By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    1971માં પાકિસ્તાનની પડખે ઊભું હતું ઈરાન! રાજાના પુત્રની સત્તામાં વાપસીથી ભારતનું વધશે ટેન્શન?
    2 days ago
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    4 days ago
    ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર
    4 days ago
    ટ્રમ્પની ગૂંડાગીરી
    4 days ago
    ટ્રમ્પનું મોટું નિવેદન: ‘પુતિન વિરુદ્ધ માદુરો જેવી કાર્યવાહીની કોઈ જરૂર નથી'”
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ
    11 hours ago
    ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે
    12 hours ago
    ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ: 10 વર્ષમાં 21 લાખ નોકરીઓનું સર્જન
    12 hours ago
    ડિજિટલ એરેસ્ટ અટકાવવા માટે સિમ કાર્ડના નિયમો કડક બનાવાશે
    12 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષાની સંભાવના, ઝરણાં થીજી ગયા
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    13 hours ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    2 days ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    5 days ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    7 days ago
    રાજકોટમાં હાર્દિક પંડ્યાનું મેદાનમાં ફરી દેખાયું રૌદ્ર સ્વરૂપ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    2 days ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    4 weeks ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આકાશવાણી: અમદાવાદ અને વડોદરા કેન્દ્ર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > આકાશવાણી: અમદાવાદ અને વડોદરા કેન્દ્ર
AuthorBhavy Raval

આકાશવાણી: અમદાવાદ અને વડોદરા કેન્દ્ર

Khaskhabar Editor
Last updated: 2023/01/21 at 5:37 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

એક સમયે અમદાવાદ- વડોદરા આકાશવાણી કેન્દ્રના કાર્યક્રમો શ્રોતામાં અતિ પ્રિય ગણાતા

નમસ્કાર.. વાંચકમિત્રો.. ફરી એકવખત હું ભવ્ય રાવલ આપની સમક્ષ હાજર છું, ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રામાં.. ત્રણ હપ્તાઓમાં વાત કરવાની છે રેડિયોનો શોધ, ઈતિહાસ, ભારતમાં રેડીયોના આગમન અને ગુજરાતી પત્રકારત્વમાં રેડિયો તેમજ આકાશવાણીના અમદાવાદ, બરોડા, રાજકોટ, ભુજ કેન્દ્ર વિશે.. પ્રથમ હપ્તામાં રેડિયોનો શોધ, ઈતિહાસ, ભારતમાં રેડીયોના આગમન અને ગુજરાતી પત્રકારત્વમાં રેડિયોની માહિતી મેળવી લીધા બાદ બીજા હપ્તામાં આકાશવાણીના કેન્દ્ર અમદાવાદ, બરોડા વિશે વાત કરું તો.. ગુજરાતમાં ચાર પ્રાઈમરી રેડિયોસ્ટેશન આવેલા છે જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજનો સમાવેશ થાય છે. આહવા જેવા અંતરિયાળ વિસ્તારમાં પણ રેડિયો પ્રસારણ માટે ટ્રાન્સમીટર ઊભું કરવામાં આવ્યું છે. ત્રણ સ્થાનિક રેડિયોસ્ટેશન હિંમતનગર, ગોધરા અને દમણમાં આવેલા છે. હાલ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત રેડિયો અને રેડિયોસ્ટેશન પર પ્રોગ્રામ આપવાના મામલામાં આગળ છે. અમદાવાદ વડોદરા સ્ટેશન 200 કિલોવોટ ક્ષમતા ધરાવતું હોવાથી એનું પ્રસારણ ગુજરાત અને ગુજરાતની બહારના વિવિધ રાજ્યો જેવા કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ઉપરાંત પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ સંભળાય છે. હવે તો રેડિયોસ્ટેશન મોબાઈલ ફોનથી લઈ યુટ્યુબ સહિતની વિવિધ એપ્લીકેશનમાં ઉપલબ્ધ હોય ગુજરાત તો શું દુનિયાના કોઈપણ ખૂણામાંથી આકાશવાણી અને વિવિધભારતીના ગમેએવા કાર્યક્રમો ગમેત્યારે સાંભળી શકાય છે.
ગુજરાતમાં પ્રથમ રેડિયોસ્ટેશન 1939માં મહારાજા ગાયકવાડના શાસનકાળમાં વડોદરા ખાતે શરૂ થયું હતું. એ સમયમાં હૈદરાબાદ, ઔરંગાબાદ, મૈસુર અને ત્રિવેન્દ્રમના રજવાડાઓ પાસે પોતપોતાના રેડિયોસ્ટેશન હતા. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયોસ્ટેશન શરૂ કરનારા રાજવી ગાયકવાડ પરિવારે આઝાદી પછી પોતાનું રેડિયોસ્ટેશન સરકારને સોંપી દીધેલું હતું. 16 ડિસેમ્બર 1948માં ઓલ ઈંડિયા રેડિયોનું અમદાવાદમાં રેડિયોસ્ટેશન શરૂ થયું હતું. 16 એપ્રિલ 1949માં વડોદરાના રેડિયોસ્ટેશનને અમદાવાદના રેડિયોસ્ટેશન સાથે એક કરી દેવામાં આવ્યું હતું અને આમ અમદાવાદ-વડોદરા એક જ રેડિયોસ્ટેશન ગણાતું હતું. થોડો સમય અમદાવાદ પેટા સ્ટેશન અને વડોદરા મુખ્ય સ્ટેશન રહ્યું, પછી અમદાવાદ મુખ્ય સ્ટેશન બની ગયું. અમદાવાદમાં રેડિયોસ્ટેશનની સ્થાપના થઈ તે અગાઉ વડોદરા રાજ્ય હસ્તક બરોડા બ્રોડકાસિ્ંટગ હતું. જે વડોદરાના સલાટવાડા રોડ વિસ્તારમાં ખાસ બાંધવામાં આવ્યું હતું, તેની ક્ષમતા એક કિલોવોટ હતી. આ કેન્દ્રની પ્રસારણ સેવાઓ 30 કિ.મી.ના વિસ્તારને આવરી લેતી હતી. અમદાવાદ રેડિયોસ્ટેશનની સ્થાપના થતાં જેમ બીજાં રાજ્યોના પ્રસારણ કેન્દ્રો ઓલ ઈંડિયા રેડિયોમાં ભળી ગયાં તેમ બરોડા બ્રોડકાસ્ટિંગ કેન્દ્ર પણ ઓલ ઈંડિયા રેડિયોમાં ભળી ગયું.

- Advertisement -

આકાશવાણીના પ્રસારણમાં અનેક નીતિવિષયક ફેરફારો આવ્યા: પ્રસારણ અને કાર્યક્રમ નિર્માણમાં મોટો ઘટાડો થયો

આકાશવાણી અમદાવાદ કેન્દ્રનો આરંભ 16 એપ્રિલ 1949થી એલિસબ્રિજમાં આવેલા નવનીતલાલ શોધનના નાનકડા બંગલામાં થયો હતો

આકાશવાણી અમદાવાદ કેન્દ્રનો આરંભ 16 એપ્રિલ 1949થી એલિસબ્રિજમાં આવેલા નવનીતલાલ શોધનના નાનકડા બંગલામાં થયો હતો. આ અમદાવાદ કેન્દ્રની શક્તિમર્યાદા એક કિલોવોટની હતી. અમદાવાદ કેન્દ્રનો પ્રારંભ તે વખતના માહિતી અને પ્રસારણ વિભાગના મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના સંદેશાથી થયો હતો. પ્રથમ ઉદ્દઘોષણા સમયે અમદાવાદની સાથે વડોદરા કેન્દ્રને પણ સાંકળી લેવામાં આવ્યું હતું. અમદાવાદ અને વડોદરા વચ્ચે ટેલિફોનલાઈન દ્વારા બધા કાર્યક્રમો સંયુક્ત રીતે પ્રસારણ પામતા હતા. અમદાવાદની સરખામણીમાં વડોદરાનું રેડિયોસ્ટેશન પ્રસારણ માટે જ બાંધ્યું હોવાથી વિશેષ વ્યવસ્થિત હતું. અમદાવાદ કેન્દ્રના મકાનનું બાંધકામ 1957માં પૂર્ણ થયું અને નવરંગપુરામાં નવું મકાન થતાં ત્યાં વધુ શક્તિશાળી ટ્રાન્સમીટર મૂકવામાં આવ્યું હતું. અહીનું ટ્રાન્સમીટર દૂર બારેજા પાસે રાખવામાં આવ્યું હતું. સ્થાપનાના થોડા વર્ષમાં જ અમદાવાદ અને વડોદરા આકાશવાણી કેન્દ્ર દ્વારા આધુનિક સ્ટુડિયોનું નિર્માણ કરી લેવામાં આવ્યું હતું. આકાશવાણીનો વ્યાપ વધારવા પ્રોગ્રામ વિભાગ, ટેકનિકલ વિભાગ, વહીવટી વિભાગ અને એન્જિનિયરિંગ વિભાગ શરૂ કરવામાં આવ્યા. 1952માં સુગમ સંગીત યુનિટની સ્થાપના થઈ, જેમાં ખાસ પ્રકારનાં ગીત-સંગીત રેકોર્ડ કરવામાં આવતા. અમદાવાદ કેન્દ્ર પરથી 2 ઓક્ટોબર 1965થી વિવિધભારતીનો આરંભ થયો. વિવિધભારતીના કાર્યક્રમોની સંપૂર્ણ તૈયાર ટેપ આવતી અને તેનું પ્રસારણ અહીંથી થતું. ત્યારબાદ ગુજરાતીમાં જ ગુજરાતના વિશિષ્ટ કાર્યક્રમો પણ વિવિધભારતી દ્વારા રજૂ થતા ગયા. વિવિધભારતીમાં કોમર્શિયલ બ્રોડકાસિ્ંટગ 29 નવેમ્બર 1970થી શરૂ થયું. ગુજરાતમાં અમદાવાદ કેન્દ્રમાં વિવિધભારતી ચેનલ અને બ્રોડકાસિ્ંટગ ચેનલ એમ બે પ્રવાહો 2 ઓક્ટોબર 1965થી શરૂ થયા. આકાશવાણી વડોદરાનું નવનિર્મિત કેન્દ્ર મકરપુરા રોડ પર 1973માં બાંધવામાં આવ્યું હતું આ કેન્દ્ર પરથી વિશિષ્ટ કાર્યક્રમો આપવા માટે એક કિલોવોટનું ટ્રાન્સમીટર 1 એપ્રિલ 1975થી શરૂ થયું હતું.
આકાશવાણીના સમાચારવિભાગની શરૂઆત 15 જાન્યુઆરી 1960માં થઈ. ગુજરાતને આવરી લેતા સમાચારો દરરોજ સાંજે દર અઠવાડિયે એકવાર સમાચાર દર્પણ, એકવાર લોકરુચિ સમાચાર અને અઠવાડિયાના ચાર દિવસ જિલ્લા સમાચારપત્ર રૂપે પ્રસારિત થતા. ગુજરાત વિધાનસભાની બેઠક ચાલતી ત્યારે રોજેરોજની કાર્યવાહીની દૈનિક સમીક્ષા અને દર અઠવાડિયે એકવાર સાપ્તાહિક સમીક્ષા રજૂ થતી. આકાશવાણીના સમાચારોને આવરી લેતું મુખપત્ર નભોવાણી પણ અનેક વર્ષો સુધી પ્રસિદ્ધ થતું રહ્યું. સમાચાર ઉપરાંત ફિલ્મસંગીત, શાસ્ત્રીય અને સુગમ સંગીતના કાર્યક્રમો તેમજ શ્રોતાઓ સાથે સંવાદ સાધવા પત્રાવલિ જેવા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા. ગુજરાતમાં આકાશવાણીના અમદાવાદ અને વડોદરા કેન્દ્રની પ્રસારણની સેવાઓને શ્રોતા વધાવી લીધી, વખાણી.. મજૂરભાઈઓ માટેનો કાર્યક્રમ મિલના રિસેસ સમયે અડધા કલાક માટે પ્રસારિત થતો. આ કાર્યક્રમ રજૂ કરનારા કલાકારોના નામ તાણાભાઈ – વાણાભાઈ હતા, જે પાછળથી શાણાભાઈ – શકરાભાઈમાં ફેરવવામાં આવ્યાં હતા.
વડોદરાથી ખેડૂતોભાઈઓ માટેનો કાર્યક્રમ પ્રસારિત થતો હતો. આકાશવાણી પરથી બાળકો, યુવાનો, મહિલાઓ તેમજ વૃધ્ધો માટે વિવિધ રસપ્રદ કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવતા, જેમાં યુવાનો માટે યુવવાણી અને મહિલાઓ માટે ખસીસહેલીને ખાસી લોકપ્રિયતા મળી હતી. ખેડૂતો માટેના કાર્યક્રમ ખેતીની વાતને પણ ખૂબ પ્રસંશા મળી હતી. આકાશવાણીની પ્રસારણ સેવાનો વિકાસ થતાં ધીમેધીમે દરેક વર્ગ માટેના કાર્યક્રમોનો ઉમેરો થતો ગયો. ખોવાયેલી વ્યક્તિની જાહેરાત, લોહીની જરૂરિયાતવાળા અંગેની જાહેરાત, ગુમ થયેલા વ્યક્તિની જાહેરાત, હવામાનના ફેરફાર અંગેની જાહેરાતથી લઈ ક્રિકેટ કોમેન્ટરી અને ચૂંટણી વખતે તાત્કાલિક પરિણામોની જાહેરાત, સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન, રથયાત્રા, જન્માષ્ટમીની ઉજવણીનો આંખો દેખ્યો અહેવાલ વગેરે.. જાહેરાત અને સેવા આકાશવાણી આપતું આવ્યું છે. કુદરતી આફતો અને હોનારતો વચ્ચે આકાશવાણીની સેવાને ભૂલી-વિસરી શકાય તેમ નથી. હવે રેડિયો પ્રસારણ સીધું જ સેટેલાઈટ પરથી થતું હોવાથી માહિતી આપવાના મામલામાં પહેલાની જેમ આજેપણ આ માધ્યમ પાછળ નથી.
આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ કેન્દ્ર અન્ય માધ્યમો સાથે કદમથી કદમ મિલાવી ચાલવાની કોશિશ કરી રહ્યું છે. આકાશવાણી – ઓલ ઈંડિયા રેડિયોની શરૂઆતથી લઈ આજ સુધીમાં તેના પ્રસારણમાં અનેક નીતિવિષયક ફેરફારો આવ્યા છે. આકાશવાણી ગુજરાતના પ્રસારણ અને કાર્યક્રમ નિર્માણમાં મોટો ઘટાડો આવ્યો છે. અત્યારે દરેક રાજ્યના પાટનગરમાંથી આકાશવાણીની પ્રાયમરી ચેનલનું પ્રસારણ મુખ્યત્વે રહ્યું છે. ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા મુખ્ય કેન્દ્ર છે, સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ અને ભુજ મુખ્ય કેન્દ્ર છે. અમદાવાદના કાર્યક્ષેત્રમાં ઉત્તર ગુજરાત અને વડોદરાના કાર્યક્ષેત્રમાં મધ્ય અને દક્ષિણ ગુજરાત આવે છે. કાર્યક્રમનું નિર્માણ અને પ્રસારણ સમય સ્લોટ મુજબ કેન્દ્રો વચ્ચે વહેંચાયેલા છે અને આ રીતે રાજકોટ અને ભુજ અનુક્રમે સૌરાષ્ટ્ર અને કચ્છનું કાર્યક્ષેત્ર ધરાવે છે. હવે આકાશવાણીના રાજકોટ અને ભુજ કેન્દ્ર વિશે વધુ વાત કરીશું ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રામાં આવતા સપ્તાહે.. ત્યાં સુધી આવજો.. ફરી મળીશું..

- Advertisement -

વધારો: 1983માં આકાશવાણી અમદાવાદ કેન્દ્ર પરથી યશવંત મહેતા લિખિત ધારાવાહિક વિજ્ઞાન – કિશોર સાહસકથા રજૂ થઈ હતી. જ્યારે રેડિયોનો જમાનો હતો ત્યારે આકાશવાણી કેન્દ્રનો રેડિયો પરથી નાટક – વાર્તા રજૂ થતા હોય તેમ વિજ્ઞાન – કિશોર સાહસકથા રજૂ કરવાનો પ્રયોગ ભારતભરમાં પ્રથમ રહ્યો હતો.

You Might Also Like

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

ધ ગ્રેટ બ્રિટનનો ધ ગ્રેટ ’ધી એન્ડ’?

અંગૂઠાના નખ જેવડી માછલી સિંહથી મોટી ગર્જના કરી શકે છે

ઓમકાર અને પ્રાણાયામથી 120 બીમારીઓ થશે દૂર

મનની શક્તિ અપાર

TAGGED: AAKASHVANI, JOURNALISAM, RADIO
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article યા હોમ કરીને પડો, ફતેહ છે આગે
Next Article ગુનાઇત પ્રવૃતિ અટકાવવા ક્રાઈમ બ્રાન્ચ, SOG દ્વારા હોટેલોમાં ચેકિંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

પ્રભાસ તીર્થની પૂણ્યભૂમિ પર સૂરીલી સંધ્યાથી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની સંગીતમય પૂર્ણાહુતી

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસનું મનરેગા બચાઓ આંદોલન, જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે ધરણા યોજાયા
મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ માટે કલેકટર, ધારાસભ્ય અને ઉતારા મંડળની બેઠક મળી
રાજ્યમાં સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત પર 2.1 ડિગ્રી
મોરબી: આડેધડ પાર્કિંગ કરતા રિક્ષાચાલકો સામે પોલીસની લાલ આંખ: 6 રિક્ષા ડિટેન
લોકગાયક દેવ ભટ્ટના પુત્ર ભવ્ય, પરમની યજ્ઞોપવિત વિધિ યોજાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

ધ ગ્રેટ બ્રિટનનો ધ ગ્રેટ ’ધી એન્ડ’?

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
મનીષ આચાર્ય

અંગૂઠાના નખ જેવડી માછલી સિંહથી મોટી ગર્જના કરી શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?