અયોધ્યા રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીની થોડા દિવસ પહેલા તબિયત બગડ્યા બાદ તેઓને લખનૌના SGPGIમાં દાખલ કરાયા હતા, આજે સવારે 8 વાગે લીધા અંતિમ શ્વાસ
4 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આચાર્ય સત્યેન્દ્ર દાસના ખબરઅંતર પૂછવા માટે SGPGI પહોંચ્યા હતા. શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસને લકવો (સ્ટ્રોક) થવાને કારણે 2 ફેબ્રુઆરીએ સૌપ્રથમ અયોધ્યાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ડોક્ટરોએ SGPGI રેફર કર્યા હતા. SGPGI હોસ્પિટલ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર આચાર્ય સત્યેન્દ્ર દાસ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા ગંભીર રોગોથી પણ પીડિત હતા.
- Advertisement -
નોંધનીય છે કે, આચાર્ય સત્યેન્દ્ર દાસ રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી હતા. તેઓ બાળપણથી જ અયોધ્યામાં રહેતા હતા. દાસ લગભગ 33 વર્ષથી રામલલા મંદિર સાથે જોડાયેલા હતા. 1992માં બાબરી ધ્વંસ પહેલા પણ તેઓ આ મંદિરમાં પૂજા કરતા હતા. તેઓ રામ મંદિરના મુખ્ય પૂજારી હતા.
રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ 1992 માં બાબરી ધ્વંસના લગભગ 9 મહિના પહેલાથી રામ લલ્લાની પૂજા પૂજા કરતા હતા. આચાર્ય સત્યેન્દ્ર દાસે પણ 1975માં સંસ્કૃત વિદ્યાલયમાંથી આચાર્યની ડિગ્રી મેળવી હતી. આ પછી 1976માં તેમને અયોધ્યાની સંસ્કૃત કોલેજના વ્યાકરણ વિભાગમાં સહાયક શિક્ષકની નોકરી મળી. વિવાદિત માળખાના ધ્વંસ પછી 5 માર્ચ 1992 ના રોજ તત્કાલીન રીસીવરએ મને પુજારી તરીકે નિયુક્ત કર્યા. શરૂઆતમાં તેમને માસિક મહેનતાણું તરીકે ફક્ત 100 રૂપિયા મળતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેમાં વધારો થવા લાગ્યો. 2023 સુધી તેમને માત્ર 12 હજાર માસિક માનદ વેતન મળતું હતું પરંતુ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી તેમનો પગાર વધીને 38500 રૂપિયા થઈ ગયો.