ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
કહેવાય છે કે બાળક અને તેની માતાનો પ્રેમ દુનિયામાં અન્ય સબંધો કરતા વિશેષ હોય છે પરંતુ હાલ કળયુગમાં જનેતાજ પોતાના બાળકને કોઈપણ હાલતમાં છોડી મૂકે તે પ્રકારના કિસ્સા ખુબજ સામાન્ય થતાં નજરે પડે છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં મૂળી તાલુકાનાં લીયા ગામે તાજુ જન્મેલું નવજાત બાળકને તેની ક્રૂર જનેતાએ તરછોડી દીધેલી હાલતમાં આવવૃ જગ્યા પરથી મળી આવ્યું હતું.
જોકે બાળક તો ભગવાનનું રૂૂપ હોય છે જેથી એક રાહદારી દ્વારા અવાવરૂૂ જગ્યા પર ત્યજી દીધેલ બાળક પર નજર પડતાં તાત્કાલિક 108 ઇમરજન્સી સેવા થકી બાળકીને સારવાર અર્થે ખસેડી હતી સાથે જ સ્થાનિક પોલીસને પણ જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યજી દીધેલ બાળકીના માતા અને પરિવારજનોની શોધખોળ આદરી હતી આ તરફ સગી જનેતાએ પોતાનું પાપ છુપાવવા બાળકને મારવા માટે તરછોડી હોવાથી સ્થાનિક ગ્રામજનોમાં પણ ફિટકાર વર્શી રહ્યો છે.
- Advertisement -