છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાના નામ પાછળ કપૂર સરનેમ લગાવી હતી, જેના પર ખૂબ જ ચર્ચાઓ જોવામાં આવી હતી. આ બધા વચ્ચે, આલિયાએ સોશિયલ મીડિયા ટ્રોલ પર પોતાનું મૌન તોડ્યું છે. ગયા દિવસો આલિયાની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી હિટ રહી હતી, હાલમાં જ નેટફ્લીકસ પર રીલીઝ થયેલ તેમની ફિલ્મ ડાર્લિંગસને પણ દર્શકોનો પ્રેમ મળ્યો હતો. આલિયા ભટ્ટે છતાં પણ ભયંકર ટ્રોલિંગનો સામનો કર્યો હતો. હવે અભિનેત્રીએ આના પર પોતાનું મૌન તોડ્યું છે.
સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ઘણી હસ્તિઓ, ખાસકારીને સ્ટાર કિડ્સ પર નિશાન સાધવામાં આવ્યું હતું. આ કારણે આલિયાઅને સૌથી વધારે ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. તેની ફિલ્મ સડક 2 આ વિવાદ વચ્ચે રીલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર ફિલ્મે ખરાબ પ્રદર્શન કર્યું હતું. આલિયાએ હાલમાં જ આપેલ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે હું જ્યાં પેદા થઈ છું, એ હું કઈ રીતે કંટ્રોલ કરી શકું છું ભાઈ? તેમણે એ પણ કહ્યું કે કાલે જો તેમનું બાળક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવે છે, તો તેણે ખુદ પોતાને સાબિત કરવું પડશે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
પોતાના કામથી નેપોટિઝમની દલીલો સમાપ્ત કરી દઇશ
ઇન્ટરવ્યૂ દરમિયાન, આલિયા ભટ્ટને પૂછવામાં આવ્યું કે શું ટ્રોલિંગે તેમણે પ્રભાવિત કર્યા છે? તેમણે આ સવાલનો જવાબ આપતા જણાવ્યું કે મને વિશ્વાસ હતો કે હું પોતાની ફિલ્મો અને કામથી આ ટ્રોલિંગ અને નેપોટિઝમની દલીલોને સમાપ્ત કરી દઇશ. મેં ખુદને સમજાવ્યું કે રીએક્ટ ન કર, ખોટું નહીં લગાડ. મને ખરાબ લાગ્યું તેમાં કોઈ શંકા નથી. પરંતુ જે કામ માટે તમારું સમ્માન કરવામાં આવે છે એન પ્રેમ મળે છે, તેના માટે ખરાબ લાગવું અજીબ હતું. મેં ગંગૂબાઈ કાઠિયાવાડી જેવી ફિલ્મ આપી છે. તો આખરે ખુશી કોને મળી? ઓછામાં ઓછું, જ્યાં સુધી હું આગળ ફ્લોપ ડીલીવર ન કરું ત્યાર સુધી હું હાલમાં હસી રહી છું અને ખુશ છું.
આલિયાએ એમ પણ કહ્યું કે હું ટ્રોલિંગ વિરુદ્ધ બોલીને ખુદનો બચાવ નહીં કરી શકુ અને જો તમે મને પસંદ નથી કરતા, તો મને ન જુઓ. આમાં હું તો કોઈ મદદ ન કરી શકું. લોકો તો કંઇપણ કહે છે. પરંતુ મને આશા છે કે હું પોતાની ફિલ્મોથી તેમણે સાબિત કરી આપીશ કેઆ હું ફિલ્મી દુનિયા અને એક્ટિંગને લાયક છું.