વાયુ પ્રદૂષણથી થતા રોગોના કારણે વિશ્ર્વમાં દર વર્ષે સરેરાશ 40 લાખથી વધુ લોકોના મોત થાય છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
- Advertisement -
વાયુ પ્રદૂષણથી થતા રોગોના કારણે વિશ્વમાં દર વર્ષે સરેરાશ 40 લાખથી વધુ લોકોના મોત થાય છે, પરંતુ હવે આઈવીએફ ટેક્નોલોજી દ્વારા બાળકોના જન્મ પર તેની આડ અસર પણ સામે આવી છે.
નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમમાં એએસએચઆરએઈ (યુરોપિયન સોસાયટી ઓફ રિપ્રોડક્ટિવ એન્ડ એમ્બ્રીયોલોજિકલ સાયન્સ)ની વાર્ષિક બેઠકમાં રજૂ કરાયેલા અભ્યાસમાં આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. અભ્યાસ અહેવાલ મુજબ, આઈવીએફ (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) ટેકનિકમાં એગ ફર્ટિલાઇઝેશન પહેલાં પ્રદૂષણના કણના સંપર્કમાં આવતા બાળકના જીવંત જન્મની શક્યતા લગભગ 38 ટકા ઘટી જાય છે. સંશોધન દરમિયાન, ઇંડા એકત્ર કરતા પહેલા, તેઓ બે અઠવાડિયા માટે પીએમ10 (10 માઇક્રોમીટરથી નાના કણો)ના સંપર્કમાં આવ્યા હતા. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ધૂળના કણોએ ગર્ભમાં જીવિત જન્મવાની શક્યતા 38 ટકા ઘટાડી દીધી છે. ગર્ભ પુન:પ્રાપ્તિ સમયે સ્ત્રીઓની સરેરાશ ઉંમર 34.5 વર્ષ હતી, જ્યારે ગર્ભ બદલવાના સમયે સરેરાશ વય 36.1 વર્ષ હતી.
અભ્યાસના મુખ્ય લેખક ડો. સેબેસ્ટિયન લેડેરિચના જણાવ્યા અનુસાર, આબોહવા પરિવર્તન અને પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય માટે મોટા જોખમો છે, જેમાં પ્રજનનનો પણ સમાવેશ થાય છે. આ માટે, સારી હવાની ગુણવત્તા જાળવવા માટે વાયુ પ્રદૂષણના પરિબળોને યોગ્ય રીતે નિયંત્રિત કરવા જોઈએ. વાયુ પ્રદૂષકોનું સ્તર ચાર સમય માટે માપવામાં આવ્યું હતું. તેમાં 24 કલાક, બે અઠવાડિયા, ચાર અઠવાડિયા અને ત્રણ મહિનાનો સમાવેશ થાય છે. અભ્યાસમાં પીએમ 10 અને પીએમ 2.5 સ્તર વિશ્વ આરોગ્ય સંસ્થાના માર્ગદર્શિકાથી ઉપર હતા.
- Advertisement -
ડો. સેબેસ્ટિયનના જણાવ્યા મુજબ, આ તેના પ્રકારનો પ્રથમ અભ્યાસ છે જેમાં એગના વિકાસ અને ગભર્વિસ્થાના પ્રારંભિક તબક્કા દરમિયાન પ્રદૂષકોની અસરોને સમજવા માટે સ્થિર ગર્ભ ટ્રાન્સફર ચક્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તારણો સૂચવે છે કે પ્રદૂષણ માત્ર ગભર્વિસ્થાના પ્રારંભિક તબક્કાને જ નહીં પરંતુ એગની ગુણવત્તાને પણ અસર કરે છે.