500 એકરમાં પથરાયેલા સંકૂલમાં વૈવિધ્યસભર શસ્ત્ર સરંજામનું ઉત્પાદન થશે
ખાસ-ખબર સંવાદદાતા
સંરક્ષણ ક્ષેત્રમાં ભારતના આગલી હરોળના ઉત્પાદક અદાણી ડિફેન્સ અને એરોસ્પેસે આજે શસ્ત્ર સરંજામ અને મિસાઇલ્સના ઉત્પાદન માટે બે વિશાળકાય સુવિધાઓ આજે ખુલ્લી મૂકીને ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતમાં ખાનગી ક્ષેત્રમાં તેના આ પ્રકારની અદ્યતન સુવિધાઓ પ્રથમ છે જે ભારત રાષ્ટ્રની આત્મનિર્ભરતા અને સંરક્ષણ ક્ષેત્રમાં તકનીકીની દીશામાં પ્રગતિને નોંધપાત્ર પ્રોત્સાહન આપશે.
દક્ષિણ એશિયાની આ સૌથી મહાકાય સવલતો ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આર્મી સ્ટાફના વડા, જનરલ મનોજ પાંડે અટજખ ટજખ જખ અઉઈ, સેન્ટ્રલ કમાન્ડના ૠઘઈ-શક્ષ-ઈ, લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણિ ઙટજખ અટજખ દ્વારા ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે જખ ટજખ, માસ્ટર જનરલ ઑફ સસ્ટેનન્સ, લેફ્ટનન્ટ જનરલ અમરદીપ સિંહ ઔજલા ઞઢજખ ઢજખ જખ ટજખ તેમજ કેન્દ્રના રક્ષા મંત્રાલય અને ઉત્તરપ્રદેશ સરકારના વરિષ્ઠ મહાનુભાવોની હાજર રહ્યા હતા. આ મહાનુભાવોએ રાજ્ય અને દેશને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરવા અને વિભિન્ન ક્ષમતાઓનું સર્જન કરવામાં માટે અદાણી ડિફેન્સના પ્રયાસો અને યોગદાનની પ્રશંસા કરી હતી.
જોગાનુજોગ આ સુવિધાઓનું અનાવરણ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં કરેલી એરસ્ટ્રાઈકનું ઐતિહાસિક ઓપરેશન ‘ઓપરેશન બંદર’ની આજે પાંચમી તિથીએ થયું હતું, આ ઓપરેશન બાહ્ય જોખમોનો સામનો કરવામાં ભારતની વ્યૂહાત્મક દૃઢતા અને તાકાતની સાક્ષી તરીકે યાદગાર બની રહ્યું હતું.
કાનપુરમાં 500 એકર જમીનમાં પથરાયેલી આ સુવિધા સૌથી મોટા સંકલિત શસ્ત્ર સરંજામ ઉત્પાદન સંકુલોમાંનું એક બની રહેવાની તૈયારીમાં છે. અહીં ભારતના સશસ્ત્ર દળો,અર્ધલશ્કરી દળો અને પોલીસ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા નાના, મધ્યમ અને મોટી ક્ષમતાના શસ્ત્ર સરંજામનું ઉત્પાદન કરશે. આ સુવિધા અંતર્ગત ભારતની વાર્ષિક જરૂરિયાતના 25% અંદાજિત 150 મિલિયન રાઉન્ડથી શરૂ કરીને નાની યોગ્યતાના દારૂગોળાનું ઉત્પાદન શરૂ કરાયું છે.
આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ક્ષણને ગૌરવની ક્ષણ ગણાવતા જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશના ઔદ્યોગિક પાવર હાઉસમાં આ સુવિધા પરિવર્તન લાવવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ’આત્મનિર્ભર ભારત’ની પહેલ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
મિસાઇલ અને શસ્ત્ર સરંજામ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની જરૂરિયાત પર ભાર મૂકતા આર્મી સ્ટાફના વડા જનરલ મનોજ પાંડેએ જણાવ્યું હતું કે તાજેતરની ભૌગોલિક રાજકીય ઘટનાઓએ લાંબા સમયના સંઘર્ષ માટે સજ્જતા કેળવવાની તૈયારીમાં આંતરિક સ્ત્રોતોમાંથી વિશ્ર્વસનીય શસ્ત્ર સરંજામના પુરવઠાની જરૂરિયાત પર ફરીથી ભાર મૂક્યો છે. અદાણી ડિફેન્સ અને એરોસ્પેસે ગંભીર ટેકનોલોજીને સ્વદેશી બનાવવા માટે કરેલા મબલખ રોકાણ અને દર્શાવેલી તત્પરતાએ લશ્કરી પુરવઠા માટે ભારતીય ખાનગી ઉદ્યોગ ઉપર આધાર રાખવા માટે ઉપભોક્તાઓમાં વિશ્ર્વાસનું નિર્માણ કર્યું છે. તેમણે કહ્યું હતું કે આ સંકૂલ ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની રાષ્ટ્રની સફરમાં એક મહત્વનું સીમાચિહ્ન છે.