By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    16 hours ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    16 hours ago
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    3 days ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    4 days ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દુનિયાના 190 દેશમાંથી સૌથી વધુ રજા ધરાવતો દેશ ભારત
    13 hours ago
    જય મહાકાલ: વર્ષમાં એકવાર બપોરે થતી ભસ્મ આરતી થઈ
    13 hours ago
    વિધાનસભાના સત્રનો પ્રારંભ: બુધવારે બજેટ
    14 hours ago
    ધો.10ની CBSE બોર્ડની પહેલી પરીક્ષા આપવી ફરજિયાત, નહીંતર બીજીમાં નહીં મળે એન્ટ્રી, જાણો નવા નિયમો
    14 hours ago
    ‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    13 hours ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    16 hours ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    3 days ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    3 days ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    15 hours ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    4 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    5 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આર્થિક વિકાસ-રોજગાર તેમજ પર્યટન ઉદ્યોગ પર જળવાયુ પરિવર્તનની પ્રતિકૂળ અસરો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > આર્થિક વિકાસ-રોજગાર તેમજ પર્યટન ઉદ્યોગ પર જળવાયુ પરિવર્તનની પ્રતિકૂળ અસરો
Hemadri Acharya Dave

આર્થિક વિકાસ-રોજગાર તેમજ પર્યટન ઉદ્યોગ પર જળવાયુ પરિવર્તનની પ્રતિકૂળ અસરો

Khaskhabar Editor
Last updated: 2024/03/30 at 5:36 PM
Khaskhabar Editor 2 years ago
Share
9 Min Read
SHARE

પાછલા મહિનાઓમાં, અનેક એવી ઘટનાઓ પ્રકાશમાં આવી જે દર્શાવે છે કે કેવી રીતે હવામાનની વિષમ ઘટનાઓએ ભારતમાં સામાન્ય જીવનને વિક્ષેપિત કર્યું છે. ગ્લોબલ ક્લાઈમેટ રિસ્ક ઈન્ડેક્સ 2021 એ આબોહવા જોખમ ઘટનાઓ માટેનો વૈશ્વિક સૂચકાંક છે, તેના સંદર્ભમાં જળવાયુ અનુસંધાને વિશ્વના સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં ભારતને 7મું સ્થાન આપ્યું છે. જળવાયુ પરિવર્તન અને આર્થિક વિકાસ-રોજગાર ભારતના લગભગ પચાસેક કરોડ કામદાર જેમાં કામ કરે છે તે કૃષિ, બાંધકામ અને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (ખજખઊ), જલવાયુ પરિવર્તનથી ભારતનું આ વિશાળ અનૌપચારિક ક્ષેત્ર અત્યંત જોખમમાં છે. ભારતમાં દરરોજ કોઈને કોઈ ભારે વિષમતા વાળું હવામાન જોવા મળી રહ્યું છે, જેના કારણે આપણે વિકાસની તકો ગુમાવી રહ્યા છીએ. વરસાદની પેટર્નમાં ફેરફાર, હવામાનની આત્યંતિક ઘટનાઓ અને આબોહવા પરિવર્તનને કારણે વધતું તાપમાન એ અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતા લોકોની આજીવિકા માટે મુખ્ય પડકારો છે. આપણે વ્યવહારિક સંદર્ભે તેને એ રીતે પણ જોઈ શકીએ કે વર્ષોવર્ષ વધતી રહેતી ગરમીનો પારો માનવજીવન પર સીધી અસર કરે છે. ગરમીમાં વ્યક્તિની કાર્યક્ષમતા ઘટી જાય છે, તાજગીસભર વિચારો નથી આવતા, સતત સુસ્તી અને પડ્યા રહેવાનું વલણ ગરમીમાં સ્વાભાવિક છે ઉપરાંત ગરમીજન્ય બીમારીનો ભોગ બનતા લોકોનો આંકડો પણ બહુ મોટો છે. હવે આર્થિક પરિપેક્ષમાં,  ઈન્ડિયાનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉલ્કા કેલકર જણાવે છે

કે, “અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો, કૃષિ, બાંધકામ અને ખજખઊત આબોહવા જોખમોથી સૌથી વધુ જોખમમાં છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જ નવા એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જોખમમાં મૂકી શકે છે. ભારત વિકાસના એક નિર્ણાયક તબક્કે છે અને તેથી જ એ મહત્વપૂર્ણ બની જાય છે કે ઝડપી આર્થિક વૃદ્ધિ સાથે પર્યાવરણીય મુદ્દાઓના જોખમોનાં સમાધાન પણ ઝડપથી શોધવામાં આવે. અક્ષય ઉર્જા, એટલે કે રિન્યુએબલ એનર્જી એ કુદરતી સ્ત્રોતોમાંથી મેળવવામાં આવતી ઉર્જા છે જે પુન: પુન: ઉત્પાદિત થતી રહે છે જેમ કે સૂર્યપ્રકાશ અને હવા એ એવા સ્ત્રોત છે જેની પૂર્તિ સતત થતી રહે છે. આવા નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો વિપુલ પ્રમાણમાં છે અને આપણી આસપાસ છે તેના પર ઇન્વેસ્ટમેન્ટ કરવા વિશે વિચારવું એ આજના સમયની માંગ છે અને એ પરત્વે કામ પણ થઈ રહ્યું છે પરંતુ આ મુદ્દે પણ જલવાયું પરિવર્તન પડકારરૂપ સાબિત થઈ રહ્યું છે. એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દે જલવાયું પરિવર્તનને કારણે જોખમ ઉભું થઈ શકે છે.વર્ષ 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની ભારતની મહત્વાકાંક્ષાના અનુસંધાને એ કહેવાનું કે ઊર્જા ક્ષેત્રમાં નબળા રહીને કોઈ દેશ સમૃદ્ધ બની શકે નહીં. અને એ બાબતે આ સમયે આપણે ઉપર કહ્યું તેમ કેટલીક મહત્વપૂર્ણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. સામાન્ય રીતે જલવાયું પરિવર્તનને આપણે કાર્બનના પ્રમાણમાં વૃદ્ધિ તરીકે જોઈએ છીએ પરંતુ જળવાયુ પરિવર્તનનો સામનો કરવાના ભારતના લક્ષ્યને માત્ર કાર્બનના સંદર્ભમાં જોઈ શકાય નહીં. જેમ જેમ આબોહવા પરિવર્તનના જોખમો વધવા લાગે છે, તેમ તેમ અનુકૂલનશીલ નીતિનિર્માણ જરૂરી થઈ પડે છે.

- Advertisement -

ભારત સામે સૌથી મોટા પડકારોમાનો એક, રોજગારી છે. આપણે જાણીએ જ છીએ કે, તેના સંલગ્ન ક્ષેત્રો સાથે કૃષિ એ ભારતમાં આજીવિકાનો સૌથી મોટો સ્ત્રોત છે અને અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે. હવે,જળવાયુ પરિવર્તન પાક ચક્રને ગંભીરપણે વિક્ષેપિત કરી શકે છે અને તાપમાનમાં ફેરફાર, વરસાદની પેટર્ન, જીવાતોનો ઉપદ્રવ, જમીનનું ધોવાણ, પાણીની અછત અને પૂર અને દુષ્કાળ જેવી આત્યંતિક હવામાન ઘટનાઓને કારણે કૃષિ ઉપજમાં ઘટાડો કરી શકે છે. ઓછી ઉપજ ગ્રામીણ અર્થતંત્રને અસર કરે છે અને શહેરી વિસ્તારોમાં ફુગાવો પણ વધારી શકે છે. બીજું, મત્સ્યોદ્યોગમાં વિક્ષેપ: આબોહવા પરિવર્તનને કારણે દરિયાની સપાટીના તાપમાનમાં વધારો માછલીની પ્રજાતિઓના વિતરણ અને વર્તનને વિક્ષેપિત કરી શકે છે. પર્યાવરણશાસ્ત્રીઓનું તારણ છે કે આગામી વર્ષોમાં, જલવાયુ પરિવર્તનને કારણે, ગ્રીન એનર્જીમાંથી દર વર્ષે સર્જાતી નવી નોકરીઓ,હાલના વર્ષોમાં છે તેના કરતાં પણ ઘણી ઓછી થવા લાગશે અને બીજીબાજુ, શ્રમબજારમાં પ્રવેશતા યુવાનોની સંખ્યા વધી રહી છે. જોબ માર્કેટમાં દર વર્ષે જે નવું વર્કફોર્સ ઉમેરવામાં આવે છે તે રોજગારીનું સર્જન થઈ રહ્યું છે તેના કરતાં ઘણું વધારે છે. અશ્મિભૂત ઇંધણમાં ઘટાડા સાથે ટેક્સની આવકમાં પણ ઘટાડો થશે. જો આપણે ગ્રીન એનર્જીમાંથી આવક પેદા કરવાના નવા રસ્તાઓ નહીં શોધીએ તો, આજના હિસાબે, 2047 સુધીમાં 1.5 ટ્રિલિયન ડોલરનું નુકસાન થશે. બીજું, ભારત વીજળીનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક અને ઉપભોક્તા છે અને તેની જરૂરિયાતો માટે ફક્ત રિન્યુએબલ એનર્જી જનરેટ કરવી જ પર્યાપ્ત નથી. દેશમાં મોટા પાયે તેના સંગ્રહ ક્ષમતાની જરૂર છે. ભારતીય ઉદ્યોગ પરિવર્તનની જરૂરિયાત પ્રત્યે વધુ જાગૃત બની રહ્યો છે અને આ દિશામાં પગલાં લઈ રહ્યો છે. તે તેમના માટે અને પર્યાવરણ માટે પણ સારું છે. લોખંડ, સિમેન્ટ અને સ્ટીલ જેવા ક્ષેત્રોમાં તેને વધારવાની જરૂર છે. એવા ઘણા ઉદ્યોગો છે જે તેમના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડી શકે છે. કાર્બન ફૂટપ્રિન્ટ એ ગ્રીનહાઉસ ગેસની એ કુલ માત્રા છે (કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન સહિત) જે આપણી પ્રવૃત્તિઓ- ક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થાય છે.)

જળવાયુ પરિવર્તન અને પર્યટન ક્ષેત્ર

આંતરરાષ્ટ્રીય જર્નલ એનલ્સ ઓફ ટુરિઝમ રિસર્ચમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, જળવાયુ પરિવર્તનને કારણે વૈશ્વિક સ્તરે પર્યટન અને તેની સાથે સંકળાયેલી અર્થવ્યવસ્થાને દૂરગામી અને ઘાતક પરિણામોનો સામનો કરવો પડશે. સંશોધકોએ એવા વિસ્તારોને ઉલ્લેખ કર્યો છે કે જ્યાં પર્યટન અને તેના વિકાસની સૌથી વધુ સંભાવનાઓ છે અને ત્યાં પ્રવાસન વિકાસમાં નોંધપાત્ર પ્રમાણમાં નાણાંનું રોકાણ પણ થઈ રહ્યું છે, પરંતુ તે જ સમયે આ વિસ્તારો આબોહવામાં બદલાવને કારણે ગંભીર જોખમ હેઠળ છે.ભારતનો પ્રવાસન ઉદ્યોગ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા વિકાસના માર્ગ પર છે. જો આપણે કેટલાક તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો, ભારતમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા વર્ષ પ્રતિ વર્ષ વધતી જાય છે.2019માં 10.04 મિલિયનની સરખામણીએ વર્ષ 2021 દરમિયાન વધીને 10.56 મિલિયન હતી જેમાં 2023માં નવ ટકાના દરે વૃદ્ધિ થઈ હતી. પરંતુ જલવાયુ પરિવર્તનની પર્યટન ઉદ્યોગ પર કેટલીક નકારાત્મક અસરો પડી શકે છે કારણ કે આકર્ષક હવામાન ન હોય તેવા સ્થળોની પ્રવાસીઓ મુલાકાત લેવાની શક્યતા ઓછી હોય છે. જળવાયુ પરિવર્તનને કારણે તાપમાનમાં વધારો, વરસાદની પેટર્નમાં ફેરફાર, પાણીની ઉપલબ્ધતા અને ચોમાસામાં ફેરફાર જેવી આત્યંતિક હવામાન ઘટનાઓથી પ્રવાસન સંભવિતપણે પ્રભાવિત થઈ શકે છે. પાણીની ઉપલબ્ધતામાં ઘટાડો, લોકપ્રિય પર્યટન સ્થળોમાં પાણીના સંસાધનોની ઉપલબ્ધતા ન હોવાને કારણે પ્રવાસીઓ માટે તરવા અથવા અન્ય પાણી આધારિત પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવા માટે સ્થાનો શોધવાનું મુશ્કેલ બની શકે છે.

- Advertisement -

બીજું, અસમાન હવામાન ઘટનાઓ; ચોમાસાના સમયમાં ફેરફારને કારણે પ્રવાસીઓ માટે તેમના પ્રવાસનું આયોજન કરવું વધુ મુશ્કેલ બની શકે છે, જેનાથી કેટલાક વિસ્તારોમાં પ્રવાસનને અસર થશે. જો કે આ અસરો લાંબાગાળે આવશે પણ તેને નિવારવા માટેના પગલાં આજથી લેવા જરુરી છે. ત્રીજું,આત્યંતિક હવામાન ઘટનાઓ: હિટ વેવ્સ અને અન્ય આત્યંતિક હવામાનની ઘટનાઓની આવૃત્તિમાં વધારો કેટલાક વિસ્તારોને પ્રવાસન માટે પ્રતિકૂળ બનાવશે. જેના કારણે પ્રવાસન સદ્ધર લોકોના હાથની વાત રહી જશે. વળી આબોહવાની આવી વિષમતાઓમાં પ્રવાસીઓને બીમારી થવાનું જોખમ વધી શકે છે. વધુમાં, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન: દરિયાની સપાટીમાં વધારો અને વાવાઝોડાની પ્રવૃત્તિમાં વધારો થવાથી દરિયાકિનારા અને પરવાળાના ખડકો જેવા અન્ય પ્રવાસી આકર્ષણોની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થાય છે. વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ પર માનવીય વિક્ષેપને કારણે તોળાતો ખતરો અને તેની અસરો પર્યાવરણના માળખા પર પડી રહી છે.

તેના પરિણામ સ્વરુપે, વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓના વિતરણમાં ફેરફાર ઇકોટુરિઝમ અને વન્યજીવ-આધારિત પ્રવાસન તકોની ઉપલબ્ધતાને અસર કરી શકે છે. ઉપરાંત, કુદરતી જોખમોની આવર્તનમાં વધારો: ઉત્તરાખંડ જેવી આપત્તિઓ, જેણે દાયકાઓથી કરવામાં આવેલી અવૈજ્ઞાનિક વિકાસલક્ષી પ્રવૃત્તિઓને કારણે જાહેર સંપત્તિને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું હતું. આના કારણે પ્રવાસનને પણ અસર થઈ છે. તેથી, ભારતના પ્રવાસન ઉદ્યોગ પર આબોહવા પરિવર્તનની સંભવિત અસરોને અનુકૂલન કરવા માટે ઘણી સંભવિત વ્યૂહરચનાઓને ધ્યાનમાં લઈ શકાય છે જેમ કે: સૌ પ્રથમ તો કાર્બન ફૂટપ્રિન્ટ ક્ધટ્રોલમાં રાખવા પ્રયત્નશીલ રહેવું. બીજું નવા પ્રવાસન સ્થળોનો વિકાસ: ભારતમાં પર્યટનના પ્રકારોમાં વૈવિધ્યીકરણ થઈ રહ્યું છે, જેમ કે ઇકો-ટૂરિઝમ, સાંસ્કૃતિક પ્રવાસન અને ટકાઉ પ્રવાસનના અન્ય સ્વરૂપોને પ્રોત્સાહન આપવું. સંશોધન અને વિકાસ: ભારતે પર્યટન ઉદ્યોગ પર જળવાયુ પરિવર્તનની સંભવિત અસરોને વધુ સારી રીતે સમજવા અને માહિતગાર નિર્ણયો લેવા માટે સંશોધન અને ડેટા સંગ્રહમાં રોકાણ કરવું ઘટે. અલબત્ત, જળવાયુ પરિવર્તન વૈશ્વિક ચિંતા છે છતાં એના પર ચિંતા કરવાથી વધુ, ઢોસ પગલાં લેવાની જરુર છે. આભ ફાટ્યું હોય ત્યાં થીગડાં મારવાની પ્રવૃત્તિથી કશું વળવાનું નથી.

આજે સમગ્ર વિશ્વ પ્રદુષણની ફેકટરી બની ગયું છે, એક એક માનવ પ્રદૂષણમાં વધારો કરનાર એકમ બની ગયું છે ત્યારે ભવિષ્ય ક્યાં જઈને ઉભું રહેશે એની કલ્પના કરવી મુશ્કેલ છે

You Might Also Like

પ્રેમની કિંમત કે ગિફ્ટનું બિલ? વેલેન્ટાઈન વીકમાં છુપાયેલું અર્થતંત્ર

બજેટ 2026-27: ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર અને લાંબા ગાળાના વિકાસની વાતો: મધ્યમવર્ગ હતો ત્યાંનો ત્યાં!

યુનિયન બજેટ 2026: આંકડાનો શણગાર કે મધ્યમવર્ગનો ઉદ્ધાર?

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી 2026: મહાયુતિની પ્રચંડ જીત પાછળના મુખ્ય કારણો અને રાજકીય પરિણામો

મહારાષ્ટ્રની 2026 મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીઓ: પરિણામો અને શહેરી રાજકારણમાં ઐતિહાસિક વળાંક

TAGGED: climatechange, economic, employment, tourismindustry
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પરશુરામ એવોર્ડ 2024 પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ દ્વારા પ્રતિભાઓને એવોર્ડ અર્પણ કરાશે
Next Article ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી ફરજ પર નિયુક્ત કર્મચારીઓને તાલીમ અપાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દેણું વધી જતાં બંધ મકાનમાંથી પાડોશી જયેશ ગામીએ 4 લાખ ચોરી લીધા

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
નાગેશ્ર્વર મહાદેવ: મહાશિવરાત્રી નિમિત્તે દાદાને મનોહર પુષ્પ શૃંગાર
રાજકોટ: ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે વોર્ડનં.3માં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
રાજકોટ પોલીસને અંધારામાં રાખી 33.73 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લેતી જખઈ
ગ્રીડ્સ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્યિક પરિસંવાદ યોજાયો
બાઈક સીઝ કરવા ગયેલા રિકવરી એજન્સીના ચાર કર્મચારીઓ ઉપર હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

પ્રેમની કિંમત કે ગિફ્ટનું બિલ? વેલેન્ટાઈન વીકમાં છુપાયેલું અર્થતંત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Hemadri Acharya Dave

બજેટ 2026-27: ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર અને લાંબા ગાળાના વિકાસની વાતો: મધ્યમવર્ગ હતો ત્યાંનો ત્યાં!

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Hemadri Acharya Dave

યુનિયન બજેટ 2026: આંકડાનો શણગાર કે મધ્યમવર્ગનો ઉદ્ધાર?

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?